Sunday, May 4, 2025

ડાંગ “ માં શબરી ભવન” લોકાર્પણ પ્રસંગે




 ડાંગ આહવા મુકામે આજે ઉત્સવનો દિવસ છે .

આનંદનો દિવસ છે .

મોટી સંખ્યામાં સંઘના સ્વયંસેવકો ,કાર્યકર્તાઓ ,શુભેચ્છકો સ્નેહીજનો અને દાતાઓ આજે એકત્ર થયા છે .

કારણ આજે સંઘ કાલિયા નું લોકાર્પણ છે.

 

સંઘ નું કામ એ સંઘ માટેનું કામ નથી .

સંઘનું કામ એ સમાજનું કામ છે .

જે કામ પૂરા સમાજે કરવું જોઈએ એ કામની શરૂઆત સંધે કરેલી છે .

જે કામ સમાજે પોતાના માટે કરવું જોઈએ ,જે કામ સમાજે દેશ માટે કરવું જોઈએ, જે કામ સમાજે વ્યક્તિ અને પરિવાર માટે કરવું જોઈએ એવા એક કામની શરૂઆત સંધે કરેલી છે.

દુનિયાના કોઈપણ દેશમાં સમાજ જયારે વ્યક્તિ, પરિવાર અને રાષ્ટ્ર માટે કામ કરતો થાય ત્યારે તે સમાજ અને રાષ્ટ્ર સુખી ,સુરક્ષિત અને પ્રતિષ્ઠિત થાય છે અને તેના કારણે વિશ્વ આખું લાભાનવિત થાય છે.

આપણો દેશ છેલ્લા અંદાજે 2000 વર્ષોથી અમુક રોગોથી પીડાયો .આત્મવિસ્મૃતિ, વધતો જતો સ્વાર્થ ભાવ, ભેંદભાવોની ખાઈ કર્તવ્યથી વિમુક્તતા એ બધાએ ગુલામી નો સમય આપ્યો.જેનો લાભ વિદેશીઓએ લીધો દેશ અને સમાજને ગુલામ બનાવ્યા .સમાજે કરવાનું કામ બંધ થયું સમાજ નિર્માલ્ય બન્યો.પરંતુ આ કામ ફરીથી કોઈ શરૂ તો કરવું પડે ..

કોણ પ્રારંભ કરે?

અને એવું કામ કરનાર અનેક મહાપુરુષોની હારમાળામાં એક ડોક્ટર હેડગેવાર જેમને  આ કામ શરૂ કર્યું અને એ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના.આ સંઘ સમાજ માટે કામ કરવાનું એક મોડલ ,એક નમૂનો ,એક સ્ટાર્ટર છે 

જેવી રીતે કાર અને સ્કૂટરમાં શરૂ કરવા માટે ચાવી હોય કિક મારવી પડે ,એવી રીતે સમાજનું આ કામ શરૂ કરવા માટેનું શરૂઆતની કીક કે ચાવીનું કામ એ સંઘે કર્યું  છે .

પરંતુ એકવાર વાહન ચાલુ થાય પછી વાહન એની મેળાએ ચાલવા મંડતું હોય છે .સંઘે પણ આવી રીતે આ કામ શરૂ કર્યું સમાજ માટેનું .હવે સમાજ પોતાની રીતે બધા કામ કરતો થાય તે જરુરી છે.સંઘ સ્ટાર્ટરનું કામ નિભાવે 

પૂરું મશીન એટલે કે વ્યક્તિ સમાજ કુટુંબ એ પોતાની મેળે આ જ રસ્તે આગળ ચાલતા થાય તો, પોતે પણ સુખી થાય અને વિશ્વને પણ માર્ગદર્શન આપે

 

આ કામ હિન્દુ સંગઠનનું છે .

આ દેશના પુત્રવત સમાજ હિન્દુઓનું છે .

સેમ્યુઅલ હન્ટિંગટને કહ્યું છે કોઈપણ દેશનો પુત્રવધ સમાજ કોણ હોય? અંગ્રેજીનું પુસ્તક who are we?

