Monday, September 1, 2025

પૂજ્ય શ્રી રતિદાદા( જોષી) અઘોષિત સાધક



 પૂજ્ય દાદા રતિદાદા જોશી 

સાથે સંકળાય આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત 

પ્રાતઃ સ્મરણીય પૂજનીય સંત વૃંદ 

• પૂજનીય શેરનાથ નાથ બાપુ 

• પૂજ્ય શ્રી ધર્મ વિનયન સ્વામીજી 

• પૂજ્ય રામાનંદ બાપુ 

• શ્રી કિશનદાસ થી મહારાજ 

• માનનીય પૂર્વ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહજી 

• યુનિવર્સિટીના વાઈસન્સ પ્રતાપસિંહજી અને ભરતભાઈ રામાનુજ 

• પૂજ્ય ચંદ્રિકા બા 

• રતિદાદીના પરિવારજનો તથા 

• ઉપસ્થિત સર્વે આધ્યાત્મિક બંધુ ભગિની 

ભુજનીય રતિદાદા એટલે કે કેશોદના વતની અને જૂનાગઢમાં ગિરનાર જેમની એક સાધના સ્થળી છે એવા જેમને અનેક વિશેષણો અન્ય લોકો લગાડે પરંતુ હું સંઘના એક સન્નીષ્ટ સ્વંયસેવક પણ કહીશ એવા 

• ગિરનારી અઘોષિત સાધક 

• ભગવાન જગન્નાથ ના ઉપાસક 

• પથ્થર ચટી જેમની સાધના સ્થળી હતી 

• એવા સ્થાન ઉપર જેમની સાધક તકતી પ્રસાદની પ્રતિષ્ઠા આજે થઈ રહી છે

આજનો એક અનેરો સંગમ છે 

• સાધના સ્થળ એટલે કે પુરાણકાળમાં વર્ણન જેનો છે એવો રૈવતક પર્વત ગિરનારની પવિત્ર ભૂમિ પર આપણે એકત્ર થયા છીએ. 

• પૂજનીય આ સંતોની અહીં ઉપસ્થિતિ છે 

• સાધના સ્થળ ઉપર સાધકનું નામ આજે જોડાવા જઈ રહ્યું છે 

• સાધક પરિવારની દીકરી વર્ષાબેને લખેલ પુસ્તક દિવ્ય સંતતિનું આજે વિમોચીત થવા જઈ રહ્યું છે 

• રાજકીય શૈક્ષણિક સામાજિક અને આધ્યાત્મિક મહાનુભાવોની ઉપસ્થિતિ છે 

પૂજ્ય રતિદાદા વિશે કહીએ તો એમના પુત્ર વિશાલભાઈ જોશી એટલે 

• મારા સંઘના સન્નીષ્ટ સ્વયંસેવક

• ઇતિહાસ સંકલન સમિતિ સાથે જોડાયેલ સક્રિય કાર્યકર્તા 

• અને નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના વડા 

તેમની સાથે નજીકના ભૂતકાળમાં બે વખત સાથે રહેવાનું થયું. 

આમ તો તેઓ સાચા અર્થમાં ઇતિહાસના અભ્યાશું

હિન્દુત્વ ધર્મપ્રેમી 

સંશોધક અને હકીકત અને માહિતી માટે સરકાર પણ જેના ઉપર વિશ્વાસ મૂકી શકે તેવા અભ્યાસુ 

એકેડેમિક વ્યક્તિ 

નિર્ભય કલમથી લખવા વાળા લેખક પણ.

 

એક વખત એમની સાથે ગિરનારની ગોદમાં રહેલા થોડા સંતો ને મળવાનું અને આશીર્વાદ લેવાનુ થયેલ અને 

હજી થોડા સમય પહેલા જ ગિરનારની ગોદમાં રહેલા થોડા પ્રાચીન મંદરોના દર્શનનો લાભ તેમના એક અભ્યાશું વિદ્યાર્થી સાથે કર્યો.

આ બંને મુલાકાતોમાં વિશાલભાઈ પાસેથી તેમના પૂજ્ય પિતાજી ,પૂજ્ય માતાજી ,પરિવારના વડીલ ભાઈ શ્રી નાથાભાઈ જોશી તેમના ભાઈ બહેનો અને પરિવારજનોના અનેક પાસા જાણવા મળ્યા 

આવી માહિતી જ્યારે મળે છે ત્યારે એમ લાગે છે કે વિજ્ઞાનના આ યુગ ની અંદર ધર્મ અને અધ્યાત્મ સાથે જીવવાવાળા પરિવારો આજે પણ શ્રદ્ધાથી બિરાજમાન છે તેમને કળિયુગની કોઈ અસર લાગી નથી .

 

થોડું જે સાંભળ્યું અને વાંચ્યું એવું પૂજનીય રતિદાદા વિશે એ કે જેમની અહીં સાધના સ્થળી અહીં હતી .એના સ્મરણો કરીને આજે આપણે થોડાક પ્રેરણા લેવા માટે જઈ રહ્યા છીએ .હું એમને રૂબરૂ દર્શન  કરી શકેલ નહી. પરંતુ એમનો શાબ્દિક દર્શન સાંભળવાનું અનુભવવાનો મોકો સરસ મળ્યો છે અહીંયા પણ બધાના સંસ્કારો જોતાં તેમનુ એક તેમનું એકાધ્યાત્મિક ચિત્ર આપણી સામે ખડું થયું છે

1. સંઘ જેના માટે ઓળખાય છે એટલે અનુશાસન .અનુસાસન અને શિસ્તના તેઓ સ્યષ્ટ હતા. .એમ કહી શકાય કે કદાચ જો આ કાર્યક્રમમાં તેમની દૈહિક હાજરી હોય તેમના એક પણ વખાણ ન થવા દે 

