Thursday, November 2, 2023

કિશનદાશજી ઇશ્વરદાસજી નિમાવત



મૂળ કુવારદ ના , મોરબીમા ઘણો સમય રહેલા ,રામજી મંદિરની પૂજા કરનાર, જેમણે સંઘની ગ્રામ્ય વિસ્તારની વિવિધ જવાબદારી સંભાળેલ અને કાયમી સંપર્ક , પ્રવાસ તથા પોસ્ટકાર્ડ પત્ર લખવાની વિશેષતા ધરાવનાર, બધાની ત્રણ પેઢીનાં નામ વાળી યાદી રાખવાનો જેને સ્વભાવ હતો તેવા કિશનદાશજી ઇશ્વરદાસજી નિમાવત ( કુવારદ)આજે રામચરણ પામ્યા છે. ભગવાન રાઘવેન્દ્ર સરકાર એમના દિવ્યઆત્મા ને શાંતિ આપે જય સીતારામ🙏🏻

स्व. रंगा हरीजीके स्मरण




राष्ट्रीय स्वयंसेवक संघ के वरिष्ठ आदरणीय प्रचारक माननीय रंगा  हरि जी के स्वर्गवास के समय हमारे मन में उनसे स्मरणकी काफी कुछ यादें आ रही है । उनका परिचय  अखिल भारतीय बैठक और संघ शिक्षा वर्ग तृतीए वर्ष में हुआ था। अखिल भारतीय बौद्धिक प्रमुख के नाते बौद्धिक कार्यक्रम में छोटी छोटी बातो  क्या महत्व है वह अच्छी तरह से समझाते थे। धोलका के पास कली कुंड में हुए बौद्धिक प्रमुखोकी बैठक में एक सुंदर प्रभावशाली बात कही थी । वो कहते थे “हमारे गीत एकांत में बौद्धिक होते हैं “
        संघ शिक्षा वर्ग और अन्य समय पर उनके बौद्धिक  एकदम सटीक बिंदु सह क्रमश आगे बढ़ते और काफि कुछ उदाहरण के साथ रहते थे ।भारत देश में भारतीयत्व और हिंदुत्व का क्या तफावत समझाते मैथिली, जानकी और सीताके नाम में क्या तफावत  है  वैसे उदाहरण से समजाते थे।अपने रसोईघर में रहते salt और केमिकल लैबोरेटरी रहे salt कहनेमे क्या मतलब हैं ऐसे उदाहरण वो बताते थे।
       पुनरुत्थान ट्रस्ट की पुस्तक “अधिक जनन शास्त्र “के विमोचन  समय उन्होंने कहा था मैं संघ का प्रचारक इस विषय में क्या ज्यादा बता सकता । लेकिन मैंने जो पढा है ,जो सुना है और जो  हमारे ऋषि-मुनियों ने बताया है वह बात करूंगा।
          किसी भी भाषा को सीखना है गीता के द्वारा हम शिख  सकते है। एक बार साधना सप्ताहिक के कार्यालय पर बैठे कार्यकर्ता के साथ चर्चा में यह बताया था।
       मोरबी में हुए विशाल  हिंदू सम्मेलन के समय मेरे घर उनका  भोजन रखा था। भोजन के बाद मेरे  परिवार की महिलाओं के साथ भारतीय भोजन की विशेषताएं और एक ही भोजन की अलग-अलग अंदर मिलाए जाने वाली चीजें अलग अलग प्रांत में कैसे बदलती है  वह काफी कुछ समय चर्चा करते बताया था। उनके साथ बैठने से बातें करने से काफी कुछ अनुभव के प्रसंग सुनने को मिलते थे । ऐसे हमारे आदरणीय अभी नहीं रहे लेकिन उन्होंने कई हुए काफी बाते और कुछ पुस्तकें उनकी याद दिलाती रहेगी।

Thursday, October 19, 2023

મોરબીના પનોતા પુત્ર ઓ. આર.પટેલ સાહેબને શાબ્દીક શ્રધ્ધાંજલી

        





મોરબીના પનોતા પુત્ર ઓધવજીભાઈ પટેલ કે જેઓ ઓ.આર. પટેલ ના નામે ઓળખાયા ,તેઓશ્રી એક ખેડૂત-પાટીદાર પુત્ર તરીકે જન્મ લેનાર ચાચાપરના વતની હતા.પોતાની મહેનત ,પરિશ્રમ ,આગવી સુઝ અને કુદરતની કૃપાથી એક મહામાનવ બન્યા .એટલું જ નહીં પરંતુ મોરબી થી માંડી પાટીદાર જ્ઞાતિ થી આગળ વધી ગુજરાત અને વિશ્વકક્ષાએ પહોંચી શકાય એવા એક વિશિષ્ટ માનવી બન્યા .એમની આ યાત્રા સૌને પ્રેરણાદાયક છે.