ભારતના કોઈપણ કામ માટે એનો પુત્રવધ સમાજ હિન્દુ જ ઉત્તરદાયી છે અને એ કામ એટલે ભારત માતાની ભક્તિ .

આજે હિન્દુ સમાજની પ્રતિષ્ઠા વધી છે ભારતની પ્રતિષ્ઠા વધી છે .આ કામ આપણા માટેનું છે આપણે કરવાનું છે

 

આવા હિન્દુ સમાજનો સંગઠન એ સમાજનું કાર્ય .સંધે એનું સ્ટાર્ટ કર્યો .આવા સંઘ કાર્યનું આલય એટલે સંઘ કાર્યાલય .કાર્ય તો સંઘનું અત્ર તત્ર સર્વત્ર છે.પરંતુ એક જગ્યાએથી આ બધું કામ જોતા રહેવાનું સ્થાન એટલે શું કાર્યાલય .સંઘના કામનો અનુભવ જ્યાં મળી શકે તે સ્થાન એટલે સંઘ કાર્યાલય .આ ફક્ત ભવન નથી .કાગળ પત્ર રાખવાની કોઈ જગ્યા નથી .થોડા લોકોને રહેવાની પણ કોઈ જગ્યા છે એવું પણ નથી .સંઘનો જ્યાં ઘનીભૂત અનુભવ મળે એ સંઘ કાર્યાલય.અહીં આવનારને અનુભવ થવો જોઈએ કે એ જે સમાજને રાષ્ટ્ર સાથે જોડાઈ રહ્યા છે અને અહીંયા જે આવે એમનામાં આ ગુણોનું નિર્માણ થઈ અપેક્ષિત છે .(૧)સત્ય (૨)તપસ્યા (૩)કરુણા અને(૪)શુચિતા

 

આ બધું કાર્યાલયમાં દેખાય 

 સંઘ કાર્યાલય યાંત્રિક બાબતો ,ટેકનોલોજી વૃત લેવું દેવું ,સુચના ,ભંડાર ,પુસ્તક ,ગણવેશ લેવાદેવા ની ફક્ત જગ્યા નથી .અહીં એક ભાવનાત્મક સાર્થક વાતાવરણ ઉત્પન્ન થાય છે .આ સંઘની ઓફિસ જેવું નથી હોતું. 

થોડુંક કદાચ હોસ્ટેલ જેવું લાગે પરંતુ એક ઘર જેવું છે .

અહીંથી સૂચના આવે અહીંથી સૂચના જાય .

ફક્ત વસ્તુ નહીં પણ સાથે ભાવ પણ જાય .સંઘનો ભંડાર કે ગણવેશ થાય તેની સાથે સંઘ ભાવ જાય.સંધ કાર્યાલય સંઘથી જ ઓળખાય .સંઘ એટલે body of individual ટેકનિકલ ટર્મમાં ઠીક છે .પણ અહીં એ નથી  અહીં જીવંતતા અને  વાતાવરણ ખરું કરે આની અનુભૂતિ થવી જોઈએ .

      આવું કરનાર કોણ છે ?આવનાર  સ્વયંસેવકો ,અહીં રહેતા કાર્યકર્તાઓ ,પ્રચારકો પૂર્ણકાલીન કાર્યકર્તા ,બહારથી આવનાર શુભેચ્છકો , દાતાઓ ,આ ભવનનું નિર્માણ કરતા કારીગરો પણ આવી ભાવનાવાળા છેં.કાર્યાલયમાં કામ કરનાર બધા ભક્તિ ભાવથી કામ કરે .

એ સફાઈ કરનાર, રસોઈ કરનાર કે ચોકીદાર હોય કે કોઈ પણ આ ભાવથી કામ થાય .

       હાજર રહેલા તમે પણ અહીં કેમ આવ્યા છો? આ જ સંઘના ભાવથી આવ્યા છો .કાર્યાલય બની ગયા પછી રહેનાર રહેશે આવશે અને જશે .બધા જ કાર્યકર્તા સમાન એના માટે પણ આવો ભાવ બની રહે .આ ભાવ એટલે અતિથિભાવ પણ રહે.