2. અધ્યાત્મનો રસ્તો દુનિયાને ફક્ત ભારત ભારતના સંતો અને મહાપુરુષો જ બતાવી શકે .એટલે જ જ્યારે પુસ્તકો જેવા કે 

_હિમાલયના સિદ્ધ યોગીઓ

_ભણદેવજીના પુસ્તકો 

_મકરંદ દેસાઈ નું લેખન કે 

_ભાઈ શ્રી નાથાભાઈ દ્રષ્ટિએ કરેલા સત્સંગની વાતો કે 

_વિદેશી લેખક the monk who sold his farari વાંચીએ ત્યારે 

_Arnold toyanbi ની એ વાત પર આપણને અવશ્ય ખાતરી અને વિશ્વાસ બેસે કે

"દુનિયાની એક માત્ર જીવિત પ્રાચીન સંસ્કૃતિ એટલે ભારતની સંસ્કૃતિ "અને "ભારતની સંસ્કૃતિ એટલે કે એક આધ્યાત્મિક સંસ્કૃતિ ,દુનિયાના અન્ય સ્થળે ભલે વિજ્ઞાન વિકસ્યું હશે અને સમૃદ્ધ થયો છે પરંતુ આનો રસ્તો જો ભારતના રસ્તેથી આગળ નહીં થાય તો દુનિયાનો વિનાશ થવાની પૂર્ણ શક્યતા છે"

3. આપણો દેશ જ એક એવો દેશ છે કે ગૃહસ્થ પરિવારમાં રહેતી વ્યક્તિમાં પણ સંત બિરાજમાન હોય છે જેનું ઉદાહરણ રતીદાદા છે. 

4. આજે અઘોષિત સાધક ઘોષિત થવું એ સહેલું નથી 

5. પુજનીય ભારતી બાપુ અને શેરનાથ બાપુ જેના વખાણ કર્યા છે બ્રહ્મર્ષિ જેવું જેમને ઉપનામ આપ્યુ છે.તેમના સંસ્મરણો વાગડવા બેસીએ તો અંત ના આવે 

•રતિદાદા એવું વ્યક્તિત્વ હતા તેઓ સૂર્યોદય અને સૂર્યાસ્ત બંને વખતે પૂજન કરતા સમાજમાં દરેક સ્થિતિમાં સરખો ભાવ કૃતજ્ઞતાથી વ્યક્ત કરવો એવી એમના જીવનની શીખ હતી 

• સંઘમાં જે શીખડાવવામાં આવે છે કે ધર્મ રાષ્ટ્રને સંસ્કૃતિ પ્રત્યે સમર્પણ ભાવ હોવો જોઈએ એવા સમર્પણ ભાવના દર્શન એમના જીવનમાં ડગલેને પગલે થતા હતા 

• સત્સંગના કઠિન માર્ગમાં ચાલવું એ કળિયુગમાં અઘરું છે તે વારસો પોતાના પરિવાર મિત્રોને સ્નેહીઓ માટે મુકતા ગયા તે ખરેખર વંદનીય છે 

• સંયમ ત્યાગ એ ખૂબ મહત્વના છે આજે વિશાલભાઈ પરિવારની આર્થિક જરૂરિયાત પૂરી થતાં નિવૃત્ત થઈ અન્ય માટે સ્થાન ખાલી કરવાની ઈચ્છા વ્યક્ત કરેલ એ જોતા લાગે છે કે પૂજનીય દાદા ના સંસ્કારો બધામાં 

પૂર્ણપણે ઉતરી આવ્યા છે 

• સમર્પણ પણ કેવું કર્ણ એ યજ્ઞ માટે ઘરના ચંદનના બધા જ ઉપકરણો આપી દીધા હતા 

• રતિદાદા હંમેશા હરિનામ જપ નો મહત્વ દેખાડતા સ્વામિનારાયણ સંપ્રદાય ના જ્ઞાન વત્સલ સ્વામીજી એ પણ પોતાના એક પ્રવચનમાં બતાવ્યું છે કે વિદેશની યુનિવર્સિટીના વૈજ્ઞાનિક સંશોધને કહ્યું છે જપથી ખૂબ મોટા વૈજ્ઞાનિક ફેરફારો શરીરના સ્વાસ્થ્ય અને યાદ શક્તિ ઉપર થાય છે 

• પ્રભુ સાથે સમાજ અને રાષ્ટ્રની ભક્તિનો પણ આવા પરિવારોમાં જન્મ લઇ સત્સંગી થવું એ પુણ્યનું ફળ છે રમેશભાઈ ઓઝાના એ શબ્દો સાચા પડે છે 

• જૈન મુનિ હેમ વલ્લભ વિજયજીએ કહેલ કે પોતાના જીવનયાત્રા એમને આનંદ યાત્રા તરીકે પૂર્ણ કરેલ છે 

• સંઘની અંદર જેમ પ્રસિદ્ધિ પરાંગમુખતા ની વાત છે તેમ પૂજનીય દાદા હંમેશા પ્રેસ, પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિથી દૂર રહ્યા હતા .હેમાબેન આચાર્યએ આ વાત પોતાના શબ્દોમાં વારંવાર કહે છે 

• પૂજનીય દાદા ના સંસ્સ્મરણોનુ પુસ્તક અર્ધ્ય વાંચવાથી એમના જીવનના અનેક લોકો ઉપર પડેલા છાયડાની અસર આપણને દેખાય છે .નિષ્પૃહતા. તેમના જીવનનો અર્ક હતો 

• રતિદાદા ના જીવન વિશે રણજીતસિંહ ગોહિલ કેપ્ટન અને ડોક્ટર કહે છે કે language looks limited for the emotional exchange with him

