Thursday, September 26, 2024

Khokhra hanuman katha









શ્રી ખોખરા હનુમાન ધામમાં સદગુરુ પરમ પૂજ્ય શ્રી કેશવાનંદ બાપુની સમાધિના રજત જયંતિ વર્ષ નિમિત્તે શ્રી માં કનકેશ્વરી દેવી આયોજિત શ્રીમદ ભાગવત કથા માં ઉપસ્થિત રહીને દર્શન અને આરતીનો લાભ મળ્યો કથામાં અનંત વિભૂષિત મલૂક પીઠાધીશ્વર શ્રી રાજેન્દ્ર દાસજી મહારાજનો દ્વારા શ્રવણ જ્ઞાન લાભ પ્રાપ્ત 


 

Pu Shankaracharya Sadanand Sarswati


 He met at Dhurvnahar 

Saturday, September 21, 2024

पू स्वामि सत्यमित्रानंदजी प्राकट्य दिन और वाल्मीकि संत संमेलन : कर्णावती दि १९.९.२४

 


 પૂજ્ય સ્વામી સત્ય મિત્રાનંદજી એટલે આધ્યાત્મિક દિગ્ગજ

પૂર્વ શંકરાચાર્ય 

પદ્મભૂષણ (૨૦૧૫)

26 વર્ષની નાની ઉંમરે શંકરાચાર્ય બન્યા 1960 અખાત્રીજના દિવસે 

તેમનો પ્રાગટ્ય દિન જન્મદિન એટલે 19 સપ્ટેમ્બર 1933 આગ્રાના ઉત્તર પ્રદેશમાં સીતાપુરના વતની 

અનેક વર્ષો સુધી હિન્દુ સમાજને આધ્યાત્મિક માર્ગદર્શન અને સમાજના ગરીબ છેવાડાના વર્ગોના હંમેશા ઉત્કર્ષમાં રહેલા સ્વામીજી નું સ્વર્ગા રોહન થયું 25 જૂન 2019 તેમના ભાઈ ન્યાય મિત્ર હંમેશા ની સાથે રહ્યા પિતા શિવ શંકર પાંડે કે શાળાના શિક્ષક હતા અને માતાનું નામ ત્રિવેણી 

બચપણનું તેમનું નામ અંબિકા પ્રસાદ હતો

 

સ્વામીજી 1960 માં શંકરાચાર્ય બન્યા પછી 1969 સુધી આ પદ નિભાવે 9 વર્ષ પછી 19 69 માં શંકરાચાર્ય પદમાંથી મુક્તિ માંગે તેઓ જ્યોતિ મઠની ઉપપીઠના શંકરાચાર્ય તેમના ગુરુએ બનાવેલા શંકરાચાર્ય પદ છોડવાનું કારણ ગરીબ વસ્તી વચ્ચે જઈને સેવા કરવામાં શંકરાચાર્ય પદની અનેક મર્યાદાઓ નું પાલન અઘરું પડતું હતું શંકરાચાર્ય પદ છોડી અને પોતાની દંડી પરંપરા નો દંડમાં ગંગામાં વાવે સમાજ વચ્ચે પોતે ગયા તેમના શિષ્ય પૂજ્ય અવધેશાનંદજી આજે પણ સમાજને માર્ગદર્શન કરી રહ્યા છે સંઘ સાથેનો સંબંધ એટલે કે જેવુ શંકરાચાર્ય પદ છોડ્યું તરત જ એ વખતે ઈન્દોરમાં રાષ્ટ્રીય પેન્સિલના સરસ અંગચાલક પૂજનીય ગુરુજીને તેઓ મળીને સમાજ સેવાની પોતાના કામની ઈચ્છા વ્યક્ત કરી 

 

1960માં ભાનુપુરા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ ગીરીએ જ એમને સન્યાસ દીક્ષા આપી અને પછી પોતાના ઉતરાધારી બનાવ્યા હતા 

 

સ્વામીજીની વિશેષતા એટલે કે તપસ્વી હતા છૂટાછુત અસ્પૃશ્યતાના પ્રબળ વિરોધી હતા સામાજિક સમરસતાના રોહા અને આગળ ચાલીને સમાજ હતા વનવાસી આદિવાસી અનુસૂચિત જાતિ અને જનજાતિમાં તનતોડ સેવા કરીને અનેક લોકોને આવા શુભકામમાં લગાડ્યા હતા. નાની ઉંમરે શંકરાચાર્ય પદ મેળવ્યું હતું. સામાજિક વ્યવહારો અને કામોમાં પ્રતિ મુશ્કેલીને કારણે મુક્ત થયા હતા 

 

તેઓ હંમેશા સંઘ વિચારોના સમર્થક રહ્યા હરિદ્વાર ની અંદર 108 ફૂટ ઊંચો એટલે કે આઠ માળનો ભારત માતા મંદિર નું નિર્માણ કર્યું. 1883 ની સાલમાં જેનું ઉદ્ઘાટન કરવા સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી પોતે આવ્યા હતા. આ મંદિરમાં ભારત માતાની વિશાળ મૂર્તિ સાથે આ દેશના અનેક મહાપુરુષો અને શહીદવેરોના સ્મૃતિ અને મૂર્તિઓ બિરાજમાન છે તેમનું બજ પણ અધ્યાત્મમાં દસ વર્ષની નાની ઉંમરે નિસરણીમાં ગયા હતા અને સ્વામી વેદવ્યાસાનંદ સરસ્વતીની પાસે મને શિક્ષણ લીધી હતી તેઓએ સમન્વય સેવા ટ્રસ્ટની સ્થાપના કરી હતી કે અનેક સેવા કાર્યો કરે છે જેવા કે વેદ વિદ્યાલય ઉર્જાશ્રમ વિકલાંગોની સેવા પુષ્ઠરોગીની સેવા ચિકિત્સા માટેના વાહનો શહીદ પરિવારોની સેવા સફાઈ કર્મચારીઓની સેવા અને દૃષ્ટિ હિના ની સેવા 

 

2018 ની સાલમાં રામ મંદિર નિર્માણ થાય તો દે ત્યાગ અનુસંધ દ્વારા કરવાની પણ તેમણે ચેતવણી ઉચ્ચારેલી અને અનેક લોકોની વિનંતીને માન આપીને સરકારે આપેલી પેન્સ્યુરન્સને માનીને તેમણે પોતાનો વિચાર મુલતવી રાખ્યો હતો 2019 ની સાલમાં તેઓ ના આત્માને વિદાય લીધી અને સદેહે તેઓ રામ મંદિરનું નિર્માણ ઉદઘાટન ગયા વર્ષે થયું એ જોઈ ન શક્યા 

 

 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સત્ય મિત્રાનંદજીને અંગત પારિવારિક સંબંધો રહ્યો નિયમિત સારણીયા ના અભ્યાસકાર દરમિયાન નજીકમાં રહેલા સંઘના સિદ્ધ શિબિરમાં આવેલા સર સંચાલક પૂજની ગુરુજીને સ્વામીજી કે જે અત્યારે અંબિકા પ્રસાધતા મળવા ગયા હતા તેમને શંખ કાર્યમાં શ્રદ્ધા હતી તેમણે આશ્રમમાં આવવા પૂજની ગુરુજીને નિમંત્રણ આપ્યું હતું પરંતુ કામની વ્યસ્તતાના કારણે જ શક્ય નથી બને પરંતુ પૂજને ગુરુજીએ તેમને સાથે બેસાડ્યા હતા. વાતો કરી હતી ઘરમાં દૂધ તેમની સાથે પીવડાવ્યો હતો. 1949 માં નાના જે દેશનું સંઘના પ્રચારક એમનું ભાષણ સાંભળીને સંઘના વિચારોની સ્પષ્ટતાથી એ સંઘના અનેક સમાજસેવાના કાર્યક્ષમમાં સહાયક બન્યા હતા 