     આ જનજાતિય વિસ્તાર છે .અહીંયા પ્રકૃતિની સાથે વસતા લોકો છે .અહીં માતા શબરીના વંશજો છે .ભારત પણ ધર્મ પ્રધાન દેશ છે .સંઘનો કાર્યાલય એટલે એવું સ્થાન કે તે ક્યાં ઘડિયાળને ચાવી આપનાર પણ સંઘનો સ્વયંસેવક બની જાય 

     સંઘ હમેશા પોતાનું કામ પોતાના હાથે કરે છે અને સમાજનું કામ હોય તો સમાજનો સહયોગ લે છે .એટલે કાર્યાલય બનાવવા માટે પણ સંઘે સ્વયમસેવકો પાસેથી જ અનુદાન.લીધેલ હોય છે .

       પંડિત મદન  મોહન માલવયા ડૉ હેડગેવાર ને મળ્યા હતા અને કહ્યું સંઘ કાર્ય માટે કંઈ આર્થિક જરૂરિયાત હોય તો કહેજો હું તો માગનાર શાહી ભિખારી છું .ત્યારે તેમણે કહ્યુ હતું કે આપના જેવા ના આશીર્વાદ અમારા માટે ઉપયોગી છે .ધન રાશીની વ્યવસ્થા સ્વયં પાસેથી કરીએ છીએ. આજે લોકોની સ્થિતિ સુધરી છે તો કાર્યાલય પણ થોડા સારા નવા જરૂરિયાત મુજબ નથી શકે છે .

        પહેલા એક સમય હતો પહેલા કાર્યાલયની જરૂર પડતી નહોતી કારણ કામ પણ મર્યાદિત હતું અને કાર્યકર્તાનું ઘર જ કાર્યાલય હતું .એની પહેલા તો ડોક્ટર હેડગેવાર જ કાર્યાલય હતા. આજકાલના કાર્યક્રમોમાં જરૂરી વ્યવસ્થા સમય પ્રમાણેની હોય છે.પરંતુ ત્યાં પરિશ્રમ હોય છે સાદગી હોય છે મિત વ્યય હોય છે .ખોટી લક્ઝરીને આવશ્યકતા નહીં .જરૂરિયાતો પૂર્ણ થવી જોઈએ હવે  વધુને બહારથી આવનાર લોકોને પણ વ્યવસ્થા ઠીક જળવાઈ જોઈએ .ઉદાહરણ નાગપુરના તૃતીય વર્ષમાં મોરારજી દેસાઈના પ્રપોત્ર આવેલ તો કાર્યાલય પરિસરમાં જ રોકાયેલા .જેવી રીતે મકાન બનાવવા માટે નગરપાલિકા સરકારના કોઈ માનાંક હોય છે સંઘ કાર્યાલય માટે પણ આવા અમુક માનાંકો છે.

       સંઘ ભાવના હંમેશા જીવંત રહેવી જોઈએ .દેશકાળ પરિસ્થિતિ અનુસાર બદલ થાય ઘણી વસ્તુઓ નાની હોય સૂક્ષ્મ હોય દેખાય નહીં પરંતુ બહારથી જ્યારે વિકાસ થાય ત્યારે વટવૃક્ષ બને .આજે સંઘ કાર્ય થોડા મોટા વૃક્ષ બનેલા લાગે.કારણ કે સંઘનું કાર્ય ગતિવિધિઓ મુજબ વ્યવસ્થાઓ ની જરૂરિયાત પણ વધી છે .પરંતુ આ બહારનું રૂપ છે વાસ્તવિક રૂપ તો અલગ જ છે અને એ છે સંઘભાવ .સંઘભવ હંમેશા વર્ધિષ્ઠ લેવો જોઈએ વધતો રહેવો જોઈએ .

