Wednesday, March 12, 2025

પૂ મોરારીબાપુ ની સોનગઢમાં રામ કથા અને જનજાગરણ







 


•      પૂજ્ય મોરારીબાપુની ડાંગ વિસ્તારમાં સોનગઢ મુકામે રામકથા ચાલી રહી છે .
           ૨૦૦૫  ની સાલમાં પૂજ્ય મોરારીબાપુ એ શબરીધામ (સુબીર)સ્થાને રામકથા કરી હતી. ત્યારે ત્યાંના જનજાતિય લોકો _આદિવાસી બંધુઓને કથામાં સૌથી આગળ બેસાડતા અને કહેતા તમે તો મા શબરીના વંશજો છો કે જેમના ઘરે ભગવાન રામ આવ્યા હતા. કથાના અંતે મોરારીબાપુએ આહવાન કર્યુકે અહીંયા એક શબરી કુંભ થઈ જાય .રાષ્ટ્રીય અને સામાજિક કામ કરતા અનેક કાર્યકર્તાઓ ,વનવાસી કલ્યાણ આશ્રમ, ધર્મજાગરણ અને શ્રદ્ધા જાગરણના કાર્યકર્તાઓ તથા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકોએ બાપુનું આ આહવાન ઉપાડી લીધું. 2006 ની સાલમાં ત્યાં ખૂબ મોટો શબરી કુંભ થયો .મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના વનવાસી વિસ્તારના બંધુઓ ખૂબ મોટી સંખ્યામાં ત્રણ દિવસ શબરી કુંભમાં હાજર રહ્યા . પૂ શંકરાચાર્ય અનેક સાધુ સંતો ને ગુજરાતના એ વખતના મુખ્યમંત્રી મા.નરેન્દ્રભાઈ મોદી પણ તેમાં ઉપસ્થિત રહ્યા .આ શબરી કુંભના કારણે આ વિસ્તારમાં હિન્દુત્વનું વાતાવરણ દ્રઢ બન્યું. ધર્માંતરણ કરેલા અનેક લોકોએ પોતાના મૂળ સનાતન ધર્મમાં પરત કર્યા. એટલું જ નહીં પરંતુ ખરેખર રામ ,હનુમાનજી મહારાજ અને શબરીના ભક્તિ ફરી વળી .
             ફરીવાર આ જ વિસ્તારની અંદર ધર્મ જાગરણ અને સમાજને ભ્રમ ફેલાવીને પોતાની મેલી મુરાદ બાર લાવતા  લોકોથી સાવચેત કરવા માટે અને અનેક બંધુઓ જે ભગવાન રામ અને શબરીના નામથી આંદોલિત થયા છે તેમને ફરીથી સંબોધવા માટે પૂજનીય મોરારીબાપુએ આ કથા ત્યાં આપી . પૂ બાપુના અનુયાયીઓએ બધી જ વ્યવસ્થા ઉપાડી લીધી .આસપાસના વિસ્તારનો ધર્મજાગરણનું કામ સ્થાનિક કાર્યકર્તાઓએ કર્યું. ગામે ગામ અને ઘરે ઘરે સંપર્ક, કાર્યક્રમોની આમંત્રણ પત્રિકા ,સ્ટીકર અને હનુમાનજીના લોકેટો વહેચાયા.30 કરતાં વધારે પૂર્ણકાલીન અને ખૂબ મોટી સંખ્યામાં અન્ય  કાર્યકર્તાઓ સતત મહેનત કરતા રહ્યા .મહિલા સંમેલન ,યુવા સંમેલન અને સ્થાનિક ભગતો અને મહિલા ભગતોના પણ સંમેલનો યોજાયા .તેનું પરિણામ જે ચાલી રહી મોરારીબાપુની કથામાં ઉપસ્થિત જનમેદની દેખાય છે.
           પૂજનીય બાપુએ પણ ખુલીને બધાને પોતાના મૂળ ધર્મમાં જોડાઈ રહેવા માટે આહવાન કર્યું છે .આ કથામાં તારીખ 10 માર્ચના રોજ મને  શ્રવણ લાભ મળ્યો અને પૂજનીય બાપુના આશીર્વાદ પણ. સ્થાનિક કાર્યકર્તા સાથે તેમણે કરેલી અને કરી રહેલ મેહનત બિરદાવી. 
         આગળના સમયમાં આ જાગરણ નું અનુવર્તન અને પરિવાર સંપર્ક કરી બધાને રામાયણ અને ગીતા આપવાનું નક્કી થયું. સ્થાનિક ભગતોની રજૂઆત સાંભળીને પૂજનીય બાપુના આહવાનને માન આપીને દાનવીરોએ આ વિસ્તારમાં 32 થી પણ વધારે સ્થાનોમાં હનુમાનજીના મંદિરો બનાવી આપવા માટેની તૈયારી બતાવી છે .એટલું જ નહીં પરંતુ આવતા વર્ષે આ પ્રકારની જાગરણની બીજી કથા પણ આ જ વિસ્તારમાં કરવા માટે પણ દાતા આગળ આવ્યા છે.ત્યા સાંભળેલા પૂજનીએ બાપુના વિચારોના થોડાક બિંદુઓ અહીંયા રજૂ કરું છું
• પૂજનીએ બાપુની આ કથામાં બાપુને આ વિસ્તારમાં આવવા માટેનું આહવાન નમ્ર સૂચન કરનાર બહેન ભાવિન બેન પટેલ કે જે મહુવા વાલોડમાં રહે છે તેમને બાપુએ વ્યાસપીઠ પર બોલાવી સન્માન કરી ભેટ પ્રતિક અર્પણ કરેલ
• આ કથા દરમિયાન ભગતોના સંમેલન ની અંદર સ્થાનિક ભાષામાં શબરી માનું ગીત પ્રચલિત કરનાર પૂર્ણકાલીન કાર્યકર્તા ભાઇકુભાઈ પવાર કે જેઓ ડાંગના છે સરકારી નોકરી છોડીને આ ધર્મજાગરણનુ કામ કરી રહ્યા છે તેમને પણ સ્ટેજ ઉપર બોલાવી સંપૂર્ણ શબરીનું આ ગીત ગવડાવી બાપુએ તેમનો સત્કાર કર્યો.
• આ  અનાદિવાસીઓની ભૂમિને મારા પ્રણામ
• આપણું કંઈ નથી આપણો ફક્ત એક જ છે અને તે છે આપણો રામ
• વનવાસી દીકરી હોય ને એટલે તો બહુ દોડી શકે 
• માતંગ ઋષિએ શબરીનો સ્કવીકાર કર્યો પોતાના આશ્રમમાં રાખી
• શબરી નો પ્રશ્ન શું મને રામ મળશે ?માતંગ ઋષિ નો જવાબ તને જરૂર મળશે .મને હજુ સુધી નથી મળ્યો પણ તને જરૂર મળશે .માતંગ ઋષિને નિર્વાણ મળ્યુ  પરંતુ નિર્વાણ નાયક ન મળી શક્યા .
• શબરીની ઝુંપડી  પૂછતા પૂછતા ભગવાન રામ આવે છે 
• ઉત્તરમાં વ્યાસ ઋષિ નો આશ્રમ પણ બદ્રિકાશ્રમ છે અને દક્ષિણમાં શબરી નો આશ્રમ પણ બદ્રિકાશ્રમ છે 
• ધીરજ કેવી !ચાખી ચાખી મીઠા બોરના ઠળિયા ગોતી તેને વાવે એ આમાંથી મીઠા બોર નું ઝાડ થાય અને મારા ભગવાન રામને હું મીઠા મીઠા બોર ખવડાવું 