• જેમનું મૌન પણ આશીર્વાદ બને અને એમાંથી જ ભાવનાને લાગણીને ગંગા રહેતી હતી 

• આધ્યાત્મિક યોગી નો દર્શન પ્રસાદ જેને મળ્યો છે એ બધા જ ખરેખર કૃપાપાત્ર છે 

• જેમનું ઘર વેદ શાસ્ત્રની પાઠશાળા પુરાણકણનું ગુરુકુળ માર્ગદર્શન માટેનું કેન્દ્ર અને ચુંબકીય આકર્ષણ હતું એમ બધાય અનુભવ્યું છે 

• દાદાની શિખામણ ગાંઠે બાંધીએ એટલે કે ભગવાન જગન્નાથ અને ગિરનારની પૂજા પ્રકૃતિનું રક્ષણ પર્યાવરણની રક્ષા આજે ગ્લોબલ ના યુગમાં ખૂબ જ મહત્વનું છે 

• એવું કહેતા કે મહાદેવની પૂજા ફક્ત શ્રાવણ માસમાં અને માતાજીની પૂજા ફક્ત નવરાત્રીમાં ન કરવાની હોય. આચરણ યુક્ત વ્યવહારિક દેશભક્તિ અને કર્તવ્ય પાલન એ ફક્ત રાષ્ટ્રીય તહેવાર કે યુદ્ધની સ્થિતિમાં નહીં પરંતુ હર હંમેશ સતત ક્રિયાશીલ જીવનની ક્ષણે ક્ષણમાં રહેવું જોઈએ 

• દાદા પારસમણી હતા. જેનો જેનો તેમને ભૌતિક સ્પર્શ થયો તેમાં સુવર્ણના તત્વો આવ્યા છે ઘણા પારસમણી બનવાની પણ પ્રક્રિયામાં હશે 

• આપણે એમના સદગુણોને સ્મરીએ , એમની શિખામણોની જીવનમાં ઉતારીએ અને આચરણ યુક્ત જીવનથી એમની સાધના સ્થળથી પોતાની યોગ્યતા કેળવવામાં બધાને મદદરૂપ થાય એવી ભગવાન જગન્નાથ અને પ્રાર્થના. 

Thursday, August 28, 2025

🌹अपनी फैक्ट्री काम करने वाले कारीगर कर्मचारी नहीं परिवारके सदस्य का भाव🌹




 🌹अपनी फैक्ट्री काम करने वाले कारीगर कर्मचारी नहीं परिवारके सदस्य का भाव🌹

आज एक जुनागढ स्थित आध्यात्मिक कार्यक्रम मे जानेके लिए वांकानेरसे वंदे भारत ट्रेनमे प्रवेश कीया । वांकानेर स्टेशनसे बडी संख्यामे फेकटरीमे काम करने वाले कर्मचारी गण भी आये। मैं सोच रहा था इतनी बड़ी संख्यामे और यह थोड़ी महंगी टिकिट पर मुसाफरी कैसे कर रहे होंगे । लेकिन तुरंत इसका जवाब मील गया। ट्रेनमे ही मिल गये मोरबी के हमारे पूराने मित्र और डो कातरीया साहब, डो अमलाणीजी, योगेश पटेल जैसे सेवाभावी के साथ धार्मिक, सामाजीक, मेडीकल कार्यमे लगने वाले दिलिपभाइ पटेल। उन्होंने बताया यह सब कर्मचारी हमारी फेकटरीमे कार्यरत है। मैं उनको सोमनाथ मंदिर दर्शन पर ले जा रहा हु। और ऐसी वंदे भारत जैसी ट्रेनकी सुविधा सरकारने बनाइ है और वो लेग भी इसका आनंद और अनुभव भी ले। धन्य है दिलिपभाइ। ऐसे मालिक को मालिक नही भगवानके भक्त कहा जा सकता है। जो अपने साथियों और अपने हाथ पैर जैसे कर्मचारी का ध्यान रखते है उनका रिश्ता मालिक नौकर जैसा नहीं एक परिवार जैसा होता है। मोरबीकी धरतीके ऐसे महानुभाव को साधुवाद । 👏👏

Tuesday, July 1, 2025

Dr BC Roy - Doctor’s day



ો બી સી રોય નો આજે જન્મદિન અને પુણ્યતિથિ પણ આજના દિવસે ૧ જુલાઈ ના રોજ છે.

જેઓ પદ્મવિભૂષણ અને ભારત રત્ન એવોર્ડ મેળવનાર હતા

તેઓ ડોક્ટર અને બંગાળના મુખ્ય મંત્રી પણ રહેલા.

ડો બિધાન ચંદ્ર રોય નો જન્મ દિન રાષ્ટ્રીય ચિકિત્સક દિવસNational doctor day તરીકે ભારતમાં ઉજવાય છે.

        તેઓ ચિકિત્સક અને સ્વંત્રતા સેનાની, બંગાળ ના બીજા મુખ્ય મંત્રી

પ્રસિદ્ધ ડોક્ટર હતા.

જન્મ 1 જુલાઈ 1882

મૃત્યુ 1 જુલાઈ 1962

તેમનો અભ્યાસ BA with honours in mathematics થયેલ .તેમનો જન્મ સ્થળ પટના એ વખતના બંગાળમાં થયો હતો. તેઓ રાજ ઘરાના ના સદસ્ય હતા. મહારાજા પ્રતાપદિત્ય ના વંશજ હતા.તેમના માતા પિતા બ્રહ્મ સમાજ જોડાયેલ હતા. પિતાજી શ્રી પ્રકાશ ચંદ્ર રોય મેજિસ્ટ્રેટ પરંતુ દાની હોવાથી ઘર માં ગરીબી ખૂબ હતી અને જરા પણ અર્થ સંચય નહીં, અભાવ પણ ખરો. છતાં તેઓ કુશાગ્ર બુદ્ધિશાળી ચિકિત્સા માં રુચિ ધરાવનાર હતા.