     ભવન એ ક્રિયાપદ છે ત્યાં કંઈક થાય છે .અહીંયા સંઘભાવની  ની ક્રિયા બની રહે તે જ મહત્વનું છે .

સંઘના કાર્યાલયમાં અભાવ ન હોવો જોઈએ તેમ વધુ પડતો ખોટો પ્રભાવ પણ ન હોવો જોઈએ.કાર્ય પહેલા આવતું હોય છે અને પછી આલયની જરૂર પડે એટલે કાર્યાલ બને આવુ મોરોપંતજી એ રાજકોટમાં કહ્યું હતું .

       આજે સંઘની દશા બદલાય છે પરંતુ દિશા નથી બદલાય એને યાદ રાખવું જોઈએ .કાર્યાલય એક જીવંત બની રહે અહીંયા અતિથિ દેવોની ભાવના જળવાઈ રહે વ્યવસ્થિતતા જળવાઈ રહે વ્યવસ્થાનું મંદિર બને .

ઉદાહરણ નરેન્દ્ર ભાઈ પંચાસરા .સ્વદેશીનો ભાવ રહે . વન માંખ ઉપવન અને નંદનવન બને.

      માતા શબરી નું નામ કાર્યાલય સાથે જોડાયુ છે .શબરી એક પ્રકૃતિનુ પ્રતીક છે .જનજાતિ વિસ્તારની માતા છે .ભગવાનની રામની રાહ જોતી હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક છે .પોતે ચાખીને મીઠી વસ્તુઓ અન્યને આપનાર માતૃશક્તિ છે .હિંસાથી દૂર રહી આજીવન અપરણિત રહી ગુરુની વાત માનીને શુભ કાર્ય રામની રાહ જોનાર એટલે શબરી .આવા શબરીના આપણે ભૌતિક ,માનસિક ,બૌદ્ધિક અને ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ વારસ છીએ .એ વારસો ભુલાય નહી એ યાદ કરાવવાનું ધામ એટલે 

“માં  શબરી ભવન”. 

Wednesday, March 12, 2025

પૂ મોરારીબાપુ ની સોનગઢમાં રામ કથા અને જનજાગરણ







 