 

પૂજનીય ગુરુજી જન્મ દિવસ 2006 ના શતાબ્દી સમારોહ સમિતિના અધ્યક્ષ તરીકે તેમણે બધા જ કાર્યક્રમનો સુપેરે માર્ગદર્શન કર્યું હતું 

 

 

 

સ્વામીની જેની વિશેષતાઓ 

આધ્યાત્મિક દિગજ 

હિન્દુ ધર્મને સંસ્કૃતિ માટે ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળના સમન્વય કરતા શાણપણ યુક્ત દૂરદર્શી માર્ગદર્શન કરનાર શ્રેષ્ઠ માર્ગદર્શક 

જેમણે 1960માં કેનિયાની વિદેશ યાત્રા કરી હતી. ચુંબકીય વ્યક્તિત્વ શક્તિશાળી વકૃત્વ અખંડવાણી સ્વરૂપે ગંગાધારા પ્રતિબંધ અનુયાયીના નિર્માણ હિંદુ એકતા માટે સતત પ્રયાસ સનાતન ધર્મનો પ્રચાર વિશ્વ હિન્દુ પરિષદના માર્ગદર્શક વિદેશોમાં હિન્દુસ્તાન અને વિશ્વનું પરિષદના મોટા આશ્રય દાતા વિરાટ હિંદુ સંમેલન ઉદબોધન કરનાર આધ્યાત્મિક મેળાઓ કે જેની અંદર ભારતમાં ઉત્પન્ન થયેલ ધર્મવલંબીઓ હિન્દુ જૈન શીખ બૌદ્ધનો સમન્વય કરતા વનવાસી જનજાતિ વચ્ચે સહજતાથી રહીને સમાજને પોતાનો ભંડાર ડીંડોલી વનવાસી સંમેલનનો માર્ગદર્શન સમરાસતા યુક્ત મહા કુંભનો નિર્માણ શબરી કુંભની સફળતામાં અને ગોળ હત્યા રોકવા માટે સતત કાર્યરત

 

બોધવાક્યો

ઈશ્વર પર વિશ્વાસ કરવાવાળા ઇતિહાસ કહે છે જીવવિજ્ઞાન છે અને જીતી જાય છે જે મહાત્મા બનવા માગે છે તેને વસ્ત્ર બદલવાની જરૂર નથી શ્રેષ્ઠ પુરુષ પોતાના આચરણ દ્વારા સમાજ પ્રવચન કરી શકે છે આધ્યાત્મિકતા આજથી જીવનનો પક્ષધર છે જે અહંકારને ઉઘાડે છે જે પરમાત્માનું વિશ્વ કરે તેની આધ્યાત્મિક સંપતિ નું શરણ થાય છે જે સાધક સાધનની તળેટીમાં ઉભો રહી પોતાનામાં સ્થિત થાય છે તે એકતામાં સ્થિત થઈ શકે છે ભક્તિ વગર માનવ જીવનમાં પૂર્ણતા આવતી નથી સાધુ સંન્યાસીએ સમાજનું આરોગે છે તો તેને સમાજને નિષ્પક્ષ માર્ગદર્શન કરવું જોઈએ

 

કઠોર અનુસાશનમાં માનવા વાળા હતા 

• નિયમ અને સમયની બાબતમાં પ્રતિબધ્ધતામાં માનતા 

અવધેશાનંદજી કહે છે તેમને રાત્રે 2:40 વાગે પાણી જોઈએ, માટે બરાબર આ સમય બરાબર યાદ રાખવો પડે એમનો કહેવાનો મતલબ હતો કે ઊંઘમાં હોઈએ 

 

કે કોઈ પણ કામમાં હોય એ નિશ્ચિત સમય નક્કી કર્યો ત્યારે આપણી જાગવાની તૈયારી હોવી જોઈએ તેઓ રોજ સવારે 3:30 વાગે ઊઠીને સ્નાન કરતા આ નિયમ તમને ધર્મેશ પાડવાનો પ્રયત્ન કર્યો 

• તેઓ પોતાના શિષ્યોને પણ ખૂબ આદર આપતા ક્યારેય શિષ્યને કોઈ વાત કરવી હોય તો સીધા સૂચનને બદલે પછે રેલી અન્ય વ્યક્તિને સૂચના આપી અને શિષ્ય સમજે તેવું ઈચ્છતા નંદજી કહેતા કે પોતાની પાસે રહેલા અભણમાં જઈને ન્યાય મેમાન્સાને વૈદિક વાતો કરીને આપણા માટેનો સંદેશ આપતા 
• ધર્મ અને સંસ્કૃતિના કામ માટે પોતાના શરીરને ખૂબ જ પરિશ્રમ આપ્યો વિદેશ જતી વખતે સતત 20 20 25 કલાકના પ્રવાસ પણ તેમને કર્યા હતા, 
•  

સ્વામીજીને શ્રદ્ધાંજલિઓ 

બાબા રામદેવજી 

• સ્વામીજીના શ્વાસમાં હંમેશા ભારતમાતાની જઈનો જ અવાજ રહેતો 
• તેઓ સમન્વયના દેવતા હતા. 
• રાષ્ટ્રધર્મ અને જાગરણના પુરોધા 
• ભારતમાતાની આરાધના માટે અને સાધના માટે જીવન વિતાવનાર
• ભારતીય ધર્મ દર્શન સંસ્કૃત અને ઇતિહાસના દિવ્ય ઉપાસક 
• સાધુઓ માટે સતત પ્રેરણા ના સ્તોત્ર 
• દેહ મહત્વનો નથી વિચારને જીવન સંદેશ મહત્ત્વનો છે જીવન નિર્માણના દેવતા રહ્યા 
• મહાપુરુષ ,મહાન સન્યાસી યોદ્ધા ,યોગી અને કર્મયોગી બધા જ યોગના સમન્વય કરનાર 
• પ્રસ્થાન કરતી વખતે આ બધું આપણને આપીને ગયા 
• પતંજલિ યોગપીઠ ની અંદર તેમનું 27 વર્ષથી સતત યોગદાન રહ્યું
• ગૌ માતાની હત્યામાંથી મુક્તિ માટે તેમનો સંકલ્પ હતો અને ગમે તેટલા સમય રાહ જોવાની તૈયારી હતી 
• ગૌમાતા રામ ગંગા અને વેદ માટે પોતે જીવન જીવ્યા 
• તેમના માટે રાષ્ટ્રહિત સર્વોપરી હતું 
• કહેવાય છે કે "ગુરુ કભી મળતા નહીં ,શિષ્ય કભી રોતા નહીં"

 