     તેમનો Medical graduate national medical College Kolkata

LMP કરીને પછી MD ફક્ત બે વર્ષ માં પાસ કરી હતી.અધ્યયન ખર્ચ સ્વયં સ્કોલરશીપ અને નર્સ તરીકે કામ કરીને પૈસા મેળવતા અને પોતાનો ખર્ચ કાઢતા.

અભ્યાસના પાંચ વર્ષ માં ફક્ત એકજ 5 રૂપિયાનું માત્ર પુસ્તક  લીધેલ. બાકી લાયબ્રેરી માંથી વાપરતા.

FRCS MRCP ડિગ્રી મેળવવા તેઓ લંડન ગયેલા. ત્યાં Presidency uni

લંડન મેળવી હતી.ત્યાં અભ્યાસ દરમ્યાન વોર્ડમાં રાઉન્ડ લેતા હવાની વાસ માંથી તેમને શીતળા નું દર્દી વોર્ડ માં હોવાની શંકા વ્યક્ત કરી. પ્રોફેસર અને સાથી વિદ્યાર્થી હસવા માણ્યા કારણ આ genreal હોસ્પિટલ માં ચેપી રોગનું દર્દી ના હોય. તેમણે બધા દર્દી ની ચાદર ઊંચી કરીને જોયું તો એક દર્દીના શરીરે શીતળાના ચાઠા હતા. તેમની શંકા સાચી પડી અને બાકીના બધા ખસિયાણા પડી ગયા. 

      વિદેશ માં સારી નોકરી પગાર મળતા હોવા છતાં ભારત ને સમાજની સેવા કરવા લંડન થી પરત ભારત આવ્યા. વિદેશ નોકરી અને સુવિધા સ્વીકારી નહીં.

 

સિયાલકોટ પ્રાઇવેટ પ્રેક્ટિસ બાદમાં નોકરી પણ કરી.કલકતા કેમ્પેબલ medical college પ્રાધ્યાપક થયા. સંવેદના અને સારા કામના અનુભવ થી તેઓ ભારત વિદેશ પ્રખ્યાત થયા. ધીરે ધીરેસામાજિક રાજકીય નેતૃત્વ કરતા થયા.

સ્વરાજ્ય પાર્ટી સહાયતા પણ કરી.સ્વંત્રતા આંદોલન, મહાત્મા ગાંધી સાથે રહ્યા.

રાજકીય કામ છતાં રોજ 2 કલાક રોગી સાથેકામ કરતા. તેઓએ 

અનેક સંસ્થા નિર્માણ કરી જેમકે chitranjan sewa Sadan, જાધવપુર ટીબી હોસ્પિટલ, કમલા નેહરુ હોસ્પિટલ chitranjan કેન્સર હોસ્પિટલ, chitranjan sewa Sadan વિગેરે.

     Medical council અને IMA 1928 સ્થાપના કાર્યમાં પણ ખૂબ જ સહભાગી રહ્યા.તેમણે Institute of mental health ,Infectious disease hospital ઉભી કરી.First post graduate medical collge in kolkata પણ બનાવી.

      પોતાનું ઘર વેલિંગ્ટન સ્ટ્રીટ કલકતા માં હતું તે તેમને નિર્ધન લોકોની ચિકિત્સા માટે સંસ્થા ને દાન આપી દીધું. તેઓ શ્યામ પ્રસાદ મુખરજી ના અંગત ડોક્ટર પણ રહ્યા. પોતાની કારકિર્દીમાં 

રાજકીય =1916 કોલકાતા વિશ્ વિદ્યાલય સેનેટ સદસ્ય

1923 બંગાળ વિધાન પરિસર સદસ્ય

દેશ બંધુ ચિત્રંજન દસ થી પ્રભાવિત સ્વંત્રતા સંઘર્ષ માં જોડાયા

1948 બંગાળ ના દ્વિતીય મુખ્ય મંત્રી 1962 સુધી રહ્યા =14 વર્ષ

નેહરુ નુન સમજૂતી માં બેરૂગડી ક્ષેત્ર પાકિસ્તાન ને ન આપવા દીધું

      તેમણે 5 શહેર નિર્માણ કર્યા.  દુર્ગાપુર ,કલ્યાણી,બિધાનગર(  salt nagar,) અશોકનગર, હાવડા

દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટ, કલ્યાણી engi hub પણ બનાવ્યું.

તેમણે ભારત રત્ન 1961 માં મળ્યો.

તેમણે લખેલ પુસ્તકો Books =A passage to globalisation, globalisation, identities and South Asian diasporik fiction in Britain 

આવા દેશ પ્રેમી સમાજ સેવક ચિકિત્સક ને પ્રણામ


Sunday, May 4, 2025

ડાંગ “ માં શબરી ભવન” લોકાર્પણ પ્રસંગે




 ડાંગ આહવા મુકામે આજે ઉત્સવનો દિવસ છે .

આનંદનો દિવસ છે .

મોટી સંખ્યામાં સંઘના સ્વયંસેવકો ,કાર્યકર્તાઓ ,શુભેચ્છકો સ્નેહીજનો અને દાતાઓ આજે એકત્ર થયા છે .

કારણ આજે સંઘ કાલિયા નું લોકાર્પણ છે.

 

સંઘ નું કામ એ સંઘ માટેનું કામ નથી .

સંઘનું કામ એ સમાજનું કામ છે .

જે કામ પૂરા સમાજે કરવું જોઈએ એ કામની શરૂઆત સંધે કરેલી છે .

જે કામ સમાજે પોતાના માટે કરવું જોઈએ ,જે કામ સમાજે દેશ માટે કરવું જોઈએ, જે કામ સમાજે વ્યક્તિ અને પરિવાર માટે કરવું જોઈએ એવા એક કામની શરૂઆત સંધે કરેલી છે.

દુનિયાના કોઈપણ દેશમાં સમાજ જયારે વ્યક્તિ, પરિવાર અને રાષ્ટ્ર માટે કામ કરતો થાય ત્યારે તે સમાજ અને રાષ્ટ્ર સુખી ,સુરક્ષિત અને પ્રતિષ્ઠિત થાય છે અને તેના કારણે વિશ્વ આખું લાભાનવિત થાય છે.