•      પૂજ્ય મોરારીબાપુની ડાંગ વિસ્તારમાં સોનગઢ મુકામે રામકથા ચાલી રહી છે .
           ૨૦૦૫  ની સાલમાં પૂજ્ય મોરારીબાપુ એ શબરીધામ (સુબીર)સ્થાને રામકથા કરી હતી. ત્યારે ત્યાંના જનજાતિય લોકો _આદિવાસી બંધુઓને કથામાં સૌથી આગળ બેસાડતા અને કહેતા તમે તો મા શબરીના વંશજો છો કે જેમના ઘરે ભગવાન રામ આવ્યા હતા. કથાના અંતે મોરારીબાપુએ આહવાન કર્યુકે અહીંયા એક શબરી કુંભ થઈ જાય .રાષ્ટ્રીય અને સામાજિક કામ કરતા અનેક કાર્યકર્તાઓ ,વનવાસી કલ્યાણ આશ્રમ, ધર્મજાગરણ અને શ્રદ્ધા જાગરણના કાર્યકર્તાઓ તથા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકોએ બાપુનું આ આહવાન ઉપાડી લીધું. 2006 ની સાલમાં ત્યાં ખૂબ મોટો શબરી કુંભ થયો .મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના વનવાસી વિસ્તારના બંધુઓ ખૂબ મોટી સંખ્યામાં ત્રણ દિવસ શબરી કુંભમાં હાજર રહ્યા . પૂ શંકરાચાર્ય અનેક સાધુ સંતો ને ગુજરાતના એ વખતના મુખ્યમંત્રી મા.નરેન્દ્રભાઈ મોદી પણ તેમાં ઉપસ્થિત રહ્યા .આ શબરી કુંભના કારણે આ વિસ્તારમાં હિન્દુત્વનું વાતાવરણ દ્રઢ બન્યું. ધર્માંતરણ કરેલા અનેક લોકોએ પોતાના મૂળ સનાતન ધર્મમાં પરત કર્યા. એટલું જ નહીં પરંતુ ખરેખર રામ ,હનુમાનજી મહારાજ અને શબરીના ભક્તિ ફરી વળી .
             ફરીવાર આ જ વિસ્તારની અંદર ધર્મ જાગરણ અને સમાજને ભ્રમ ફેલાવીને પોતાની મેલી મુરાદ બાર લાવતા  લોકોથી સાવચેત કરવા માટે અને અનેક બંધુઓ જે ભગવાન રામ અને શબરીના નામથી આંદોલિત થયા છે તેમને ફરીથી સંબોધવા માટે પૂજનીય મોરારીબાપુએ આ કથા ત્યાં આપી . પૂ બાપુના અનુયાયીઓએ બધી જ વ્યવસ્થા ઉપાડી લીધી .આસપાસના વિસ્તારનો ધર્મજાગરણનું કામ સ્થાનિક કાર્યકર્તાઓએ કર્યું. ગામે ગામ અને ઘરે ઘરે સંપર્ક, કાર્યક્રમોની આમંત્રણ પત્રિકા ,સ્ટીકર અને હનુમાનજીના લોકેટો વહેચાયા.30 કરતાં વધારે પૂર્ણકાલીન અને ખૂબ મોટી સંખ્યામાં અન્ય  કાર્યકર્તાઓ સતત મહેનત કરતા રહ્યા .મહિલા સંમેલન ,યુવા સંમેલન અને સ્થાનિક ભગતો અને મહિલા ભગતોના પણ સંમેલનો યોજાયા .તેનું પરિણામ જે ચાલી રહી મોરારીબાપુની કથામાં ઉપસ્થિત જનમેદની દેખાય છે.
           પૂજનીય બાપુએ પણ ખુલીને બધાને પોતાના મૂળ ધર્મમાં જોડાઈ રહેવા માટે આહવાન કર્યું છે .આ કથામાં તારીખ 10 માર્ચના રોજ મને  શ્રવણ લાભ મળ્યો અને પૂજનીય બાપુના આશીર્વાદ પણ. સ્થાનિક કાર્યકર્તા સાથે તેમણે કરેલી અને કરી રહેલ મેહનત બિરદાવી. 
         આગળના સમયમાં આ જાગરણ નું અનુવર્તન અને પરિવાર સંપર્ક કરી બધાને રામાયણ અને ગીતા આપવાનું નક્કી થયું. સ્થાનિક ભગતોની રજૂઆત સાંભળીને પૂજનીય બાપુના આહવાનને માન આપીને દાનવીરોએ આ વિસ્તારમાં 32 થી પણ વધારે સ્થાનોમાં હનુમાનજીના મંદિરો બનાવી આપવા માટેની તૈયારી બતાવી છે .એટલું જ નહીં પરંતુ આવતા વર્ષે આ પ્રકારની જાગરણની બીજી કથા પણ આ જ વિસ્તારમાં કરવા માટે પણ દાતા આગળ આવ્યા છે.ત્યા સાંભળેલા પૂજનીએ બાપુના વિચારોના થોડાક બિંદુઓ અહીંયા રજૂ કરું છું
• પૂજનીએ બાપુની આ કથામાં બાપુને આ વિસ્તારમાં આવવા માટેનું આહવાન નમ્ર સૂચન કરનાર બહેન ભાવિન બેન પટેલ કે જે મહુવા વાલોડમાં રહે છે તેમને બાપુએ વ્યાસપીઠ પર બોલાવી સન્માન કરી ભેટ પ્રતિક અર્પણ કરેલ
• આ કથા દરમિયાન ભગતોના સંમેલન ની અંદર સ્થાનિક ભાષામાં શબરી માનું ગીત પ્રચલિત કરનાર પૂર્ણકાલીન કાર્યકર્તા ભાઇકુભાઈ પવાર કે જેઓ ડાંગના છે સરકારી નોકરી છોડીને આ ધર્મજાગરણનુ કામ કરી રહ્યા છે તેમને પણ સ્ટેજ ઉપર બોલાવી સંપૂર્ણ શબરીનું આ ગીત ગવડાવી બાપુએ તેમનો સત્કાર કર્યો.
• આ  અનાદિવાસીઓની ભૂમિને મારા પ્રણામ
• આપણું કંઈ નથી આપણો ફક્ત એક જ છે અને તે છે આપણો રામ
• વનવાસી દીકરી હોય ને એટલે તો બહુ દોડી શકે 
• માતંગ ઋષિએ શબરીનો સ્કવીકાર કર્યો પોતાના આશ્રમમાં રાખી
• શબરી નો પ્રશ્ન શું મને રામ મળશે ?માતંગ ઋષિ નો જવાબ તને જરૂર મળશે .મને હજુ સુધી નથી મળ્યો પણ તને જરૂર મળશે .માતંગ ઋષિને નિર્વાણ મળ્યુ  પરંતુ નિર્વાણ નાયક ન મળી શક્યા .
• શબરીની ઝુંપડી  પૂછતા પૂછતા ભગવાન રામ આવે છે 
• ઉત્તરમાં વ્યાસ ઋષિ નો આશ્રમ પણ બદ્રિકાશ્રમ છે અને દક્ષિણમાં શબરી નો આશ્રમ પણ બદ્રિકાશ્રમ છે 
• ધીરજ કેવી !ચાખી ચાખી મીઠા બોરના ઠળિયા ગોતી તેને વાવે એ આમાંથી મીઠા બોર નું ઝાડ થાય અને મારા ભગવાન રામને હું મીઠા મીઠા બોર ખવડાવું 