ગોવિંદ દેવગીરીજી મહારાજ 

• અલ્પ સમયમાં આવા સાધકનું મૂલ્યાંકન કરવું ઘણું મુશ્કેલ 

દશક અને સતત નો સમય સાચો પરિણામ આપણને બતાવશે 

• વિવેકાનંદનો આદર્શ પોતાના જીવનમાં ઉતારી બતાવ્યું 
• રાષ્ટ્રની ધર્મની પૂજાનું તીર્થ એવું ભારત માતા મંદિરનું નિર્માણ બનાવ્યું ,ઈંટ ગારાનું મકાન નહિ પરંતુ આધ્યાત્મિક ચેતના અને રાષ્ટ્રભક્તિનું કેન્દ્ર બન્યું
• જીવન મૂલ્યોનું નામ એટલે ભારત માતા 
• દિલ્હીના ભાષણમાં કહ્યું હતું કે મને બંદૂક આપો હું અફઝલ ગુરુને હું મારીશ 
• પ્રાણાંત કુપોષણ કરી ગંગા કિનારે રામ મંદિરને ન બંધાય તો આમરણાંત  ઉપવાસ કરવાની તૈયારી હતી 
• ગૌ માતા માટે તેમની આંખમાં હંમેશા આસુ હતા
• તેઓ કહેતા" ગાય બીના ગતિ નહીં, વેદ વિના મતિ નહીં "
• તેના જેવી  મહાન વ્યક્તિ મારા માટે  નાના એવા ગામમાં સંગમેર , માં વેદ વ્યાસ પ્રતિષ્ઠાન ઉદ્ઘાટન પ્રસંગે ત્રણ દિવસ ગમે ત્યારે આપવા માટે તૈયાર થયા .તેમનામાં બીજાના અંતઃકરણ માટે હંમેશા અંતર ભાવ રહેતો 
• એ વેદ વિદ્યાલય આજે એકમાંથી 34 થયા
• તેઓ હંમેશા દેવાનું  જાણતા હતા. 
• પોતાના સન્યાસી બનવાના સમયે કહ્યું હતું કે "માટે જપ તપ પુણ્ય હું બધું જ મારા શિષ્યને અર્પણ કરું છું કોઈ કરી શકે તેવું ?
• આદર્શ મહાપુરુષ, રાષ્ટ્રભક્ત, વીતરાગી સેવક અને દાની હતા 
• તેઓ એક આદર્શ દર્પણ હતા જેમાંથી જોઈને આપણે આપણી ખામીને મર્યાદાઓને દૂર કરી શકિયે

 

પૂજનીય સર સંઘચાલક મોહનજી ભાગવત 

• મેં તેમને સૌથી પ્રથમ 1965 ના નાગપુરના વિજ્યાદશમી ઉત્સવમાં જોયેલા આગલી સાંજે અને બીજું દિવસે સવારે તેમનું પ્રવચન હતું ,ધારા પ્રવાહ રસપ્રદ સૌમ્ય સ્નેહ યુક્ત અને એમના સ્વરમાં મસ્ત થવાય એવું હતું 
• મારા ઇંગ્લેન્ડના હિન્દુ સ્વયંસેવક સંઘના પ્રવાસમાં સ્વામીજી મળ્યા હતા ત્યારે ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સમિતિ નું ઉદ્ઘાટન ભાષણ હતું 

 

તેમની સાથે સંકોચ વગર 40 મિનિટ સુધી ગપ સપ કરવાનો સમય મળ્યો હતો 

• ગુરુજી જન્મશતાબ્દી વર્ષ 2006ના સ્વાગત સમિતિના અધ્યક્ષ બનાવવા માટે મારે તમને મળવાનું થયું .વાણી અંતઃકરણ બંને માં મધુરતા અકૃત્રિમ સ્નેહ , અપરિચિત ને પણ પરિચિત બનાવી દે એવું એમને સ્વભાવ હતો જેને  પોતાના દોષ પણ બતાવી શકાય તેવું એનું સ્થાન .તેમની દિશામાં જવાનો પ્રયત્ન કરીએ .તેમનું કાર્ય પૂર્ણ કરીને જોવું એવો શ્રદ્ધા અને વિશ્વાસ અને વ્યવસ્થાને નિર્માણ કરીએ. સ્વામીજી આજે પાર્થિવ સ્વરૂપમાં નથી પરંતુ અન્ય સ્વરૂપમાં પણ આપણને જોઈ રહ્યા હશે 

ભારત માતાના અમૂલ રત્નો માંહેના એક રત્ન એટલે સ્વામીજી

રાષ્ટ્ર સંસ્કૃતિ નારી માનવતા શિક્ષા અને સમરસતાના સારગર્ભિત  નિષ્પક્ષ પ્રકાશ પાથરનાર 

 

સત્ય શિવ અને સુંદર ની પ્રતિ પ્રેમ ઉત્સાહ અને શ્રદ્ધા જગાવવાના સંસ્કાર નિર્માણ કરનાર 

સંસ્કાર નિર્માણ એટલે જ સંસ્કૃતિ 

ભારતમાતાનું મંદિર પરંપરા ઇતિહાસ મહાપુરુષ અને" હમસબ એક હૈ"નો સંદેશો આપે છે તેઓ હંમેશા શ્રમ મુલક અને સંસ્કાર મુલક શિક્ષણના હિમાયતિ  રહ્યા


Saturday, January 6, 2024

સ્વ. ગોકળભાઇ પરમાર( ભૂતપૂર્વ ધારાસભ્ય મોરબી)








 


સ્વર્ગસ્થ ગોકળભાઈ પરમાર


ગાંધીજી ની સાદગી ક્યાં જોયેલી જવાબ છે ?ગોકળભાઈ

સ્વદેશી નું હરતું ફરતું પરિણામ સ્તોત્ર? એટલે ગોકળભાઈ

મીતભાસી રાજકારણી વ્યક્તિ એટલે ગોકળભાઈ

પ્રજાના સાચા અર્થમાં લોક સેવક ? ગેકળભાઇ આજે સેવાનો ભાવ અને મહત્વકાંક્ષા, કટાક્ષ માં કહીએ તો ચૂંટણીમાં ટિકિટ સેવા કરવા માટે માંગે 

મોરબીની મચ્છુ હેનારત વખતે મહેનત અને બાબુભાઈને અહીંયા રહેવા માટેની વિનંતી કરનાર

પોતાના પરિવારને વારસો નહીં પરંતુ સાચા કાર્યકર્તાને વારસો ઉદાહરણ :દેવકરણભાઈ ,અનિલભાઈ

વિચાર સાથે સંમત ન હોય પરંતુ વ્યક્તિના ગુણોથી સાચા હીરાની પરખ ઉદા અનિલભાઇ મહેતા


ગાંધીજી અને ગોકળભાઈ ની ચોરી !અઢી રૂપિયા શેઠની તિજોરીમાંથી ચોરેલા ડબલ કરીને પરત આપ્યા

બીડી નું બંધારણ પિતાજી પાસેથી ,પરંતુ છોડીને રહ્યા

શિક્ષણ મુંબઈમાં મેળવ્યુ કેવી ગરીબાઈમાં કેવી સાદાઈથી રહ્યા એનો બોધપાઠ જરુરી

મિત્રના ઘરે અન્નકૂટના સમયે જતા અભણછેટ ના વાક્યોનો અનુભવ જીદગી ભર આભડછેટ હટાવવા જીવી ગયા

સ્વમાની ગોકળભાઈ મોરબી રાજા ના દરબારમાંથી ઇનામ લેવા ન ગયા કારણકે ટોપી નહીં પરંતુ પાઘડી પહેરવી જરૂરી હતી

અસ્પૃશ્યતા કલંક છે તેને કાઢવું જ રહયુ, ન હિન્દુ પતિતો ભવેત

શિક્ષણ પ્રેમી દોશી હાઈસ્કૂલના જન્મદાતા


વ્યક્તિની વાતો વ્યક્તિ પૂજા નથી જીવનના અંત પછી પણ જેનું જીવન સંપૂર્ણ આદર્શ હતું તેનું સ્મરણ કરવું એ વ્યક્તિનું નહીં પરંતુ તેના માધ્યમથી થયેલા મહાન આદર્શોનું સ્મરણ છે

શહીદોની બે પંક્તિ હોય છે 

૧-તડપી તડપીને પોતાના ધ્યેય માટે મૃત્યુ સ્વીકારનાર અને 

૨-બીજા હોય છે પોતાના ધ્યેય અને આદર્શ માટે સંપૂર્ણ જીવન ખૂબ ધૂપસળીી જેમ ઝલાવનાર :ગોકળભાઈ બીજી પંક્તિના હતા