આપણો દેશ છેલ્લા અંદાજે 2000 વર્ષોથી અમુક રોગોથી પીડાયો .આત્મવિસ્મૃતિ, વધતો જતો સ્વાર્થ ભાવ, ભેંદભાવોની ખાઈ કર્તવ્યથી વિમુક્તતા એ બધાએ ગુલામી નો સમય આપ્યો.જેનો લાભ વિદેશીઓએ લીધો દેશ અને સમાજને ગુલામ બનાવ્યા .સમાજે કરવાનું કામ બંધ થયું સમાજ નિર્માલ્ય બન્યો.પરંતુ આ કામ ફરીથી કોઈ શરૂ તો કરવું પડે ..

કોણ પ્રારંભ કરે?

અને એવું કામ કરનાર અનેક મહાપુરુષોની હારમાળામાં એક ડોક્ટર હેડગેવાર જેમને  આ કામ શરૂ કર્યું અને એ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના.આ સંઘ સમાજ માટે કામ કરવાનું એક મોડલ ,એક નમૂનો ,એક સ્ટાર્ટર છે 

જેવી રીતે કાર અને સ્કૂટરમાં શરૂ કરવા માટે ચાવી હોય કિક મારવી પડે ,એવી રીતે સમાજનું આ કામ શરૂ કરવા માટેનું શરૂઆતની કીક કે ચાવીનું કામ એ સંઘે કર્યું  છે .

પરંતુ એકવાર વાહન ચાલુ થાય પછી વાહન એની મેળાએ ચાલવા મંડતું હોય છે .સંઘે પણ આવી રીતે આ કામ શરૂ કર્યું સમાજ માટેનું .હવે સમાજ પોતાની રીતે બધા કામ કરતો થાય તે જરુરી છે.સંઘ સ્ટાર્ટરનું કામ નિભાવે 

પૂરું મશીન એટલે કે વ્યક્તિ સમાજ કુટુંબ એ પોતાની મેળે આ જ રસ્તે આગળ ચાલતા થાય તો, પોતે પણ સુખી થાય અને વિશ્વને પણ માર્ગદર્શન આપે

 

આ કામ હિન્દુ સંગઠનનું છે .

આ દેશના પુત્રવત સમાજ હિન્દુઓનું છે .

સેમ્યુઅલ હન્ટિંગટને કહ્યું છે કોઈપણ દેશનો પુત્રવધ સમાજ કોણ હોય? અંગ્રેજીનું પુસ્તક who are we?

ભારતના કોઈપણ કામ માટે એનો પુત્રવધ સમાજ હિન્દુ જ ઉત્તરદાયી છે અને એ કામ એટલે ભારત માતાની ભક્તિ .

આજે હિન્દુ સમાજની પ્રતિષ્ઠા વધી છે ભારતની પ્રતિષ્ઠા વધી છે .આ કામ આપણા માટેનું છે આપણે કરવાનું છે

 

આવા હિન્દુ સમાજનો સંગઠન એ સમાજનું કાર્ય .સંધે એનું સ્ટાર્ટ કર્યો .આવા સંઘ કાર્યનું આલય એટલે સંઘ કાર્યાલય .કાર્ય તો સંઘનું અત્ર તત્ર સર્વત્ર છે.પરંતુ એક જગ્યાએથી આ બધું કામ જોતા રહેવાનું સ્થાન એટલે શું કાર્યાલય .સંઘના કામનો અનુભવ જ્યાં મળી શકે તે સ્થાન એટલે સંઘ કાર્યાલય .આ ફક્ત ભવન નથી .કાગળ પત્ર રાખવાની કોઈ જગ્યા નથી .થોડા લોકોને રહેવાની પણ કોઈ જગ્યા છે એવું પણ નથી .સંઘનો જ્યાં ઘનીભૂત અનુભવ મળે એ સંઘ કાર્યાલય.અહીં આવનારને અનુભવ થવો જોઈએ કે એ જે સમાજને રાષ્ટ્ર સાથે જોડાઈ રહ્યા છે અને અહીંયા જે આવે એમનામાં આ ગુણોનું નિર્માણ થઈ અપેક્ષિત છે .(૧)સત્ય (૨)તપસ્યા (૩)કરુણા અને(૪)શુચિતા

 

આ બધું કાર્યાલયમાં દેખાય 

 સંઘ કાર્યાલય યાંત્રિક બાબતો ,ટેકનોલોજી વૃત લેવું દેવું ,સુચના ,ભંડાર ,પુસ્તક ,ગણવેશ લેવાદેવા ની ફક્ત જગ્યા નથી .અહીં એક ભાવનાત્મક સાર્થક વાતાવરણ ઉત્પન્ન થાય છે .આ સંઘની ઓફિસ જેવું નથી હોતું. 

થોડુંક કદાચ હોસ્ટેલ જેવું લાગે પરંતુ એક ઘર જેવું છે .

અહીંથી સૂચના આવે અહીંથી સૂચના જાય .

ફક્ત વસ્તુ નહીં પણ સાથે ભાવ પણ જાય .સંઘનો ભંડાર કે ગણવેશ થાય તેની સાથે સંઘ ભાવ જાય.સંધ કાર્યાલય સંઘથી જ ઓળખાય .સંઘ એટલે body of individual ટેકનિકલ ટર્મમાં ઠીક છે .પણ અહીં એ નથી  અહીં જીવંતતા અને  વાતાવરણ ખરું કરે આની અનુભૂતિ થવી જોઈએ .