 

"ક્યારે આવે રામ મારો ક્યારે આવે રામ"

• સેવાના નામે કે પ્રલોભનના નામે કોઈએ મૂળિયામાંથી તમને દૂર કર્યા હોય તો પાછા આવો.પાછા વળી જાઓ સનાતનના મૂળિયા તમને બોલાવી રહ્યા છે . પાછા ફરો આવી જાવ.સનાતનનું એક મુળિયું તલગાજરડા છે તે તમને આવકારે છે
• "આ લોટકે આજા મેરે ...."
• આપ સૌ આદિવાસીઓ અનાદિવાસીઓ આપ સૌને હું મળવા આવ્યો છું તમને જગાડવા આવ્યો છું. તમે સાવધાન છો સચેત છો છતાંય કોઈ કારણવશ જો નિંદ્રા આવી ગઈ હોય તો તમને જગાડવા આવ્યો છું. કોઈ કારણ વશ દૂર જતા રહ્યા હોય તો તમને બોલાવવા આવ્યો છું. જગાડીને જતો નહિ રહુ.મારા પરિવારમાં તમને ભેળવી દઈશ. ફક્ત મોરારીબાપુ નહીં સનાતન ધર્મની વ્યાસપીઠ તમને સ્વીકારવા તૈયાર છે.
• રામ નામ એ મંત્ર છે અને એનું પરિણામ કેવું છે !ભગવાન શંકર પણ કાલકોટ નામનો ઝેર રામ અને વિષની સંધિ કરીને પી ગયા અને વિશ્રામ થઈ ગયો. ફક્ત રામ નામ નો મહિમા .રામ મંત્ર બોલો .તમારો બેડો પાર .
• મારી કથાએ મારો સ્વાધ્યાય છે. હું તમને સાદ પાડવા આવ્યો છું બીજા ધર્મની બહુ વાતો સાંભળી પરંતુ આપણા મૂળ ધર્મ ને કેમ ભૂલી ગયા .તમારો મૂળ ધર્મ સનાતન ધર્મ છે અને એના વગર બાકી બધું અધૂરું છે .
• અન્ય ધર્મના લોકો કેવી રીતે નાના નાના બાળકોને પણ ભ્રમમાં નાખીને મન પરિવર્તન કરે .પોતાના ધર્મના ભગવાનની મૂર્તિ લાકડાની હોય હિન્દુ ધર્મના ભગવાનની મૂર્તિ લોખંડની હોય. બંનેનો દેખાવ સરખો રંગ સરખો પાણીમાં નાખે એટલે પોતાના ભગવાનની મૂર્તિ લાકડાની હોય તરી જાય અને હિન્દુ ધર્મના ભગવાનની મૂર્તિ લોખંડની હોય એટલે ડૂબી જાય .પછી કહેજો આ તમારા ભગવાન તો પોતે ડૂબી ગયા તમને કેમ તારશે ,તારે તો અમારા ભગવાન. એક માર્ગી સાધુએ તો કહ્યું અમારે ત્યાં જળ પરીક્ષા ની નહીં પણ અગ્નિ  પરીક્ષાના છે.રહેવા જ છે ચાલો તમારી મૂર્તિ અને અમારી મૂર્તિ અગ્નિમાં નાખીએ પછી જોઈએ પરિણામ.