સાર્વજનિક જીવનમાં આદર્શો માટે જીવનારા ગણ્યા ગાંઠિયા હોય છે તે મહિના તેઓ એક હતા


જાહેર જીવનની શુદ્ધતાના ઉદાહરણો અને ગોકળભાઈ ની સરખામણી

૧-પરમ પૂજ્ય ગુરુજી અને શ્યામાપ્રસાદ મુખરજી ની ટ્રેનમાં મુલાકાત ટિકિટ નો ફેર આપ્યો

૨-દિન દયાળજી ઉપાધ્યાય ટ્રેનમાં રેડિયો ના વગાડ્યો કારણકે લાયસન્સ રીન્યુ થયું નહોતું

૩-વસંત ગજેન્દ્રગઢ કરે ઉદયપુર જવાના પક્ષની કારમાં ગયા સાથે પત્ની આવ્યા તો તેની પાસેથી ટિકિટ ભાડું આપ્યું

૪-રાજર્ષિ ટંડન સ્પીકર તરીકે રાજીનામુ આપી બહાર આવ્યા ત્યારે સ્પીકરની મોટર નહીં પરંતુ રીક્ષા બોલાવીને તેમાં ઘરે ગયા

૫-આદર્શોથી ડગી જવાની સ્પર્ધા ચાલતી હોય છે લોકો પહેલા આદર્શો માટે પાગલ ગણાતા આજે વ્યવહાર દક્ષ બન્યા છે

સાચા આદર્શવાદીનું સ્થાનનું મહત્વ છે ઉદાહરણ તરીકે 111 માં એક ની કિંમત તેના સ્થાન ઉપર છે

प्रासादो शिखरोस्थपी काको नगरुडयते

સ્થાનના કારણે કોઈ વ્યક્તિ મહાન બનતી નથી મહાનતા વ્યવહારના કારણે આવે છે


૬-શ્રેષ્ઠ પુરુષોની પાગલ ભૂલો હોય છે 

ઉદાહરણ તરીકે ભરતે રાજ્ય કરવાની ના પાડી 

રામ રાજ્ય છોડીને વનમાં ગયા 

૭-ચાણક્ય મહાઆમાત્ય પદ છોડીને અમાત્ય રાક્ષસ ને આપ્યું કુંતી યુદ્ધ પછી ધૃતરાષ્ટ્ર સાથે વનમાં જવા નીકળ્યા કારણ આપ્યું ધર્મનું કારણ 

૮-વોશિંગ્ટન પોતે અમેરિકાના સીધા સેનાપતિ માંથી રાષ્ટ્રના વડા થવાનું સ્વીકાર્યું નહીં ચૂંટણી બાદ જ 

૯-ઇટાલીના મેઝેનીએ પોતે વિચાર આપ્યો પરંતુ ગેરીબાલ્ડીને સેનાપતિ બનાવ્યો તો છતાં રાજ્ય સુકાન ઇમ્યુનલને સોંપી


૧૦-મહમદ પયગંબરે બેગમ રે ભદ્રની લડાઈ પછી પોતાની પત્ની આયેશા અને અન્ય પત્નીઓએ કરેલી સંપત્તિની માગણીને ઠુકરાવી તમે તેમ કરોતો પયગંબરની પત્નીને નહી કહી શકો

૧૧-ઇસુ ખ્રિસ્તે લાસ્ટ સુપર વખતે પોતાની પાસે બેસવા માટે પડાપડી  કરતા કાર્યકર્તાઓના પગ ધોઈને જમવા બેસાડ્યા

ગોકળભાઇ કદી પદની લાલસા ન કરી

દ્વારકા પ્રસાદ મિશ્રનું વાક્ય 

Status conscious leader and comfort living cadre અગત્યનું થે


End justifies means 

ધ્યેય સાધનોની ન્યાયિત બનાવે છે 

ગાંધીજી સાધન શુધ્ધિ માટે કહેતા

લેનિંગ કહેતા સત્તા પછી બધાને માટે બ્રાઉન બેડ ખાવો,પોતે પણ ખાધી 

ટિળકજી લખનઉ પેક્ટ સંમેલન ૧૯૧૬માં સવારમાં લખનૌમાં ચૂલો સળગાવતા હતા કારણ કે દક્ષિણના લોકોને ગરમ પાણી જોઈએ 

ગાંધીજી કોઢના દર્દીને ઓલીવ ઓઇલ નો મસાજ કરવા માટે માઉન્ટબેટન સાથે સત્તાહસ્તરણની  ચર્ચા વચ્ચે એક દિવસ રજા પાડીને જાય છે


પૂજ્ય ગુરુજીનો ધર્મયુગને સંદેશ મેં નહીં તુહી મહત્વનો

વિષ્ણુ સહસ્ત્રનામમાં એક નામ છે अमानी मानदो मान्यो लोकस्वामि त्रिलोकद्रृत 

 લોક સ્વામી ત્રિલોકદ્રુત પોતાને માટે માન સન્માનની અપેક્ષા  નથી રાખતા, બીજાને માન દે તેને જ કારણે તે सर्वमान्य બને છે સત્તાની હરીફાઈની પ્રતિમા અને પ્રતિષ્ઠા નહી વિનમ્રતા અને લોકસંગ્રહથી જ સંગઠન થાય


જલ પ્રવાહ ગમે તેટલી ઊંચાઈએ હોય અંતે તો એને નીચું જવું પડે છે અને સાગરને મળવું પડે છે સાગર એ ગર્વવિહીન છે બધાને સમાવે છે

ગીતામાં શ્રેષ્ઠ જનોને અનુસરવા કહ્યું છે 


હરીન્દ્ર  દવેનું પુસ્તક ગાંધીની કાવડ

ગાંધીજીને ગોળીથી વિંધ્યા તેમ નહીં પરંતુ સોનાની કટારથી માર્યા એમ કહે છે

ઇન્દ્ર બ્રાહ્મણનો વેશ ધારીને કર્ણ પાસેથી કવચ કુડળ લઈ જાય છે જેથી કર્ણ અભેદ ન રહે

ગરીબી દૂર કરવાનો ઉપાય બળદ ગાડામાં ફરવાથી ન મળે મોટર કારો પણ જોઈએ

ગુનો તો નાના માણસો કરે મોટા માણસો તો ફક્ત ફરજ અદા કરે

સમૃદ્ધિનું અપહરણ થઈ શકે ગરીબીના સગડ કાઢવા કોણ આવે

ગાંધીની કાવડ પાગલ ઉપાડે છે એક પલ્લામાં નેતાઓ છે જે બેસવા માટે ઉથલપાથલ કરે છે બીજા પલ્લામાં પ્રજા છે  આ ઠીક કરતા કાવડ ધારીના ખભા ઘસાઈ જાય છે

શુદ્ધ માનવીની નિષ્કલંક પ્રતિમા અને પ્રતિભા અને હાથો બનાવીને સ્વચ્છ માણસોની સ્પષ્ટતા ભ્રષ્ટા માણસો વટાવી ખાય છે

પ્રજાની સંસ્કારીતાનું માપ રાજકારણ પરથી સૌથી વધુ અંશે માપી શકાય બીજા ક્ષેત્રમાં નથી એવું નથી


Rulers crumble thinkers reign

Ignorance is a strength

In the real arm position opinion governs the behaviour

સમજવા માટે ગોવિંદભાઈ ડાભી દ્વારા પુસ્તકોનું અર્પણ

મચ્છુ હોનારત પુસ્તક લોકાર્પણ પ્રસંગે

કોરોનામાં અંતિમ દર્શન

Thursday, December 28, 2023

ખોખરા હનુમાન હરિધામ ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત સારાભાઈ અંતરીક્ષ પ્રદર્શન ઉદઘાટન ૨૮.૧૨.૨૩