      આવું કરનાર કોણ છે ?આવનાર  સ્વયંસેવકો ,અહીં રહેતા કાર્યકર્તાઓ ,પ્રચારકો પૂર્ણકાલીન કાર્યકર્તા ,બહારથી આવનાર શુભેચ્છકો , દાતાઓ ,આ ભવનનું નિર્માણ કરતા કારીગરો પણ આવી ભાવનાવાળા છેં.કાર્યાલયમાં કામ કરનાર બધા ભક્તિ ભાવથી કામ કરે .

એ સફાઈ કરનાર, રસોઈ કરનાર કે ચોકીદાર હોય કે કોઈ પણ આ ભાવથી કામ થાય .

       હાજર રહેલા તમે પણ અહીં કેમ આવ્યા છો? આ જ સંઘના ભાવથી આવ્યા છો .કાર્યાલય બની ગયા પછી રહેનાર રહેશે આવશે અને જશે .બધા જ કાર્યકર્તા સમાન એના માટે પણ આવો ભાવ બની રહે .આ ભાવ એટલે અતિથિભાવ પણ રહે.

     આ જનજાતિય વિસ્તાર છે .અહીંયા પ્રકૃતિની સાથે વસતા લોકો છે .અહીં માતા શબરીના વંશજો છે .ભારત પણ ધર્મ પ્રધાન દેશ છે .સંઘનો કાર્યાલય એટલે એવું સ્થાન કે તે ક્યાં ઘડિયાળને ચાવી આપનાર પણ સંઘનો સ્વયંસેવક બની જાય 

     સંઘ હમેશા પોતાનું કામ પોતાના હાથે કરે છે અને સમાજનું કામ હોય તો સમાજનો સહયોગ લે છે .એટલે કાર્યાલય બનાવવા માટે પણ સંઘે સ્વયમસેવકો પાસેથી જ અનુદાન.લીધેલ હોય છે .

       પંડિત મદન  મોહન માલવયા ડૉ હેડગેવાર ને મળ્યા હતા અને કહ્યું સંઘ કાર્ય માટે કંઈ આર્થિક જરૂરિયાત હોય તો કહેજો હું તો માગનાર શાહી ભિખારી છું .ત્યારે તેમણે કહ્યુ હતું કે આપના જેવા ના આશીર્વાદ અમારા માટે ઉપયોગી છે .ધન રાશીની વ્યવસ્થા સ્વયં પાસેથી કરીએ છીએ. આજે લોકોની સ્થિતિ સુધરી છે તો કાર્યાલય પણ થોડા સારા નવા જરૂરિયાત મુજબ નથી શકે છે .

        પહેલા એક સમય હતો પહેલા કાર્યાલયની જરૂર પડતી નહોતી કારણ કામ પણ મર્યાદિત હતું અને કાર્યકર્તાનું ઘર જ કાર્યાલય હતું .એની પહેલા તો ડોક્ટર હેડગેવાર જ કાર્યાલય હતા. આજકાલના કાર્યક્રમોમાં જરૂરી વ્યવસ્થા સમય પ્રમાણેની હોય છે.પરંતુ ત્યાં પરિશ્રમ હોય છે સાદગી હોય છે મિત વ્યય હોય છે .ખોટી લક્ઝરીને આવશ્યકતા નહીં .જરૂરિયાતો પૂર્ણ થવી જોઈએ હવે  વધુને બહારથી આવનાર લોકોને પણ વ્યવસ્થા ઠીક જળવાઈ જોઈએ .ઉદાહરણ નાગપુરના તૃતીય વર્ષમાં મોરારજી દેસાઈના પ્રપોત્ર આવેલ તો કાર્યાલય પરિસરમાં જ રોકાયેલા .જેવી રીતે મકાન બનાવવા માટે નગરપાલિકા સરકારના કોઈ માનાંક હોય છે સંઘ કાર્યાલય માટે પણ આવા અમુક માનાંકો છે.

       સંઘ ભાવના હંમેશા જીવંત રહેવી જોઈએ .દેશકાળ પરિસ્થિતિ અનુસાર બદલ થાય ઘણી વસ્તુઓ નાની હોય સૂક્ષ્મ હોય દેખાય નહીં પરંતુ બહારથી જ્યારે વિકાસ થાય ત્યારે વટવૃક્ષ બને .આજે સંઘ કાર્ય થોડા મોટા વૃક્ષ બનેલા લાગે.કારણ કે સંઘનું કાર્ય ગતિવિધિઓ મુજબ વ્યવસ્થાઓ ની જરૂરિયાત પણ વધી છે .પરંતુ આ બહારનું રૂપ છે વાસ્તવિક રૂપ તો અલગ જ છે અને એ છે સંઘભાવ .સંઘભવ હંમેશા વર્ધિષ્ઠ લેવો જોઈએ વધતો રહેવો જોઈએ .

     ભવન એ ક્રિયાપદ છે ત્યાં કંઈક થાય છે .અહીંયા સંઘભાવની  ની ક્રિયા બની રહે તે જ મહત્વનું છે .

સંઘના કાર્યાલયમાં અભાવ ન હોવો જોઈએ તેમ વધુ પડતો ખોટો પ્રભાવ પણ ન હોવો જોઈએ.કાર્ય પહેલા આવતું હોય છે અને પછી આલયની જરૂર પડે એટલે કાર્યાલ બને આવુ મોરોપંતજી એ રાજકોટમાં કહ્યું હતું .

       આજે સંઘની દશા બદલાય છે પરંતુ દિશા નથી બદલાય એને યાદ રાખવું જોઈએ .કાર્યાલય એક જીવંત બની રહે અહીંયા અતિથિ દેવોની ભાવના જળવાઈ રહે વ્યવસ્થિતતા જળવાઈ રહે વ્યવસ્થાનું મંદિર બને .

ઉદાહરણ નરેન્દ્ર ભાઈ પંચાસરા .સ્વદેશીનો ભાવ રહે . વન માંખ ઉપવન અને નંદનવન બને.