 

"ક્યારે આવે રામ મારો ક્યારે આવે રામ"

• સેવાના નામે કે પ્રલોભનના નામે કોઈએ મૂળિયામાંથી તમને દૂર કર્યા હોય તો પાછા આવો.પાછા વળી જાઓ સનાતનના મૂળિયા તમને બોલાવી રહ્યા છે . પાછા ફરો આવી જાવ.સનાતનનું એક મુળિયું તલગાજરડા છે તે તમને આવકારે છે
• "આ લોટકે આજા મેરે ...."
• આપ સૌ આદિવાસીઓ અનાદિવાસીઓ આપ સૌને હું મળવા આવ્યો છું તમને જગાડવા આવ્યો છું. તમે સાવધાન છો સચેત છો છતાંય કોઈ કારણવશ જો નિંદ્રા આવી ગઈ હોય તો તમને જગાડવા આવ્યો છું. કોઈ કારણ વશ દૂર જતા રહ્યા હોય તો તમને બોલાવવા આવ્યો છું. જગાડીને જતો નહિ રહુ.મારા પરિવારમાં તમને ભેળવી દઈશ. ફક્ત મોરારીબાપુ નહીં સનાતન ધર્મની વ્યાસપીઠ તમને સ્વીકારવા તૈયાર છે.
• રામ નામ એ મંત્ર છે અને એનું પરિણામ કેવું છે !ભગવાન શંકર પણ કાલકોટ નામનો ઝેર રામ અને વિષની સંધિ કરીને પી ગયા અને વિશ્રામ થઈ ગયો. ફક્ત રામ નામ નો મહિમા .રામ મંત્ર બોલો .તમારો બેડો પાર .
• મારી કથાએ મારો સ્વાધ્યાય છે. હું તમને સાદ પાડવા આવ્યો છું બીજા ધર્મની બહુ વાતો સાંભળી પરંતુ આપણા મૂળ ધર્મ ને કેમ ભૂલી ગયા .તમારો મૂળ ધર્મ સનાતન ધર્મ છે અને એના વગર બાકી બધું અધૂરું છે .
• અન્ય ધર્મના લોકો કેવી રીતે નાના નાના બાળકોને પણ ભ્રમમાં નાખીને મન પરિવર્તન કરે .પોતાના ધર્મના ભગવાનની મૂર્તિ લાકડાની હોય હિન્દુ ધર્મના ભગવાનની મૂર્તિ લોખંડની હોય. બંનેનો દેખાવ સરખો રંગ સરખો પાણીમાં નાખે એટલે પોતાના ભગવાનની મૂર્તિ લાકડાની હોય તરી જાય અને હિન્દુ ધર્મના ભગવાનની મૂર્તિ લોખંડની હોય એટલે ડૂબી જાય .પછી કહેજો આ તમારા ભગવાન તો પોતે ડૂબી ગયા તમને કેમ તારશે ,તારે તો અમારા ભગવાન. એક માર્ગી સાધુએ તો કહ્યું અમારે ત્યાં જળ પરીક્ષા ની નહીં પણ અગ્નિ  પરીક્ષાના છે.રહેવા જ છે ચાલો તમારી મૂર્તિ અને અમારી મૂર્તિ અગ્નિમાં નાખીએ પછી જોઈએ પરિણામ.