 ખોખરા હનુમાન હરિધામ 

ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત 

 સારાભાઈ અંતરીક્ષ પ્રદર્શન ઉદઘાટન ૨૮.૧૨.૨૩

________


પૂજ્ય પ્રાતઃ:સ્મરણીય મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 પૂજ્ય શ્રી કનકેશ્વરી દેવીજીના કૃપાથી 

એમના જ પવિત્ર પરિસર ખોખરા હનુમાન હરિધામ ખાતે યોજાયેલ આજે 

ત્રીદિવસીય વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શન કેન્દ્રના ઉદ્ઘાટન નિમિત્તે માં કનકેશ્વરી દેવીને  તથા સર્વે મહાનુભાવોને મારા પ્રણામ


અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર ઇસરો અમદાવાદ

 જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મોરબી

 જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી મોરબી 

તથા મા ના પવિત્ર સાનિધ્યમાં ચાલતા સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય મોરબીના ઉપક્રમે આ એક વિજ્ઞાનનું પ્રદર્શન યોજાય રહ્યું છે


જ્યારે એક ધર્મ સંસ્થાન અધ્યાત્મની સાથે વિજ્ઞાનને સાંકળીને વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં રસ લેતા કરવા માટે જ્યારે આવું પ્રદર્શન યોજી રહ્યા હોય ત્યારે ભારતીય પરંપરા, આપણો પુરાણો વારસો તથા આપણા શાસ્ત્રો તથા ઇતિહાસમાં રહેલા વિજ્ઞાનના સિદ્ધાંતો અને શોધો જેને આપણે થોડા સમય માટે વિસરી ગયા છીએ તેને યાદ કરવાનો આજે હું એક થોડો પ્રયત્ન કરીશ


લોકો એવું માને છે કે :

ભારત એટલે ધર્મનો દેશ અધ્યાત્મનો દેશ સંસ્કૃતિ અને પ્રેરણા નો દેશ 

આ દેશમાં સમૃદ્ધિ ,ભૌતિકતા અને વિજ્ઞાન વિષયનું કોઈ બહુ સંશોધન કે પોતાનું ગર્વ લઈ શકાય એવું કારણ નથી 

પરંતુ આજે મને ટૂંકમાં યાદ કરાવવા દો


આપણી ધરોહરના પ્રતિકો અનેક છે

1. શૂન્ય ની શોધ ભારતમાં થઈ તો

2.  દિલ્હીમાં કાટને લાગતો લોહસ્તંભ અને 

3. અનેક ભવ્ય મંદિરો એ જુના સ્થાપત્ય કલાના નમુના રૂપે ઊભા રહ્યા છે

4.  આપણા પ્રાચીન વારસામાં ધનવાંતરી નામના વિદ્વાનો લોકોએ કરેલી શીતળાના રસીનો ઉપયોગ 

5. પસંદગી પ્લાસ્ટિક સર્જરી અને 

6. આચાર્ય પીસી રોય એ લખેલા કેમેસ્ટ્રીના પુસ્તકો કે 

7. જગદીશ ચંદ્ર બસુએ વનસ્પતિમાં જીવ છે એ સાબિત કરવું

8. નાલંદા યુનિવર્સિટીના આપણો વિજ્ઞાનનો જ્ઞાનનો ખજાનો અને 

9. વૈદિક ગણિતને યાદ કરીએ


હમણાં થોડાક પુસ્તકો આ સંદર્ભમાં નવી પેઢીને વાંચવા લાયક બન્યા છે

1.  ધર્મપાલજીના પુસ્તકો સમગ્ર સંગ્રહમાં એક પુસ્તક છે  science and technology in eightenth century

2. સંસ્કૃત ભારતી પુસ્તક બહાર પાડ્યું છે pride of india 

3. હમણાં જ વિજ્ઞાન ભારતી દ્વારા એક રાષ્ટ્રીય અધિવેશન કર્ણાવતીમાં યોજાયું ત્યારે એમણે પુસ્તકની reprint બહાર પાડી જેનું નામ છે   science and technology in ancient India 

4. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય અધિકારી, પ્રચારક અને અભ્યાસુ સુરેશ શ્રી સોનીએ એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે "ભારતમાં વિજ્ઞાનની ઉજવળ પરંપરા"


આપણા એકાત્મતા સ્તોત્રમાં આપણે ગાતા હોઈએ છીએ

वैज्ञानिकाश्च कपिलः कणादः सुश्रुतस्तथा।

चरको भास्कराचार्यो वराहमिहिरः सुधीः ।। 26 ।।

नागार्जुनो भरद्वाजः आर्यभट्टो वसुर्बुधः ।

ध्येयो वेंकटरामश्च विज्ञा रामानुजादयः ।। 27 ।।


એવી સર્વસાધારણ માન્યતા છે કે 

વિજ્ઞાનનો પ્રથમ વિકાસ પશ્ચિમમાં થયો 

પૂર્વમાં વિજ્ઞાનના વિષય માટે તો હંમેશા અંધકાર હતો વિજ્ઞાન પરંપરા જેવું કશું હતું પરંતુ આ સત્ય નથી


20 મી સદીમાં ભારતમાં થયેલા વૈજ્ઞાનિકો જેવા કે 

આચાર્ય પ્રફુલચંદ્ર રોય ,વજેન્દ્રનાથ સીલ ,જગદીશચંદ્ર બસુ, એમ પી રાવ સાહેબ જેવા વિદ્વાન વૈજ્ઞાનિકોએ કહ્યું આ તથ્ય ખોટું છે 

ભારતમાં પણ એક મહાન વિજ્ઞાનની પરંપરા હતી એ સાબિત કર્યું

1. આચાર્ય પ્રફુલચંદ્ર રોય એક પુસ્તક લખ્યું હિસ્ટ્રી ઓફ હિન્દુ કેમેસ્ટ્રી આ પ્રેરણા તેમને પશ્ચિમના જગતમાં જ્યારે વધારે અભ્યાસ માટે કર્યા ત્યાં મળેલા કટાક્ષના કારણે થયી

2. બજેન્દ્રનાથ સીલે The positive science of ancient Hindus 

3.  રાવ સાહેબ વજે હિન્દુ શિલ્પ શાસ્ત્ર વિશે પુસ્તક લખ્યું

4. ધર્મપાલજીના પુસ્તકોના સંગ્રહમાં એક પુસ્તક છે ઇન્ડિયન સાયન્સ એન્ડ ટેકનોલોજી

5. બેંગ્લોરના એમપી રાવ સાહેબ એ વિમાન શાસ્ત્ર વિશે અને વારાણસીના પીજી ડાંગરે અંશબોધીની લખ્યા

આ બધાએ આપણા દેશમાં સ્વાભિમાનનો ભાવ જગાવ્યો

એ છે 

कृणवंतो विश्वार्यम

वसुधैव कुटुंबकम्

स्वदेशो भुवन त्रयम 


માર્ક ટ્રેન નામના પશ્ચિમના એક વૈચારિકે 

ભારત વિશે કહ્યું છે કે :

1. ભારત ઉપાસના ના પંથોની ભૂમિ છે 

2. માનવ જાતિનું પારણું છે 

3. ભાષાની જન્મભૂમિ છે

4.  ઇતિહાસની માતા છે 

5. પુરાણોની દાદી છે અને 

6. પરંપરા ની પરદાદી છે


ભારતમાં ફક્ત ધર્મ, દર્શન, તત્વજ્ઞાન અને શ્રેષ્ઠ જીવન મૂલ્યોની જ વાત થઈ છે એવું નથી 

અહીંયા વ્યાપાર ,વ્યવસાય, કળા ,ગણિત, વિજ્ઞાન અને બધા જ શાસ્ત્રોમાં અનેક શોધ, સંશોધન અને મહાન વૈજ્ઞાનિકો ઋષિઓ થયા.