      માતા શબરી નું નામ કાર્યાલય સાથે જોડાયુ છે .શબરી એક પ્રકૃતિનુ પ્રતીક છે .જનજાતિ વિસ્તારની માતા છે .ભગવાનની રામની રાહ જોતી હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક છે .પોતે ચાખીને મીઠી વસ્તુઓ અન્યને આપનાર માતૃશક્તિ છે .હિંસાથી દૂર રહી આજીવન અપરણિત રહી ગુરુની વાત માનીને શુભ કાર્ય રામની રાહ જોનાર એટલે શબરી .આવા શબરીના આપણે ભૌતિક ,માનસિક ,બૌદ્ધિક અને ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ વારસ છીએ .એ વારસો ભુલાય નહી એ યાદ કરાવવાનું ધામ એટલે 

“માં  શબરી ભવન”. 

Wednesday, March 12, 2025

પૂ મોરારીબાપુ ની સોનગઢમાં રામ કથા અને જનજાગરણ







 


•      પૂજ્ય મોરારીબાપુની ડાંગ વિસ્તારમાં સોનગઢ મુકામે રામકથા ચાલી રહી છે .
           ૨૦૦૫  ની સાલમાં પૂજ્ય મોરારીબાપુ એ શબરીધામ (સુબીર)સ્થાને રામકથા કરી હતી. ત્યારે ત્યાંના જનજાતિય લોકો _આદિવાસી બંધુઓને કથામાં સૌથી આગળ બેસાડતા અને કહેતા તમે તો મા શબરીના વંશજો છો કે જેમના ઘરે ભગવાન રામ આવ્યા હતા. કથાના અંતે મોરારીબાપુએ આહવાન કર્યુકે અહીંયા એક શબરી કુંભ થઈ જાય .રાષ્ટ્રીય અને સામાજિક કામ કરતા અનેક કાર્યકર્તાઓ ,વનવાસી કલ્યાણ આશ્રમ, ધર્મજાગરણ અને શ્રદ્ધા જાગરણના કાર્યકર્તાઓ તથા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકોએ બાપુનું આ આહવાન ઉપાડી લીધું. 2006 ની સાલમાં ત્યાં ખૂબ મોટો શબરી કુંભ થયો .મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના વનવાસી વિસ્તારના બંધુઓ ખૂબ મોટી સંખ્યામાં ત્રણ દિવસ શબરી કુંભમાં હાજર રહ્યા . પૂ શંકરાચાર્ય અનેક સાધુ સંતો ને ગુજરાતના એ વખતના મુખ્યમંત્રી મા.નરેન્દ્રભાઈ મોદી પણ તેમાં ઉપસ્થિત રહ્યા .આ શબરી કુંભના કારણે આ વિસ્તારમાં હિન્દુત્વનું વાતાવરણ દ્રઢ બન્યું. ધર્માંતરણ કરેલા અનેક લોકોએ પોતાના મૂળ સનાતન ધર્મમાં પરત કર્યા. એટલું જ નહીં પરંતુ ખરેખર રામ ,હનુમાનજી મહારાજ અને શબરીના ભક્તિ ફરી વળી .
             ફરીવાર આ જ વિસ્તારની અંદર ધર્મ જાગરણ અને સમાજને ભ્રમ ફેલાવીને પોતાની મેલી મુરાદ બાર લાવતા  લોકોથી સાવચેત કરવા માટે અને અનેક બંધુઓ જે ભગવાન રામ અને શબરીના નામથી આંદોલિત થયા છે તેમને ફરીથી સંબોધવા માટે પૂજનીય મોરારીબાપુએ આ કથા ત્યાં આપી . પૂ બાપુના અનુયાયીઓએ બધી જ વ્યવસ્થા ઉપાડી લીધી .આસપાસના વિસ્તારનો ધર્મજાગરણનું કામ સ્થાનિક કાર્યકર્તાઓએ કર્યું. ગામે ગામ અને ઘરે ઘરે સંપર્ક, કાર્યક્રમોની આમંત્રણ પત્રિકા ,સ્ટીકર અને હનુમાનજીના લોકેટો વહેચાયા.30 કરતાં વધારે પૂર્ણકાલીન અને ખૂબ મોટી સંખ્યામાં અન્ય  કાર્યકર્તાઓ સતત મહેનત કરતા રહ્યા .મહિલા સંમેલન ,યુવા સંમેલન અને સ્થાનિક ભગતો અને મહિલા ભગતોના પણ સંમેલનો યોજાયા .તેનું પરિણામ જે ચાલી રહી મોરારીબાપુની કથામાં ઉપસ્થિત જનમેદની દેખાય છે.
           પૂજનીય બાપુએ પણ ખુલીને બધાને પોતાના મૂળ ધર્મમાં જોડાઈ રહેવા માટે આહવાન કર્યું છે .આ કથામાં તારીખ 10 માર્ચના રોજ મને  શ્રવણ લાભ મળ્યો અને પૂજનીય બાપુના આશીર્વાદ પણ. સ્થાનિક કાર્યકર્તા સાથે તેમણે કરેલી અને કરી રહેલ મેહનત બિરદાવી. 
         આગળના સમયમાં આ જાગરણ નું અનુવર્તન અને પરિવાર સંપર્ક કરી બધાને રામાયણ અને ગીતા આપવાનું નક્કી થયું. સ્થાનિક ભગતોની રજૂઆત સાંભળીને પૂજનીય બાપુના આહવાનને માન આપીને દાનવીરોએ આ વિસ્તારમાં 32 થી પણ વધારે સ્થાનોમાં હનુમાનજીના મંદિરો બનાવી આપવા માટેની તૈયારી બતાવી છે .એટલું જ નહીં પરંતુ આવતા વર્ષે આ પ્રકારની જાગરણની બીજી કથા પણ આ જ વિસ્તારમાં કરવા માટે પણ દાતા આગળ આવ્યા છે.ત્યા સાંભળેલા પૂજનીએ બાપુના વિચારોના થોડાક બિંદુઓ અહીંયા રજૂ કરું છું
• પૂજનીએ બાપુની આ કથામાં બાપુને આ વિસ્તારમાં આવવા માટેનું આહવાન નમ્ર સૂચન કરનાર બહેન ભાવિન બેન પટેલ કે જે મહુવા વાલોડમાં રહે છે તેમને બાપુએ વ્યાસપીઠ પર બોલાવી સન્માન કરી ભેટ પ્રતિક અર્પણ કરેલ
• આ કથા દરમિયાન ભગતોના સંમેલન ની અંદર સ્થાનિક ભાષામાં શબરી માનું ગીત પ્રચલિત કરનાર પૂર્ણકાલીન કાર્યકર્તા ભાઇકુભાઈ પવાર કે જેઓ ડાંગના છે સરકારી નોકરી છોડીને આ ધર્મજાગરણનુ કામ કરી રહ્યા છે તેમને પણ સ્ટેજ ઉપર બોલાવી સંપૂર્ણ શબરીનું આ ગીત ગવડાવી બાપુએ તેમનો સત્કાર કર્યો.
• આ  અનાદિવાસીઓની ભૂમિને મારા પ્રણામ
• આપણું કંઈ નથી આપણો ફક્ત એક જ છે અને તે છે આપણો રામ
• વનવાસી દીકરી હોય ને એટલે તો બહુ દોડી શકે 
• માતંગ ઋષિએ શબરીનો સ્કવીકાર કર્યો પોતાના આશ્રમમાં રાખી
• શબરી નો પ્રશ્ન શું મને રામ મળશે ?માતંગ ઋષિ નો જવાબ તને જરૂર મળશે .મને હજુ સુધી નથી મળ્યો પણ તને જરૂર મળશે .માતંગ ઋષિને નિર્વાણ મળ્યુ  પરંતુ નિર્વાણ નાયક ન મળી શક્યા .
• શબરીની ઝુંપડી  પૂછતા પૂછતા ભગવાન રામ આવે છે 
• ઉત્તરમાં વ્યાસ ઋષિ નો આશ્રમ પણ બદ્રિકાશ્રમ છે અને દક્ષિણમાં શબરી નો આશ્રમ પણ બદ્રિકાશ્રમ છે 
• ધીરજ કેવી !ચાખી ચાખી મીઠા બોરના ઠળિયા ગોતી તેને વાવે એ આમાંથી મીઠા બોર નું ઝાડ થાય અને મારા ભગવાન રામને હું મીઠા મીઠા બોર ખવડાવું 