Wednesday, February 12, 2025

प्रयागराज महाकुंभ मेला-२०२५


 

प्रयागराज में अभी महाकुंभ मेला चल रहा है। मकरसंक्रांति से लेकर शिवरात्रि चलने वाला यह महाकुंभ 12 साल के बाद आया है ।समुद्र मंथन के बाद अमृत कलश ले जाने के समय अमृत के बिंदु जहां-जहां गिरे ये चार स्थान प्रयागराज ,हरिद्वार, उज्जैन और नासिक के स्थान पर कुंभ मेला लगता है ।दुनियाके लोगके लिए एक अजीब सवाल है यह एक ऐसा मिला है  जहां कोई आमंत्रण देने वाला नहीं होता ।फिर भी हिंदू धर्म में मानने वाले सनातन हिंदूधर्मी कहीं भी हो अपने आप को कुंभ में आकर पवित्र स्थान करने का मन में इच्छा रखता है ।

            इस बारकी यह प्रयागराज की कुंभ की यात्रा एक विशेष रही ।शासन प्रशासन की व्यवस्था ,स्वच्छता ,आए हुए लोगों की अनुशासन से चलने की क्षमता और एक दूसरे को मदद करने की भावना जगह-जगह को देखनेको मिली। गंगा यमुना और सरस्वती के त्रिवेणी संगम पर स्नान करना अपने आप जीवन में एक बहुत महंगा अवसर होता है। इनके लिए लोग कहीं दूर से अपने-अपने जो वाहन मिले उससे वहां आते हैं ।और चलते हुए ,परिश्रम करते हुए स्थान का आनंद लेते हैं ।इतनी ज्यादा लोगों की भीड़ होने के बजाय अपेक्षा से बहुत कम समस्या निर्माण होती है ।यह हमारा एक अनुशासन ही कहा जाए ।                  इस बार यह कुंभ मेला का प्रचार प्रसार और लोगों में आने का आकर्षण बहुत बड़ा है। हमने देखा बहुत से युवा लोग अपने परिवार के साथ कुंभ में स्नान करने पहुंचे।देश के राष्ट्रपति, प्रधानमंत्री से लेकर कई राजकीय, सामाजिक आगेवन और सभी पंथ संप्रदाय के संतों ने इनका लाभ लिया है। विशेष कर अनुसूचित जाति, जनजाति में लोकप्रिय संत ,शिख संप्रदाय के संत और बौद्ध धर्म के अनुयाई भी कुंभ में आए । एक समरसता का वातावरण निर्माण हुआ वसुधैव कुटुंबकम का दुनिया भर को आग्रह करने वाला देश है। 40 से 50 करोड लोग एक स्थान पर निश्चित समय मर्यादा में एकत्र होकर एक साथ मां गंगा की उपासना करें और त्रिवेणी  संगम स्नान करें यह भारत में ही हो सकता है ।यही बताता है कि यही रास्ते से हम विश्व गुरु के स्थान पर अपनी नियति निभाते निभाते पहुंचेंगे। भारत माता की जय।

Thursday, September 26, 2024

Khokhra hanuman katha









શ્રી ખોખરા હનુમાન ધામમાં સદગુરુ પરમ પૂજ્ય શ્રી કેશવાનંદ બાપુની સમાધિના રજત જયંતિ વર્ષ નિમિત્તે શ્રી માં કનકેશ્વરી દેવી આયોજિત શ્રીમદ ભાગવત કથા માં ઉપસ્થિત રહીને દર્શન અને આરતીનો લાભ મળ્યો કથામાં અનંત વિભૂષિત મલૂક પીઠાધીશ્વર શ્રી રાજેન્દ્ર દાસજી મહારાજનો દ્વારા શ્રવણ જ્ઞાન લાભ પ્રાપ્ત 


 

Pu Shankaracharya Sadanand Sarswati


 He met at Dhurvnahar 

Saturday, September 21, 2024

पू स्वामि सत्यमित्रानंदजी प्राकट्य दिन और वाल्मीकि संत संमेलन : कर्णावती दि १९.९.२४

 


 પૂજ્ય સ્વામી સત્ય મિત્રાનંદજી એટલે આધ્યાત્મિક દિગ્ગજ

પૂર્વ શંકરાચાર્ય 

પદ્મભૂષણ (૨૦૧૫)

26 વર્ષની નાની ઉંમરે શંકરાચાર્ય બન્યા 1960 અખાત્રીજના દિવસે 

તેમનો પ્રાગટ્ય દિન જન્મદિન એટલે 19 સપ્ટેમ્બર 1933 આગ્રાના ઉત્તર પ્રદેશમાં સીતાપુરના વતની 

અનેક વર્ષો સુધી હિન્દુ સમાજને આધ્યાત્મિક માર્ગદર્શન અને સમાજના ગરીબ છેવાડાના વર્ગોના હંમેશા ઉત્કર્ષમાં રહેલા સ્વામીજી નું સ્વર્ગા રોહન થયું 25 જૂન 2019 તેમના ભાઈ ન્યાય મિત્ર હંમેશા ની સાથે રહ્યા પિતા શિવ શંકર પાંડે કે શાળાના શિક્ષક હતા અને માતાનું નામ ત્રિવેણી 

બચપણનું તેમનું નામ અંબિકા પ્રસાદ હતો

 