બજોરન લેન્ડસ્ટ્રોમ ના "ભારત કી ખોજ "નામનું પુસ્તક લખ્યું છે તેણે લખ્યું છે કે મિશ્ર થી લઈને અમેરિકાની શોધ 3,000 વર્ષની યાત્રા એ ફક્ત ભારતનો માર્ગ શોધવા માટે જ થયી છે

જેમાં કોલંબસ ,માર્કો ફોલો અને વાસ્કો ડી ગામાં જેવા એ પ્રયત્ન કર્યા


કણાદ ઋષિનું એક સૂત્ર છે 

येतोभ्युदयनि: श्रेयस

सिद्धि: स। धर्म: 

જે માધ્યમથી ભૌતિક દૃષ્ટિ અભ્યુદય અને નિશ્રેયસ એટલે આધ્યાત્મિક દ્રષ્ટિ પ્રાપ્ત થાય તેને જ ધર્મ કહેવાય આ ભારતનું ચિંતન હતું


Samuel Huntington  નામના એક લેખક જે Who are we? નામના પુસ્તક થી જાણીતા થયા એમનું એક પુસ્તક

Clashes of civilisation  લખ્યું છે કે 

1750 ની સાલમાં ભારતનું ઉત્પાદન યુરોપ અને સોવિયત સંઘ મળીને થાય તેના કરતાં વધારે હતું ( 24.5 ટકા , 18.2 +5% હતું)


વિજ્ઞાનની પરંપરા વિશે કેટલી વાર આપણા લોકોને પણ આપણા સ્વાભિમાન કે સ્વત્વ ની વાત ગળે નથી ઉતરતી

એના થોડાક ઉદાહરણો

1. સંસ્કૃત ભારતી નામની એક સંસ્થાએ ભારતની વિજ્ઞાનમાં ફાળો વિશેના ચિત્રો બનાવ્યા. વિજ્ઞાન અને પ્રજ્ઞોધિકી  મંત્રાલયના એના અધિકારી શ્રી રામમૂર્તિને જ્યારે સંસ્કૃત ભરતીના ચ. મ.કૃષ્ણ શાસ્ત્રીએ આ ચિત્રોમાં એક ચિત્ર બતાવો જેમાં લખ્યું હતું આર્યભટ્ટે પાઈનું મૂલ્ય 3.14 શોધ્યું હતું. એમને આશ્ચર્ય વ્યક્ત કરે

2. પૂરીના શંકરાચાર્ય ભારતીય કૃષ્ણ તીર્થજીએ શુલ્બ સૂત્ર અને વેદ ઉપરથી ગણિતના સૂત્રો અને ઉપસુત્રોની શોધ કરી (16 અને 13 જેની સંખ્યા હતી) અનેક ગણિતની સમસ્યાઓ સરળતાથી અને ઝડપથી હલ થાય એવા આ  સૂત્રો હતા .એ પુસ્તકનું નામ વૈદિક મેથેમેટિક્સ રાખવામાં આવ્યું .આ પુસ્તક જ્યારે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ફંડામેન્ટલ રિસર્ચને આપવામાં આવ્યું (પરીક્ષણ માટે) તો એના વિશે બહુ હકારાત્મક મત ન થયો .પરંતુ વિદેશના ગણિત નિકોલસ UK  એણે મુંબઈમાં આવીને ગણિતના પ્રયોગો અને ગણિતમાં રહેલું મેજીક આ સૂત્રો દ્વારા બતાવ્યું ત્યારે આ જ પુસ્તકની વાત હતી .જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એની વિગતો છપાઈ હતી

3. ડોક્ટર મુરલી મનોહર જોશી 1962 માં ઉત્તર પ્રદેશના પાઠ્યપુસ્તક મંડળના સમિતિના સદસ્ય હતા જેમણે કહ્યું કે પાયથાગોરસના પ્રમેયને ખરેખર ભારતના ઋષિ બોધાયાને દ્વારા  શોધાયેલો એટલે એને બોધાયન પ્રમેય કહેવું જોઈએ .એડવર્ડ ટેલરે કે જે નોબેલ પ્રાઇઝ જીતનારી ભૌતિક શાસ્ત્રી તો એને પોતાનું એક પુસ્તક લખ્યું છે Simplicity and science  વિજ્ઞાનનું ભણતર સરળ સુગમ આનંદદાયક હોવું જોઈએ એમાં એને ઉદાહરણ આપતા આ બોધાયન પ્રમેય ની વાત કરી છે.


મેકલો શિક્ષણ પદ્ધતિ એ ભારતની જાણકારી અને વિશેષતાઓને ભુલાવી દીધી છે એને ફરીથી યાદ કરવાની જરૂર છે


ભારતના વિજ્ઞાન અને અવકાશ વિજ્ઞાનના ચમકતા સિતારા એવા ડોક્ટર અબ્દુલ કલામ પોતાના પુસ્તક ઇંડિયા 2020  વિઝન for new milenium  બે અનુભવો લખ્યા છે

(૧) તેમના એક રૂમ પર દિવાલ પર એક રંગીન કેલેન્ડર છાપેલું હતું તેને જોવા આવનાર બધા જ વખાણ કરતા હતા કેવું સરસ કેલેન્ડર છે કારણ કે એનો છાપકામ જર્મનીમાં થયું હતું .પરંતુ એના ચિત્રોના વખાણ કોઈ નહોતો કરતો કે જે ભારતીય અવકાશ ઉપગ્રહોએ લીધેલા હતા :યુરોપ અને આફ્રિકાના ચિત્રો .જ્યારે કોઈને કહેવામાં આવતું કે આ ચિત્રો ભારતના અવકાશીય ઉપગ્રહ લેવામાં ત્યારે તેઓ રાષ્ટ્રીય  આશ્ચર્ય વ્યક્ત કરતા.

(૨) દિલ્હીની એક વૈજ્ઞાનિકોની કોન્ફરન્સમાં ડોક્ટર અબ્દુલ કલામે જમતા જમતા બધા સાથે ચર્ચા કરતાં કહ્યું કે મિસાઈલ ની શોધ બધા માને છે કે ચીનમાં થયી, ના પરંતુ ભારતથી થઈ .બધા મને છે કે ચીન મ દારૂગોળા શોધાય તેને દ્વારા  અગ્નિ તીર બનાવવામાં આવ્યા અને મિસાઈલ શોધાય .પરંતુ ખરેખર મિસાઈલ ની શોધ ભારતમાં થઈ હતી તેઓએ કહ્યું કે હું લંડનમાં vulich નામના સ્થાન  પર ગયો ત્યાં એક Rotunda નામનો મ્યુઝિયમ છે. તેમાં ટીપુના શ્રીરંગમ સ્થાને અંગ્રેજો સાથે થયેલા યુદ્ધમાં વપરાયેલા રોકેટોના અવશેષો રાખવામાં આવે છે .ત્યારે ઘણા લોકોએ દલીલ કરી કે નાના ફ્રેન્ચ લોકોએ ટીપુને આપ્યા હતા. પોતાની વાત અને પુરાવા માટે તેમણે સાંજે એક લાઇબ્રેરીમાંથી પુસ્તક લઈને બતાવ્યો.

Burndard Lovell : The origin and international economics of space exploration. આ પુસ્તકમાં એને લખ્યું છે કે વિલિયમ કોન ગ્રહ એ ટીપુના રોકેટનો અભ્યાસ કર્યો એમાં સુધારા કર્યા અને 1805 માં બ્રિટિશ પ્રધાનમંત્રી willium Pitak  અને Frasare એને સ્વીકૃતિ આપી .1806 માં નેપોલિયન સાથેના યુદ્ધમાં એ વાપરવામાં આવ્યો .આમ આ શોધ તો ભારતમાં પહેલેથી હતી.