      ખેડૂત પુત્ર હોવા છતાં અભ્યાસ કરીને મોરબીની વીસી ટેકનિકલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કર્યું .પોતાના વિષય વિજ્ઞાન માં ઓતપ્રોત રહેતા.અમે જ્યારે 1976 થી 78 ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ માં ત્યાં વીસી ટેક હાઇસ્કુલ માં ભણતા ત્યારે ફિઝિક્સના વિષયમાં ખૂબ રસ લઈને બધાને વિજ્ઞાન પ્રેમી બનાવ્યા .કોઇ પણ સમયે ચા પીતા કેન્ટીન માં પણ વિજ્ઞાનના સવાલો સમજાવવા બેસી જતા. વિદ્યાર્થી માટે હરહંમેશ તૈયાર રહેતા જેનો અન્ય શિક્ષકોએ વારસો જાળવેલ.સાથે સાથે સ્કૂલનું એનસીસીનું કામ પણ સંભાળતા હતા .એક આદર્શ અનુશાસન માટે મન બનાવીને કામ કરવાવાળા તેઓ સ્વદેશીના આગ્રહી હતા. 

       પોતાના શિક્ષક તરીકેની વ્યવસાય માંથી નિવૃત્તિ પછી તેમણે શરૂ કરેલી ઉદ્યોગની પ્રવૃત્તિ આગળ વધી.મોરબીનો  જૂનો અને જાણીતો ઘડિયાળ ઉદ્યોગમાં વિશેષ કરવાના કામમાં લાગી ગયા. નાના પાયે થયેલું કાર્ય ધીરે ધીરે એમની આગવી સુઝ અને અનુસાશન યુકત કાર્ય ,પરિવાર જનો અને અન્ય સમકક્ષ મિત્રોનો સહયોગ લઇ દિવાલ ઘડિયાળમાં એક નામ બન્યું . “અજંતા “ એક બ્રાન્ડ બની .તેઓ પોતાના કુટુંબ ,ગામ પરિવાર અને જ્ઞાતિથી ઉપર ઉઠીને સમાજ માટે ઘણા બધા એવા કામ કર્યા કે જે પ્રેરણા લઇ યાદ કરવા જેવા છે.

       તેઓ શ્રી એ પોતાના ઘડિયાળ ના કારખાનામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને બહેનોને કામ કરવા માટે પ્રેરણા આપી ,બહેનોમાં રહેલી સ્કિલને ઝીણવટભર્યા કામની આવડતને  એમણે ઉદ્યોગ સાથે જોડી .એટલું જ નહીં પરંતુ ગરીબ પરિવાર અને બહેનોને આર્થિક કમાણી સાથે પોતાના ભાવિ જીવનની તૈયારી કરવામાં ખૂબ ઉપયોગી થયા .જીવનના અનેક પ્રસંગોએ પોતાના ઉદ્યોગ તરફથી એમને અપાતી ભેટો દીકરીઓનું ભાવિ જીવન સ્વાવલંબી થવા પ્રેરક રહયા.ડ્રાઇવીંગથી માંડીને સુપરવાઇઝર સુધીના કામો માટે બહેનોને તૈયાર કર સ્ત્રી સશક્તિકરણ ની મશાલ જગાડી.

        મોરબીમાં જ્યારે સ્વાસ્થ્ય માટે એક કોઈ એક ચેરીટેબલ ટ્રસ્ટની જરૂર હતી .મોરબીના સદભાવના પરિવાર દ્વારા બનાવવામાં આવેલી ટ્રસ્ટના આ કાર્યમાં અમારો પતિ પત્નીનો 1988 માં પ્રવેશ થયો .નાની હોસ્પિટલની કામગીરી અને ટ્રસ્ટના કામને વધારવા માટે નવા ટ્રસ્ટીઓમાં ઓ.આર પટેલ જોડાયા .સરકારની મદદ, મ્યુનિસિપાલિટી દ્વારા અપાયેલ જમીન , તેમના દાન અને વિઝનના કારણે હાલમાં સ્થિત મોરબીની સદભાવના હોસ્પિટલ નું નિર્માણ ૧૯૯૨ માં થયુ .આ કામના શરુઆતના પાંચ વર્ષ અમે જોડાયેલ રહ્યા.આજે આ હોસ્પીટલ મોરબીની આસપાસના અનેક લોકોના સ્વાસ્થ્ય માટે કામ કરી રહી છે . તેને વિકસાવવા માટે પોતાના દ્વારા આર્થિક અને પોતાના મિત્રો સહયોગી નો સાથ લઇને કામ ઉભુ કર્યુ હતુ. પૂજય ઓ આર પટેલ સાહેબને આપણે યાદ કરવા જોઈએ સ્વાસ્થ્યનું આ કામ સ્વથી ઉપર ઉઠી સમાજ માટે સૌને ઉપયોગી થાય તેવી સામાજીક સંસ્થા આપી.