સ્વામીજી 1960 માં શંકરાચાર્ય બન્યા પછી 1969 સુધી આ પદ નિભાવે 9 વર્ષ પછી 19 69 માં શંકરાચાર્ય પદમાંથી મુક્તિ માંગે તેઓ જ્યોતિ મઠની ઉપપીઠના શંકરાચાર્ય તેમના ગુરુએ બનાવેલા શંકરાચાર્ય પદ છોડવાનું કારણ ગરીબ વસ્તી વચ્ચે જઈને સેવા કરવામાં શંકરાચાર્ય પદની અનેક મર્યાદાઓ નું પાલન અઘરું પડતું હતું શંકરાચાર્ય પદ છોડી અને પોતાની દંડી પરંપરા નો દંડમાં ગંગામાં વાવે સમાજ વચ્ચે પોતે ગયા તેમના શિષ્ય પૂજ્ય અવધેશાનંદજી આજે પણ સમાજને માર્ગદર્શન કરી રહ્યા છે સંઘ સાથેનો સંબંધ એટલે કે જેવુ શંકરાચાર્ય પદ છોડ્યું તરત જ એ વખતે ઈન્દોરમાં રાષ્ટ્રીય પેન્સિલના સરસ અંગચાલક પૂજનીય ગુરુજીને તેઓ મળીને સમાજ સેવાની પોતાના કામની ઈચ્છા વ્યક્ત કરી 

 

1960માં ભાનુપુરા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ ગીરીએ જ એમને સન્યાસ દીક્ષા આપી અને પછી પોતાના ઉતરાધારી બનાવ્યા હતા 

 

સ્વામીજીની વિશેષતા એટલે કે તપસ્વી હતા છૂટાછુત અસ્પૃશ્યતાના પ્રબળ વિરોધી હતા સામાજિક સમરસતાના રોહા અને આગળ ચાલીને સમાજ હતા વનવાસી આદિવાસી અનુસૂચિત જાતિ અને જનજાતિમાં તનતોડ સેવા કરીને અનેક લોકોને આવા શુભકામમાં લગાડ્યા હતા. નાની ઉંમરે શંકરાચાર્ય પદ મેળવ્યું હતું. સામાજિક વ્યવહારો અને કામોમાં પ્રતિ મુશ્કેલીને કારણે મુક્ત થયા હતા 

 

તેઓ હંમેશા સંઘ વિચારોના સમર્થક રહ્યા હરિદ્વાર ની અંદર 108 ફૂટ ઊંચો એટલે કે આઠ માળનો ભારત માતા મંદિર નું નિર્માણ કર્યું. 1883 ની સાલમાં જેનું ઉદ્ઘાટન કરવા સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી પોતે આવ્યા હતા. આ મંદિરમાં ભારત માતાની વિશાળ મૂર્તિ સાથે આ દેશના અનેક મહાપુરુષો અને શહીદવેરોના સ્મૃતિ અને મૂર્તિઓ બિરાજમાન છે તેમનું બજ પણ અધ્યાત્મમાં દસ વર્ષની નાની ઉંમરે નિસરણીમાં ગયા હતા અને સ્વામી વેદવ્યાસાનંદ સરસ્વતીની પાસે મને શિક્ષણ લીધી હતી તેઓએ સમન્વય સેવા ટ્રસ્ટની સ્થાપના કરી હતી કે અનેક સેવા કાર્યો કરે છે જેવા કે વેદ વિદ્યાલય ઉર્જાશ્રમ વિકલાંગોની સેવા પુષ્ઠરોગીની સેવા ચિકિત્સા માટેના વાહનો શહીદ પરિવારોની સેવા સફાઈ કર્મચારીઓની સેવા અને દૃષ્ટિ હિના ની સેવા 

 

2018 ની સાલમાં રામ મંદિર નિર્માણ થાય તો દે ત્યાગ અનુસંધ દ્વારા કરવાની પણ તેમણે ચેતવણી ઉચ્ચારેલી અને અનેક લોકોની વિનંતીને માન આપીને સરકારે આપેલી પેન્સ્યુરન્સને માનીને તેમણે પોતાનો વિચાર મુલતવી રાખ્યો હતો 2019 ની સાલમાં તેઓ ના આત્માને વિદાય લીધી અને સદેહે તેઓ રામ મંદિરનું નિર્માણ ઉદઘાટન ગયા વર્ષે થયું એ જોઈ ન શક્યા 

 

 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સત્ય મિત્રાનંદજીને અંગત પારિવારિક સંબંધો રહ્યો નિયમિત સારણીયા ના અભ્યાસકાર દરમિયાન નજીકમાં રહેલા સંઘના સિદ્ધ શિબિરમાં આવેલા સર સંચાલક પૂજની ગુરુજીને સ્વામીજી કે જે અત્યારે અંબિકા પ્રસાધતા મળવા ગયા હતા તેમને શંખ કાર્યમાં શ્રદ્ધા હતી તેમણે આશ્રમમાં આવવા પૂજની ગુરુજીને નિમંત્રણ આપ્યું હતું પરંતુ કામની વ્યસ્તતાના કારણે જ શક્ય નથી બને પરંતુ પૂજને ગુરુજીએ તેમને સાથે બેસાડ્યા હતા. વાતો કરી હતી ઘરમાં દૂધ તેમની સાથે પીવડાવ્યો હતો. 1949 માં નાના જે દેશનું સંઘના પ્રચારક એમનું ભાષણ સાંભળીને સંઘના વિચારોની સ્પષ્ટતાથી એ સંઘના અનેક સમાજસેવાના કાર્યક્ષમમાં સહાયક બન્યા હતા 

 

પૂજનીય ગુરુજી જન્મ દિવસ 2006 ના શતાબ્દી સમારોહ સમિતિના અધ્યક્ષ તરીકે તેમણે બધા જ કાર્યક્રમનો સુપેરે માર્ગદર્શન કર્યું હતું 

 

 

 

સ્વામીની જેની વિશેષતાઓ 

આધ્યાત્મિક દિગજ 

હિન્દુ ધર્મને સંસ્કૃતિ માટે ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળના સમન્વય કરતા શાણપણ યુક્ત દૂરદર્શી માર્ગદર્શન કરનાર શ્રેષ્ઠ માર્ગદર્શક 