Wednesday, February 12, 2025

प्रयागराज महाकुंभ मेला-२०२५


 

प्रयागराज में अभी महाकुंभ मेला चल रहा है। मकरसंक्रांति से लेकर शिवरात्रि चलने वाला यह महाकुंभ 12 साल के बाद आया है ।समुद्र मंथन के बाद अमृत कलश ले जाने के समय अमृत के बिंदु जहां-जहां गिरे ये चार स्थान प्रयागराज ,हरिद्वार, उज्जैन और नासिक के स्थान पर कुंभ मेला लगता है ।दुनियाके लोगके लिए एक अजीब सवाल है यह एक ऐसा मिला है  जहां कोई आमंत्रण देने वाला नहीं होता ।फिर भी हिंदू धर्म में मानने वाले सनातन हिंदूधर्मी कहीं भी हो अपने आप को कुंभ में आकर पवित्र स्थान करने का मन में इच्छा रखता है ।

            इस बारकी यह प्रयागराज की कुंभ की यात्रा एक विशेष रही ।शासन प्रशासन की व्यवस्था ,स्वच्छता ,आए हुए लोगों की अनुशासन से चलने की क्षमता और एक दूसरे को मदद करने की भावना जगह-जगह को देखनेको मिली। गंगा यमुना और सरस्वती के त्रिवेणी संगम पर स्नान करना अपने आप जीवन में एक बहुत महंगा अवसर होता है। इनके लिए लोग कहीं दूर से अपने-अपने जो वाहन मिले उससे वहां आते हैं ।और चलते हुए ,परिश्रम करते हुए स्थान का आनंद लेते हैं ।इतनी ज्यादा लोगों की भीड़ होने के बजाय अपेक्षा से बहुत कम समस्या निर्माण होती है ।यह हमारा एक अनुशासन ही कहा जाए ।                  इस बार यह कुंभ मेला का प्रचार प्रसार और लोगों में आने का आकर्षण बहुत बड़ा है। हमने देखा बहुत से युवा लोग अपने परिवार के साथ कुंभ में स्नान करने पहुंचे।देश के राष्ट्रपति, प्रधानमंत्री से लेकर कई राजकीय, सामाजिक आगेवन और सभी पंथ संप्रदाय के संतों ने इनका लाभ लिया है। विशेष कर अनुसूचित जाति, जनजाति में लोकप्रिय संत ,शिख संप्रदाय के संत और बौद्ध धर्म के अनुयाई भी कुंभ में आए । एक समरसता का वातावरण निर्माण हुआ वसुधैव कुटुंबकम का दुनिया भर को आग्रह करने वाला देश है। 40 से 50 करोड लोग एक स्थान पर निश्चित समय मर्यादा में एकत्र होकर एक साथ मां गंगा की उपासना करें और त्रिवेणी  संगम स्नान करें यह भारत में ही हो सकता है ।यही बताता है कि यही रास्ते से हम विश्व गुरु के स्थान पर अपनी नियति निभाते निभाते पहुंचेंगे। भारत माता की जय।