 

"ક્યારે આવે રામ મારો ક્યારે આવે રામ"

• સેવાના નામે કે પ્રલોભનના નામે કોઈએ મૂળિયામાંથી તમને દૂર કર્યા હોય તો પાછા આવો.પાછા વળી જાઓ સનાતનના મૂળિયા તમને બોલાવી રહ્યા છે . પાછા ફરો આવી જાવ.સનાતનનું એક મુળિયું તલગાજરડા છે તે તમને આવકારે છે
• "આ લોટકે આજા મેરે ...."
• આપ સૌ આદિવાસીઓ અનાદિવાસીઓ આપ સૌને હું મળવા આવ્યો છું તમને જગાડવા આવ્યો છું. તમે સાવધાન છો સચેત છો છતાંય કોઈ કારણવશ જો નિંદ્રા આવી ગઈ હોય તો તમને જગાડવા આવ્યો છું. કોઈ કારણ વશ દૂર જતા રહ્યા હોય તો તમને બોલાવવા આવ્યો છું. જગાડીને જતો નહિ રહુ.મારા પરિવારમાં તમને ભેળવી દઈશ. ફક્ત મોરારીબાપુ નહીં સનાતન ધર્મની વ્યાસપીઠ તમને સ્વીકારવા તૈયાર છે.
• રામ નામ એ મંત્ર છે અને એનું પરિણામ કેવું છે !ભગવાન શંકર પણ કાલકોટ નામનો ઝેર રામ અને વિષની સંધિ કરીને પી ગયા અને વિશ્રામ થઈ ગયો. ફક્ત રામ નામ નો મહિમા .રામ મંત્ર બોલો .તમારો બેડો પાર .
• મારી કથાએ મારો સ્વાધ્યાય છે. હું તમને સાદ પાડવા આવ્યો છું બીજા ધર્મની બહુ વાતો સાંભળી પરંતુ આપણા મૂળ ધર્મ ને કેમ ભૂલી ગયા .તમારો મૂળ ધર્મ સનાતન ધર્મ છે અને એના વગર બાકી બધું અધૂરું છે .
• અન્ય ધર્મના લોકો કેવી રીતે નાના નાના બાળકોને પણ ભ્રમમાં નાખીને મન પરિવર્તન કરે .પોતાના ધર્મના ભગવાનની મૂર્તિ લાકડાની હોય હિન્દુ ધર્મના ભગવાનની મૂર્તિ લોખંડની હોય. બંનેનો દેખાવ સરખો રંગ સરખો પાણીમાં નાખે એટલે પોતાના ભગવાનની મૂર્તિ લાકડાની હોય તરી જાય અને હિન્દુ ધર્મના ભગવાનની મૂર્તિ લોખંડની હોય એટલે ડૂબી જાય .પછી કહેજો આ તમારા ભગવાન તો પોતે ડૂબી ગયા તમને કેમ તારશે ,તારે તો અમારા ભગવાન. એક માર્ગી સાધુએ તો કહ્યું અમારે ત્યાં જળ પરીક્ષા ની નહીં પણ અગ્નિ  પરીક્ષાના છે.રહેવા જ છે ચાલો તમારી મૂર્તિ અને અમારી મૂર્તિ અગ્નિમાં નાખીએ પછી જોઈએ પરિણામ.