જેમણે 1960માં કેનિયાની વિદેશ યાત્રા કરી હતી. ચુંબકીય વ્યક્તિત્વ શક્તિશાળી વકૃત્વ અખંડવાણી સ્વરૂપે ગંગાધારા પ્રતિબંધ અનુયાયીના નિર્માણ હિંદુ એકતા માટે સતત પ્રયાસ સનાતન ધર્મનો પ્રચાર વિશ્વ હિન્દુ પરિષદના માર્ગદર્શક વિદેશોમાં હિન્દુસ્તાન અને વિશ્વનું પરિષદના મોટા આશ્રય દાતા વિરાટ હિંદુ સંમેલન ઉદબોધન કરનાર આધ્યાત્મિક મેળાઓ કે જેની અંદર ભારતમાં ઉત્પન્ન થયેલ ધર્મવલંબીઓ હિન્દુ જૈન શીખ બૌદ્ધનો સમન્વય કરતા વનવાસી જનજાતિ વચ્ચે સહજતાથી રહીને સમાજને પોતાનો ભંડાર ડીંડોલી વનવાસી સંમેલનનો માર્ગદર્શન સમરાસતા યુક્ત મહા કુંભનો નિર્માણ શબરી કુંભની સફળતામાં અને ગોળ હત્યા રોકવા માટે સતત કાર્યરત

 

બોધવાક્યો

ઈશ્વર પર વિશ્વાસ કરવાવાળા ઇતિહાસ કહે છે જીવવિજ્ઞાન છે અને જીતી જાય છે જે મહાત્મા બનવા માગે છે તેને વસ્ત્ર બદલવાની જરૂર નથી શ્રેષ્ઠ પુરુષ પોતાના આચરણ દ્વારા સમાજ પ્રવચન કરી શકે છે આધ્યાત્મિકતા આજથી જીવનનો પક્ષધર છે જે અહંકારને ઉઘાડે છે જે પરમાત્માનું વિશ્વ કરે તેની આધ્યાત્મિક સંપતિ નું શરણ થાય છે જે સાધક સાધનની તળેટીમાં ઉભો રહી પોતાનામાં સ્થિત થાય છે તે એકતામાં સ્થિત થઈ શકે છે ભક્તિ વગર માનવ જીવનમાં પૂર્ણતા આવતી નથી સાધુ સંન્યાસીએ સમાજનું આરોગે છે તો તેને સમાજને નિષ્પક્ષ માર્ગદર્શન કરવું જોઈએ

 

કઠોર અનુસાશનમાં માનવા વાળા હતા 

• નિયમ અને સમયની બાબતમાં પ્રતિબધ્ધતામાં માનતા 

અવધેશાનંદજી કહે છે તેમને રાત્રે 2:40 વાગે પાણી જોઈએ, માટે બરાબર આ સમય બરાબર યાદ રાખવો પડે એમનો કહેવાનો મતલબ હતો કે ઊંઘમાં હોઈએ 

 

કે કોઈ પણ કામમાં હોય એ નિશ્ચિત સમય નક્કી કર્યો ત્યારે આપણી જાગવાની તૈયારી હોવી જોઈએ તેઓ રોજ સવારે 3:30 વાગે ઊઠીને સ્નાન કરતા આ નિયમ તમને ધર્મેશ પાડવાનો પ્રયત્ન કર્યો 

• તેઓ પોતાના શિષ્યોને પણ ખૂબ આદર આપતા ક્યારેય શિષ્યને કોઈ વાત કરવી હોય તો સીધા સૂચનને બદલે પછે રેલી અન્ય વ્યક્તિને સૂચના આપી અને શિષ્ય સમજે તેવું ઈચ્છતા નંદજી કહેતા કે પોતાની પાસે રહેલા અભણમાં જઈને ન્યાય મેમાન્સાને વૈદિક વાતો કરીને આપણા માટેનો સંદેશ આપતા 
• ધર્મ અને સંસ્કૃતિના કામ માટે પોતાના શરીરને ખૂબ જ પરિશ્રમ આપ્યો વિદેશ જતી વખતે સતત 20 20 25 કલાકના પ્રવાસ પણ તેમને કર્યા હતા, 
•  

સ્વામીજીને શ્રદ્ધાંજલિઓ 

બાબા રામદેવજી 

• સ્વામીજીના શ્વાસમાં હંમેશા ભારતમાતાની જઈનો જ અવાજ રહેતો 
• તેઓ સમન્વયના દેવતા હતા. 
• રાષ્ટ્રધર્મ અને જાગરણના પુરોધા 
• ભારતમાતાની આરાધના માટે અને સાધના માટે જીવન વિતાવનાર
• ભારતીય ધર્મ દર્શન સંસ્કૃત અને ઇતિહાસના દિવ્ય ઉપાસક 
• સાધુઓ માટે સતત પ્રેરણા ના સ્તોત્ર 
• દેહ મહત્વનો નથી વિચારને જીવન સંદેશ મહત્ત્વનો છે જીવન નિર્માણના દેવતા રહ્યા 
• મહાપુરુષ ,મહાન સન્યાસી યોદ્ધા ,યોગી અને કર્મયોગી બધા જ યોગના સમન્વય કરનાર 
• પ્રસ્થાન કરતી વખતે આ બધું આપણને આપીને ગયા 
• પતંજલિ યોગપીઠ ની અંદર તેમનું 27 વર્ષથી સતત યોગદાન રહ્યું
• ગૌ માતાની હત્યામાંથી મુક્તિ માટે તેમનો સંકલ્પ હતો અને ગમે તેટલા સમય રાહ જોવાની તૈયારી હતી 
• ગૌમાતા રામ ગંગા અને વેદ માટે પોતે જીવન જીવ્યા 
• તેમના માટે રાષ્ટ્રહિત સર્વોપરી હતું 
• કહેવાય છે કે "ગુરુ કભી મળતા નહીં ,શિષ્ય કભી રોતા નહીં"