1941 માં સર સી વી રામને દિક્ષાંત પ્રવચન માં કહ્યું હતું કે

        Boys when  we import, we not only pay for our ignorance

But we also pay for our incompetence


1918 Acharya prafull Chandra Roy in lecture of Madras

       "We are not ashamed of our  ancient contribution to the science and chemistry .I am eqally proud of ancient ,and not ashamed  for all the branches of science that is grown in ancient India"


        દિલ્હીના લોh સ્તંભ એક કુતુબમિનાર પાસે છે 

1600 વર્ષ પહેલાંનો એટલે કે ચોથી સદીમાં બનેલો છે એને કાટ નથી લાગ્યો

ચંદ્રરાજ નામના રાજાએ મથુરાના વિષ્ણુ પહાડી ની અંદર બનાવેલો મંદિરનો ધ્વજ દંડ છે જેને ૧૦૫૦ની સાલમાં રાજા અનંગપાલ દિલ્હી લઈ આવ્યા હતા.

રસાયણશાસ્ત્રી B B Lal  કહ્યું છે કે લોખંડના ગરમ 20 ટુકડાઓને જોડાઈને બનાવવામાં આવે છે એવી રીતે બનાવવામાં આવે છે કે જેનો સાંધો દેખાતો નથી તેમાં વધુ ફોસ્ફરસ અને સલ્ફર ,મેંગેનીઝ ઓછું વાપરવામાં આવ્યું છે


    ભારતીય પ્રાચીન વિમાન શાસ્ત્રમાં રડારમાં પણ ન પકડાય એવા વીમાનોનો ઉલ્લેખ છે .એમ કહેવામાં આવે છે કે તમો ગર્ભલોહ નામના ધાતુમાંથી બનાવવામાં આવતો .જે 78 થી 80% પ્રકાશનું શોષણ કરી લે છે .તેને શીશાથી કઠોર બનાવવામાં આવતો કે જે સલ્ફ્યુરિક એસિડમાં પણ ન ઓગળી શકે.પ્રકાશનું શોષણ કરી લેવાથી રડારમાં પણ પકડવા હતા


         ગણિતના શુલબ સુત્રો યજ્ઞની વિધિ માપવા માટે વપરાતી દોરીને શૂલબ કહે છે .આ દોરીથી રચાતો ગણિતનો એક વિષય એટલે કે ભૂમિતિ એટલે એને શુલબ્ શાસ્ત્ર કહે છે


        ડોક્ટર વિજય દયા નામના જયપુરના એક સર્જન એક પ્લાસ્ટિક સર્જરી નો ઇતિહાસ લખતા લખ્યું છે કે

1792 માં ટીપુ અને મરાઠાના યુદ્ધ દરમિયાન કવાસજી નામના ગાડીવાન ના હાથને અને  નાક કપાઈ ગયા હતા, ત્યારે પૂનાના એક કુંભારે એની શલ્ય ક્રિયા કરી હતી. જેને ઇંગ્લેન્ડના ડોક્ટર Thomas Crusho Dr James Findle જોયો હતો ચિત્ર બનાવ્યા હતા જે તેણે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા અને ત્યાંની 1714 ની જેન્ટલમેન પત્રિકામાં છપાયા હતા એનો ઉલ્લેખ મદ્રાસમાં ગેજેટ માં પણ છે

      મીણ નું નાક બનાવવું, તેને ખોલીને કપાળ પર પાથરવું ,એના આકારની કપાળની ચામડીને કાપવી , ચામડીના બે ચીરા પાડી નાકની મુખ્ય જગ્યાએ બંને બાજુ ચિરાવવાની ફસાવવા,Tash  japonica  નામના પીળા કાથા નો ઉપર ડ્રેસિંગ કરવું, અઠવાડિયા સુધી તેને રાખ્યા પછી ઘી નું કપડું ઢાંકો, કપાળ સાથેનો સાધનો ચામડીનો છોડવો અને નાકના કાણાંઓ બનાવવા માટે ગરમ કાપડ પૂમડાં રાખવા, બનાવવા આ પ્રકારનું વર્ણન છે


       રસીકરણ બાબતમાં આપણે બધા એમ માનીએ છીએ કે શીતળા ની રસી એડવર્ડ જેનારે 1798 માં શોધી હતી 

Dr Colt , Dr Oliver વર્ણન કર્યું છે કે 

ઈશા પૂર્વે બંગાળમાં રસીકરણ થતું હતું 

An account of the diseases of Bengal Calcutta ૧૦.૨.૧૭૩૧

માં લખ્યું છે કે શીતળાના માંથી રસી કાઢીને એક વર્ષ રાખીને તેનો નવા બાળકોમાં રસીકરણમાં ઉપયોગ થતો હતો આ માટેનું એક પેપર ઓપરેશન ઓફ ઇનોક્યુલેશન ઓફ બેંગાલ બંગાળ અને ઓરિસ્સામાં, ધન્વંતરિ  નામના લોકો આ કામ કરતા હતા


      મહાભારત ની અંદર ગાંધારીને 101 સંતાનો થવા પાછળ પણ ક્લોનીંગ નું વિજ્ઞાન હોય એનું વર્ણન મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 115 માં કરવામાં આવ્યો છે ડોક્ટર માતા પુર કરે પણ સ્ટેમ સેલ બીજ કોશિકામાંથી અંગ નિર્માણની વાત કરેલી છે


        વિશિષ્ટ ગુણ યુક્ત સંતાન નિર્માણ માટે પણ આપણે ત્યાં ઉલ્લેખ થયેલા છે અમેરિકાની અંદર journal of Herodity

Article missigan uni 

Alain. F Corcos નામના લેખકનો એક આર્ટિકલ છે

 રીપ્રોડક્શન માંથી સંતાનો ઉત્પતિ વિશેની વાતમાં ત્યાં લેવામાં આવે છે


1. ગૌરવપૂર્ણ એક વેદ જાણનાર પુત્રની ઉત્પત્તિ માટે દૂધ ભાત અને ઘી પતિ પત્નીએ ખાવાં

2. કપિલ વર્ણ બે વેદ જાણનાર પુત્ર માટે દહીં ભાત અને ઘી પતિ અને પત્ની બંને એ ખાવા

3. શ્યામ વર્ણના ત્રણ વેદ જાણ નાર  પુત્ર માટે જલ ભાત અને ઘી પતિ અને પત્ની બંને એ ખાવા

4. પૂર્ણ આયુષ્યવાન પ્રસિદ્ધ વિદ્વાન કન્યા માટે તલ અને ભાતની ખીચડી ફક્ત પત્ની માટે ખાવી

5. ચાર વેદ જણનાર પ્રસિદ્ધ વિદ્વાન પુત્ર માટે અડદ ભાત ની ખીચડી અને ઋષભ ઔષધી પતિ અને પત્ની બંનેએ લેવી

મેગ્નેશિયમ પોટેશિયમ કેલ્શિયમ અને સોડિયમ એ લિંગ નિર્ધારણ માટે ઉપયોગી છે સોડિયમ અને પોટેશિયમ વધુ પ્રમાણ અને કેલ્શિયમ અને મેગ્નેશિયમનું ઓછું પ્રમાણ પુત્ર જન્મ માટે કારક છે અને એનાથી ઊલટું પુત્રી જન્મ માટે 