        મોરબીની આસપાસના ગ્રામ્ય વિસ્તારના પરિવારોમાંથી બહેનોના શિક્ષણ માટેની એક ખૂબ જરૂરિયાત લોકોએ અનુભવી .મોરબીના જયરાજભાઇ પટેલ અને અનેક એવા શિક્ષણના કામને વરેલા મહાનુભાવો સાથે મોરબીમાં કન્યા છાત્રાલય અને સાથેના વિદ્યાલય અને કોલેજ જેવી વિદ્યામંદિર ઉભા કર્યા. આજે સમાજની જુદી જુદી બહેનો પોતે અભ્યાસ કરીને પગભર થઈ રહી છે અને વિવિધ ક્ષેત્રોની અંદર ખૂબ આગળ પડતા સ્થાન માં રહી અગ્રેસર ભાગ ભજવ્યો છે એ પણ એમના એક ચિંતન અને દૃષ્ટિને આભારી છે.

         પોતે હંમેશા સ્વદેશી વસ્તુઓનો આગ્રહ કરતાં .તેમને એક બીડી નું વ્યસન હતુ, પરંતુ એ બીડી પણ સ્વદેશી રાખતા. પર્યાવરણની રક્ષા માટે અને જળ સંધારણ માટે પાણી બચાવવુ જોઈએ એ માટે જ મોરબી અને આસપાસના સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ચેકડેમ દ્વારી પાણીને રોકવા માટેના કામમાં તેઓ ખૂબ આગળ પડતા રહ્યા .એમને બનાવેલા ઓરપેટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારની સહાયથી ઘણા ચેકડેમ બનાવી સંગ્રહિત પાણી જે આજુબાજુની ખેતીમાં ખૂબ જ ઉપયોગી થાય તે કામના રાહબર રહ્યા. 

     તેઓ સામાજિક સંસ્થાઓમાં પોતાને કિંમતી સમય આપતા હતા .રાષ્ટ્રની ચિંતા હંમેશા તેમની વાતોમાં જોવા મળતી.એમનુ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના અને અન્ય રાષ્ટ્રીય ધાર્મિક કામોમાં એમનુ યોગદાન રહ્યું, સંઘના વિજયાદશમી ઉત્સવમાં અતિથિ તરીકે આવવુ અને પૂ ગુરુજી જન્મ શતાબ્દી વર્ષના કાર્યક્રમની પ્રાંતની સ્વાગત સમિતિમાં જોડાવું આમ એક રાષ્ટ્ર પ્રેમની અભિવ્યક્તિ અનેક સમયે જોવા મળેલ .તેઓ સંઘના કાર્યની હંમેશા પૂછપરછ કરતા રહેતા .મારી સંઘમાં રહેલી જવાબદારીની તેઓ ચિંતા કરતા .સદભાવના હોસ્પિટલની મારી સર્જનની જવાબદારી દરમિયાન 1992 ની કાર સેવા માટે અયોધ્યા જવાનું થયું ત્યારે એમની પાસે રજા લેવા ગયા .તેમણે પિતા તુલ્ય ચિંતા કરી અને સુરક્ષા બાબતની સૂચનાઓ આપી અને રજા આપી હતી. ઘરના માતા-પિતાને મળવા જવાનું સમય નહોતો મળી શક્યો પરંતુ ઓ આર પટેલ સાહેબની વાતો એ પરિવારના વડીલ સમાન હતી.

   તેમની ઉંમરના ૭૫ વર્ષ નિમિતે તેમની હાજરીમાં ચાંચાપર ગામમા ૨૦૦૦ ની સાલમાં આરોગ્ય મેળા સાથે તેમના વજન જેટલું રક્તદાન કરવાનો નાનો પ્રયત્ન મોરબી IMA ડોકટરો કર્યો હતો. 

         સાહેબના રાષ્ટ્રીય અને ધર્મના સંસ્કારો તેમના પરિવારજનોમાં ઉતર્યા છે . અનેક ધાર્મિક ,સામાજિક અને રાષ્ટ્રીય કાર્યોની અંદર એમનો દાનનો પ્રવાહ અને સમયની મદદ મળતી રહે છે . ઓ. આર. પટેલની પુણ્યતિથિ નિમિત્તે અહીંના સ્થાનિક બધા કાર્યકર્તાઓ એ એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ કર્યો જે સંખ્યાની દૃષ્ટિએ દુનિયાનો રેકોર્ડ બન્યો .આ સમાજની એમના પ્રત્યેની લાગણી દર્શાવે છે .આવા અનેક કામો દ્વારા એમનો પરિવાર અને સમાજ તેમને યાદ કરતો રહે એ જ અભ્યર્થના. 