 

ગોવિંદ દેવગીરીજી મહારાજ 

• અલ્પ સમયમાં આવા સાધકનું મૂલ્યાંકન કરવું ઘણું મુશ્કેલ 

દશક અને સતત નો સમય સાચો પરિણામ આપણને બતાવશે 

• વિવેકાનંદનો આદર્શ પોતાના જીવનમાં ઉતારી બતાવ્યું 
• રાષ્ટ્રની ધર્મની પૂજાનું તીર્થ એવું ભારત માતા મંદિરનું નિર્માણ બનાવ્યું ,ઈંટ ગારાનું મકાન નહિ પરંતુ આધ્યાત્મિક ચેતના અને રાષ્ટ્રભક્તિનું કેન્દ્ર બન્યું
• જીવન મૂલ્યોનું નામ એટલે ભારત માતા 
• દિલ્હીના ભાષણમાં કહ્યું હતું કે મને બંદૂક આપો હું અફઝલ ગુરુને હું મારીશ 
• પ્રાણાંત કુપોષણ કરી ગંગા કિનારે રામ મંદિરને ન બંધાય તો આમરણાંત  ઉપવાસ કરવાની તૈયારી હતી 
• ગૌ માતા માટે તેમની આંખમાં હંમેશા આસુ હતા
• તેઓ કહેતા" ગાય બીના ગતિ નહીં, વેદ વિના મતિ નહીં "
• તેના જેવી  મહાન વ્યક્તિ મારા માટે  નાના એવા ગામમાં સંગમેર , માં વેદ વ્યાસ પ્રતિષ્ઠાન ઉદ્ઘાટન પ્રસંગે ત્રણ દિવસ ગમે ત્યારે આપવા માટે તૈયાર થયા .તેમનામાં બીજાના અંતઃકરણ માટે હંમેશા અંતર ભાવ રહેતો 
• એ વેદ વિદ્યાલય આજે એકમાંથી 34 થયા
• તેઓ હંમેશા દેવાનું  જાણતા હતા. 
• પોતાના સન્યાસી બનવાના સમયે કહ્યું હતું કે "માટે જપ તપ પુણ્ય હું બધું જ મારા શિષ્યને અર્પણ કરું છું કોઈ કરી શકે તેવું ?
• આદર્શ મહાપુરુષ, રાષ્ટ્રભક્ત, વીતરાગી સેવક અને દાની હતા 
• તેઓ એક આદર્શ દર્પણ હતા જેમાંથી જોઈને આપણે આપણી ખામીને મર્યાદાઓને દૂર કરી શકિયે

 

પૂજનીય સર સંઘચાલક મોહનજી ભાગવત 

• મેં તેમને સૌથી પ્રથમ 1965 ના નાગપુરના વિજ્યાદશમી ઉત્સવમાં જોયેલા આગલી સાંજે અને બીજું દિવસે સવારે તેમનું પ્રવચન હતું ,ધારા પ્રવાહ રસપ્રદ સૌમ્ય સ્નેહ યુક્ત અને એમના સ્વરમાં મસ્ત થવાય એવું હતું 
• મારા ઇંગ્લેન્ડના હિન્દુ સ્વયંસેવક સંઘના પ્રવાસમાં સ્વામીજી મળ્યા હતા ત્યારે ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સમિતિ નું ઉદ્ઘાટન ભાષણ હતું 

 

તેમની સાથે સંકોચ વગર 40 મિનિટ સુધી ગપ સપ કરવાનો સમય મળ્યો હતો 

• ગુરુજી જન્મશતાબ્દી વર્ષ 2006ના સ્વાગત સમિતિના અધ્યક્ષ બનાવવા માટે મારે તમને મળવાનું થયું .વાણી અંતઃકરણ બંને માં મધુરતા અકૃત્રિમ સ્નેહ , અપરિચિત ને પણ પરિચિત બનાવી દે એવું એમને સ્વભાવ હતો જેને  પોતાના દોષ પણ બતાવી શકાય તેવું એનું સ્થાન .તેમની દિશામાં જવાનો પ્રયત્ન કરીએ .તેમનું કાર્ય પૂર્ણ કરીને જોવું એવો શ્રદ્ધા અને વિશ્વાસ અને વ્યવસ્થાને નિર્માણ કરીએ. સ્વામીજી આજે પાર્થિવ સ્વરૂપમાં નથી પરંતુ અન્ય સ્વરૂપમાં પણ આપણને જોઈ રહ્યા હશે 

ભારત માતાના અમૂલ રત્નો માંહેના એક રત્ન એટલે સ્વામીજી

રાષ્ટ્ર સંસ્કૃતિ નારી માનવતા શિક્ષા અને સમરસતાના સારગર્ભિત  નિષ્પક્ષ પ્રકાશ પાથરનાર 

 

સત્ય શિવ અને સુંદર ની પ્રતિ પ્રેમ ઉત્સાહ અને શ્રદ્ધા જગાવવાના સંસ્કાર નિર્માણ કરનાર 