આ પ્રકારના આયનો x અને Y  chromosome  મિલન પ્રક્રિયામાં પોતાનો ભાગ ભજવે છે


________

ઈસરો નું નવું મિશન

ચંદ્ર સૂર્ય બાદ હવે સૌર મંડળના રહસ્યો માટે

નવો મિશન 1 જાન્યુઆરી 2024 થી શરૂ થાય છે જે પી એસ એલ વી દ્વારા લોન્ચ થશે

બ્લેક હોલસ ન્યુટ્રોન સ્ટાર્સનો અભ્યાસ કરશે

એક્સ રે પોલારી મીટર સેટેલાઈટ હશે આની પહેલા નાસાએ આવો એક સેટેલાઈટ લોન્ચ કર્યો હતો

_____

યજ્ઞો દ્વારા પ્રદૂષણનો નિવારણ

વધતું જતું ગ્લોબલ વોર્મિંગ પીગળતા જતા દક્ષિણ ધ્રુવ એન્ટાર્ટિકા ની હિમશીલાઓ વધતી જતી નવી નવી વાયરસની બીમારીઓ માટે

અટલ બિહારી બાજપાઈ ના અંગત વૈજ્ઞાનિક અને અંત પરીક્ષા સ્ત્રી ડોક્ટર ઓપી પાંડેએ કહ્યું છે કે

ભારતીય સંસ્કૃતિ ઋષિ પરંપરા દ્વારા યજ્ઞ એક ઉકેલ છે

ના દ્વારા ઉત્પન્ન થતા ઈથીલીન ઓક્સાઇડ અને પોલી પ્રોપેલીન ગેસ પ્રદૂષણ નિવારવામાં મદદ કરે છે

એક દિવસના યજ્ઞથી 100 યાર્ડ સુધીનો વિસ્તાર એક મહિના સુધી પ્રદૂષણ રહિત થાય છે

વડના ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવાથી નીચે મળતું મેગ્નેશિયમ ફોસ્ફરસ વાંચનારની સ્મૃતિ વધારે છે

આપણા ઘરોમાં કરવામાં આવતા દીપકથી શુદ્ધ ઘી દ્વારા દીપક થી નીકળતા વાયુઓ વજનના સ્તરના કાણાઓને રિપેર કરે છે

_____

વિજ્ઞાનનું મહત્વ

જ્ઞાની બધી જળ કેતન વસ્તુઓનું નિયમન ચોક્કસ સિદ્ધાંતો દ્વારા થાય છે

વિજ્ઞાન સાથેનો અનુબંધક સૃષ્ટિ જેટલો જૂનો છે

ઋષિઓએ ધર્મ અધ્યાત્મ અને વિજ્ઞાનને જોડવાનું કહ્યું છે ધર્મ વગરનો વિજ્ઞાન આંધળું છે અને વિજ્ઞાન વગરનો ધર્મ પાંગળો છે

ફક્ત કર્મકાંડ નહીં તેનું એક વિશેષ મહત્વ છે પણ તેની પાછળ રહેલા સિદ્ધાંતોને ધર્મ ન ભૂલવા જોઈએ

સૂર્યનારાયણ રન્ના દેને ત્યાંથી સવારે સાત ઘોડા માં નીકળે છે ને સાંજે પરત ફરે છે એ સૂર્યનારાયણના સફેદ કિરણોમાંથી સાત રંગોની વાત છે

વિજ્ઞાનમાં કહેવાય છે શક્તિનો નાશ થતો નથી ફક્ત રૂપ બદલે છે આપણે પણ વિવિધ માતા અને દેવીઓની પૂજા કરે છે પરંતુ મૂળ શક્તિ તો એક જ છે

વિજ્ઞાનના પુસ્તકો વસાવીએ અને તેના મેગેઝીન વાંચીએ

______

છઠ્ઠી સદીમાં તુર્કસ્થાનનો લૂંટારો મહંમદ બિન વખતે ખીલજી ભારતમાં આવે છે ભારતની લૂંટ દરમિયાન તે બીમાર પડે છે પરંતુ તેના હકીમો તેને સાજો કરી શકતા નથી ઘણા લોકો તેને સલાહ આપે છે કે નાલંદા વિશ્વવિદ્યાલયમાં રહેલા આયુર્વેદના નિષ્ણાત રાહુલ શ્રી ભદ્ર જેને મળે

રાહુલજી તેના નિદાન અને ઉપચાર માટે તૈયાર થાય છે પરંતુ બખતયાર ખીલજી શરત રાખે છે કે તે કોઈ ભારતીય દવાઓ નહીં લે અને પોતે રોગમુક્ત નહીં થાય તો તેનો વધ કરશે

રાહુલ શ્રી ભદ્રજીએ એક કુરાન આપ્યું અને રોજ તેના પતાવો ફેરવીને વાંચવા ગયો આમ રોજ કુરાનના પત્તાઓ ફેરવતાને વાંચતા તે સાજો થયો

પોતાના હકીમ નહીં પરંતુ ભારતના આયુર્વેદિક શાસ્ત્રીય પોતાનો રોગ મટાડ્યો તે પોતાના હકીમ કરતા વધુ જ્ઞાની છે તે સહન ન કરી શકતા વખતે આ ખીલજીએ સમગ્ર નાલંદા વિશ્વવિદ્યાલયનો નાશ કર્યો જેને પુસ્તકાલયને સળગતા અને ત્રણ મહિના લાગ્યા હતા

રાહુલ શ્રી ભદ્રજીએ કુરાનના પત્તાઓ ઉપર તેના રોગ માટેની દવા લગાડી હતી પત્તાઓ ફેરવતી વખતે આંગળીથી ફેરવતા અને આંગળીને અડાળતા અને ક્યારેક સુગંધથી પણ તે દવાઓ તેના શરીરમાં ગઈ અને રોગમુક્ત કર્યો હતો આવી હતી આપણી આયુર્વેદિક વિજ્ઞાન દવાઓની વિશેષતાઓ

______

ભારતમાં વિવિધ રોગો મટાડવા માટે વિજ્ઞાનની સાથે કલાઓ પણ જોઈન્ટ થયેલી હતી પંડિત ઓમકારનાથ ઠાકુર વિદેશમાં ઇટાલીના  મુસલોની ના Insomnia  ઊંઘના આવવાના રોગ માટે પોતે સંગીતના " 

પુરિયા "રાગોથી તેનો ઉપચાર કર્યો હતો પરંતુ ત્યાં રહીને ત્યાંના લોકોની સેવા કરવાનું ખૂબ મોટા સન્માન સાથે પણ ઇનકાર કર્યો હતો


આજે જ્યારે ભારત વિશ્વના વૈજ્ઞાનિકો ની ટોચ ઉપર આવી ગયું છે 

થોડા જ સમય પહેલા ચંદ્રયાન ત્રણ નું સોફ્ટવેર લેન્ડિંગ ચંદ્ર ઉપર થયું ફક્ત ભારતના વૈજ્ઞાનિકો સરકાર અને સંકળાયેલી સંસ્થાઓ નહીં પરંતુ સંપૂર્ણ ભારતની પ્રજાને એના માટે સ્વાભિમાન અને ગર્વ ની લાગણીઓ થઈ છે 


વિશ્વના અનેક દેશોના ઉપગ્રહ ભારતમાંથી આપણે અવકાશમાં મૂકી રહ્યા છે ભારતે અણુ શસ્ત્રો મતેફકતા નહીં પરંતુ શાંતિપ્રિય વિષયો માટે બનાવતા અણુશક્તિના સફળ પ્રયોગો કરી ચૂક્યું છે 

ભારતના વૈજ્ઞાનિકો ની નાસા જેવી સંસ્થાઓએ પણ ભરપેટ વખાણ કર્યા છે


 ત્યારે આપણે ભારતીયતાના ગૌરવ સાથે આપણા જુના વિજ્ઞાનના શાસ્ત્રોને સાચા અર્થમાં સમજીએ સંશોધિત કરીએ અને ભારતનું નામ રોશન કરવામાં આગળ આવીએ એ જ અપેક્ષા