સંસ્કાર નિર્માણ એટલે જ સંસ્કૃતિ 

ભારતમાતાનું મંદિર પરંપરા ઇતિહાસ મહાપુરુષ અને" હમસબ એક હૈ"નો સંદેશો આપે છે તેઓ હંમેશા શ્રમ મુલક અને સંસ્કાર મુલક શિક્ષણના હિમાયતિ  રહ્યા


Saturday, January 6, 2024

સ્વ. ગોકળભાઇ પરમાર( ભૂતપૂર્વ ધારાસભ્ય મોરબી)








 


સ્વર્ગસ્થ ગોકળભાઈ પરમાર


ગાંધીજી ની સાદગી ક્યાં જોયેલી જવાબ છે ?ગોકળભાઈ

સ્વદેશી નું હરતું ફરતું પરિણામ સ્તોત્ર? એટલે ગોકળભાઈ

મીતભાસી રાજકારણી વ્યક્તિ એટલે ગોકળભાઈ

પ્રજાના સાચા અર્થમાં લોક સેવક ? ગેકળભાઇ આજે સેવાનો ભાવ અને મહત્વકાંક્ષા, કટાક્ષ માં કહીએ તો ચૂંટણીમાં ટિકિટ સેવા કરવા માટે માંગે 

મોરબીની મચ્છુ હેનારત વખતે મહેનત અને બાબુભાઈને અહીંયા રહેવા માટેની વિનંતી કરનાર

પોતાના પરિવારને વારસો નહીં પરંતુ સાચા કાર્યકર્તાને વારસો ઉદાહરણ :દેવકરણભાઈ ,અનિલભાઈ

વિચાર સાથે સંમત ન હોય પરંતુ વ્યક્તિના ગુણોથી સાચા હીરાની પરખ ઉદા અનિલભાઇ મહેતા


ગાંધીજી અને ગોકળભાઈ ની ચોરી !અઢી રૂપિયા શેઠની તિજોરીમાંથી ચોરેલા ડબલ કરીને પરત આપ્યા

બીડી નું બંધારણ પિતાજી પાસેથી ,પરંતુ છોડીને રહ્યા

શિક્ષણ મુંબઈમાં મેળવ્યુ કેવી ગરીબાઈમાં કેવી સાદાઈથી રહ્યા એનો બોધપાઠ જરુરી

મિત્રના ઘરે અન્નકૂટના સમયે જતા અભણછેટ ના વાક્યોનો અનુભવ જીદગી ભર આભડછેટ હટાવવા જીવી ગયા

સ્વમાની ગોકળભાઈ મોરબી રાજા ના દરબારમાંથી ઇનામ લેવા ન ગયા કારણકે ટોપી નહીં પરંતુ પાઘડી પહેરવી જરૂરી હતી

અસ્પૃશ્યતા કલંક છે તેને કાઢવું જ રહયુ, ન હિન્દુ પતિતો ભવેત

શિક્ષણ પ્રેમી દોશી હાઈસ્કૂલના જન્મદાતા


વ્યક્તિની વાતો વ્યક્તિ પૂજા નથી જીવનના અંત પછી પણ જેનું જીવન સંપૂર્ણ આદર્શ હતું તેનું સ્મરણ કરવું એ વ્યક્તિનું નહીં પરંતુ તેના માધ્યમથી થયેલા મહાન આદર્શોનું સ્મરણ છે

શહીદોની બે પંક્તિ હોય છે 

૧-તડપી તડપીને પોતાના ધ્યેય માટે મૃત્યુ સ્વીકારનાર અને 

૨-બીજા હોય છે પોતાના ધ્યેય અને આદર્શ માટે સંપૂર્ણ જીવન ખૂબ ધૂપસળીી જેમ ઝલાવનાર :ગોકળભાઈ બીજી પંક્તિના હતા

સાર્વજનિક જીવનમાં આદર્શો માટે જીવનારા ગણ્યા ગાંઠિયા હોય છે તે મહિના તેઓ એક હતા


જાહેર જીવનની શુદ્ધતાના ઉદાહરણો અને ગોકળભાઈ ની સરખામણી

૧-પરમ પૂજ્ય ગુરુજી અને શ્યામાપ્રસાદ મુખરજી ની ટ્રેનમાં મુલાકાત ટિકિટ નો ફેર આપ્યો

૨-દિન દયાળજી ઉપાધ્યાય ટ્રેનમાં રેડિયો ના વગાડ્યો કારણકે લાયસન્સ રીન્યુ થયું નહોતું

૩-વસંત ગજેન્દ્રગઢ કરે ઉદયપુર જવાના પક્ષની કારમાં ગયા સાથે પત્ની આવ્યા તો તેની પાસેથી ટિકિટ ભાડું આપ્યું

૪-રાજર્ષિ ટંડન સ્પીકર તરીકે રાજીનામુ આપી બહાર આવ્યા ત્યારે સ્પીકરની મોટર નહીં પરંતુ રીક્ષા બોલાવીને તેમાં ઘરે ગયા

૫-આદર્શોથી ડગી જવાની સ્પર્ધા ચાલતી હોય છે લોકો પહેલા આદર્શો માટે પાગલ ગણાતા આજે વ્યવહાર દક્ષ બન્યા છે

સાચા આદર્શવાદીનું સ્થાનનું મહત્વ છે ઉદાહરણ તરીકે 111 માં એક ની કિંમત તેના સ્થાન ઉપર છે

प्रासादो शिखरोस्थपी काको नगरुडयते

સ્થાનના કારણે કોઈ વ્યક્તિ મહાન બનતી નથી મહાનતા વ્યવહારના કારણે આવે છે


૬-શ્રેષ્ઠ પુરુષોની પાગલ ભૂલો હોય છે 

ઉદાહરણ તરીકે ભરતે રાજ્ય કરવાની ના પાડી 

રામ રાજ્ય છોડીને વનમાં ગયા 

૭-ચાણક્ય મહાઆમાત્ય પદ છોડીને અમાત્ય રાક્ષસ ને આપ્યું કુંતી યુદ્ધ પછી ધૃતરાષ્ટ્ર સાથે વનમાં જવા નીકળ્યા કારણ આપ્યું ધર્મનું કારણ 

૮-વોશિંગ્ટન પોતે અમેરિકાના સીધા સેનાપતિ માંથી રાષ્ટ્રના વડા થવાનું સ્વીકાર્યું નહીં ચૂંટણી બાદ જ 

૯-ઇટાલીના મેઝેનીએ પોતે વિચાર આપ્યો પરંતુ ગેરીબાલ્ડીને સેનાપતિ બનાવ્યો તો છતાં રાજ્ય સુકાન ઇમ્યુનલને સોંપી


૧૦-મહમદ પયગંબરે બેગમ રે ભદ્રની લડાઈ પછી પોતાની પત્ની આયેશા અને અન્ય પત્નીઓએ કરેલી સંપત્તિની માગણીને ઠુકરાવી તમે તેમ કરોતો પયગંબરની પત્નીને નહી કહી શકો

૧૧-ઇસુ ખ્રિસ્તે લાસ્ટ સુપર વખતે પોતાની પાસે બેસવા માટે પડાપડી  કરતા કાર્યકર્તાઓના પગ ધોઈને જમવા બેસાડ્યા

ગોકળભાઇ કદી પદની લાલસા ન કરી

દ્વારકા પ્રસાદ મિશ્રનું વાક્ય 

Status conscious leader and comfort living cadre અગત્યનું થે


End justifies means 

ધ્યેય સાધનોની ન્યાયિત બનાવે છે 

ગાંધીજી સાધન શુધ્ધિ માટે કહેતા

લેનિંગ કહેતા સત્તા પછી બધાને માટે બ્રાઉન બેડ ખાવો,પોતે પણ ખાધી 

ટિળકજી લખનઉ પેક્ટ સંમેલન ૧૯૧૬માં સવારમાં લખનૌમાં ચૂલો સળગાવતા હતા કારણ કે દક્ષિણના લોકોને ગરમ પાણી જોઈએ 

ગાંધીજી કોઢના દર્દીને ઓલીવ ઓઇલ નો મસાજ કરવા માટે માઉન્ટબેટન સાથે સત્તાહસ્તરણની  ચર્ચા વચ્ચે એક દિવસ રજા પાડીને જાય છે


પૂજ્ય ગુરુજીનો ધર્મયુગને સંદેશ મેં નહીં તુહી મહત્વનો

વિષ્ણુ સહસ્ત્રનામમાં એક નામ છે अमानी मानदो मान्यो लोकस्वामि त्रिलोकद्रृत 

 લોક સ્વામી ત્રિલોકદ્રુત પોતાને માટે માન સન્માનની અપેક્ષા  નથી રાખતા, બીજાને માન દે તેને જ કારણે તે सर्वमान्य બને છે સત્તાની હરીફાઈની પ્રતિમા અને પ્રતિષ્ઠા નહી વિનમ્રતા અને લોકસંગ્રહથી જ સંગઠન થાય


જલ પ્રવાહ ગમે તેટલી ઊંચાઈએ હોય અંતે તો એને નીચું જવું પડે છે અને સાગરને મળવું પડે છે સાગર એ ગર્વવિહીન છે બધાને સમાવે છે

ગીતામાં શ્રેષ્ઠ જનોને અનુસરવા કહ્યું છે 


હરીન્દ્ર  દવેનું પુસ્તક ગાંધીની કાવડ

ગાંધીજીને ગોળીથી વિંધ્યા તેમ નહીં પરંતુ સોનાની કટારથી માર્યા એમ કહે છે

ઇન્દ્ર બ્રાહ્મણનો વેશ ધારીને કર્ણ પાસેથી કવચ કુડળ લઈ જાય છે જેથી કર્ણ અભેદ ન રહે

ગરીબી દૂર કરવાનો ઉપાય બળદ ગાડામાં ફરવાથી ન મળે મોટર કારો પણ જોઈએ

ગુનો તો નાના માણસો કરે મોટા માણસો તો ફક્ત ફરજ અદા કરે

સમૃદ્ધિનું અપહરણ થઈ શકે ગરીબીના સગડ કાઢવા કોણ આવે

ગાંધીની કાવડ પાગલ ઉપાડે છે એક પલ્લામાં નેતાઓ છે જે બેસવા માટે ઉથલપાથલ કરે છે બીજા પલ્લામાં પ્રજા છે  આ ઠીક કરતા કાવડ ધારીના ખભા ઘસાઈ જાય છે

શુદ્ધ માનવીની નિષ્કલંક પ્રતિમા અને પ્રતિભા અને હાથો બનાવીને સ્વચ્છ માણસોની સ્પષ્ટતા ભ્રષ્ટા માણસો વટાવી ખાય છે

પ્રજાની સંસ્કારીતાનું માપ રાજકારણ પરથી સૌથી વધુ અંશે માપી શકાય બીજા ક્ષેત્રમાં નથી એવું નથી


Rulers crumble thinkers reign

Ignorance is a strength

In the real arm position opinion governs the behaviour

સમજવા માટે ગોવિંદભાઈ ડાભી દ્વારા પુસ્તકોનું અર્પણ

મચ્છુ હોનારત પુસ્તક લોકાર્પણ પ્રસંગે

કોરોનામાં અંતિમ દર્શન