Monday, July 31, 2023

Nalinbhai suchak Janma din Subhkamna





🌹🌹જન્મદિન શુભકામનાઓ 🌹🌹
આજે નલીનભાઈ સૂચક નો જન્મદિવસ છે .નવીનભાઈ સૂચક એટલે આ જન્મ કલાના સાધક .અમારા ભૂતપૂર્વ ચિત્રકામના શિક્ષક .પરંતુ અભૂતપૂર્વ શિક્ષક .મારો હાઈસ્કૂલનો અભ્યાસ વાંકાનેરમાં શ્રી અમરસિંહજી હાઈસ્કૂલમાં થયો. અમરસિંહજી હાઈસ્કૂલમાં ચિત્ર શિક્ષક દેપાળા સાહેબ હતા તેમના નિવૃત્ત થયા પછી નલીનભાઈ સૂચક ચિત્ર શિક્ષક તરીકે આવ્યા .ધોરણ 8 ,9 અને 10 દરમ્યાન ચિત્ર વિષયમાં અમારા ખંડમાં પિરિયડ લેવા આવતા .મને નાનપણથી ચિત્ર કરવાનો શોખ. સૂચક સાહેબ આવા અનેક વિદ્યાર્થીઓના માર્ગદર્શક અને રાહબર રહ્યા .હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન બંને પરીક્ષાઓ ડ્રોઈંગની Elimentary અને intermediate એમના માર્ગદર્શનમાં આપેલ. વર્ગ દરમ્યાન તેઓ મજા કરતા ચિત્ર શીખવે. કોઈને બોલાવીને કહે કે કાળા પાટિયા પર ગમે તેમ ગોટાળો વાલી કૃતિ કરો તો તેમાંથી ફેરફાર ઉમેરી ચિત્ર બનાવે. મે એક વાર આખા પાટિયા પર ગોળ ગોળ લીટા કર્યાં તો તેમને તે ગોળ લીટાને અંબોડા વાલી સ્ત્રીનું મોઢું બનાવી દીધું.પરીક્ષાની પૂર્વ તૈયારીમાં સાંજની હાઈસ્કૂલના ક્લાસ છૂટયા પછી એક કલાક વિશેષ ડ્રોઈંગ ના ક્લાસીસ લેતા અને મોટાભાગના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થતા .
            વાકાનેર સ્કુલ સાથે નાતો તેમનો વર્ષો સુધી રહ્યો.જે અમારી પ્રેરણાદાતા સ્કૂલ હતી .અમે થોડાક મિત્રો ડ્રોઈંગના વધુ શોખીન એટલે અમને ઘરે બોલાવે .રફ કાગળની સ્કેચબૂક બનાવવાની અને જાતજાતના ચિત્રો દોરવાની ટેવ પાડે .આ સમય દરમિયાન ભાભી એમને ચા અને નાસ્તો પણ કરાવે. હાઇસ્કુલ છોડી મોરબીમાં હાયર સેકન્ડરી અભ્યાસ અને ત્યારબાદ મેડિકલના અભ્યાસ દરમિયાન મારો થોડો ડ્રોઈંગનો મહાવરો ઓછો થયો .છતાં કોલેજમાં રંગોળીની સ્પર્ધા કે ક્યારેક ડ્રોઈંગની સ્પર્ધામાં નંબર લાવવામાં સૂચક સાહેબનું ભૂતકાળમાં રહેલું માર્ગદર્શન ઉપયોગી થતું.. ઓલ ઇન્ડિયા ઇન્ટર મેડિકલ યુથ ફેસ્ટિવલ પુનામાં યોજાયેલ ત્યાં મારા એક પેન્સિલ ચિત્રને પ્રથમ ઇનામ મળેલું.                         
      વાંકાનેર છોડીને તેઓ  કર્ણાવતી ગયા ત્યાં સીએન ફાઇન આર્ટસ કોલેજમાં જોડાયા. સતત અભ્યાસુ જીવ ,નવા નવા સાધનો ,માધ્યમો દ્વારા નવી નવી પ્રકારની ચિત્રની સાધના ચાલુ રહે .જે આજે પણ અવિરત ચાલુ છે. કોઈપણ નવી વસ્તુઓને - મીડીયમ ને શીખવું અને શીખવાડવું એટલું જ નહીં પરંતુ આજકાલના ફેસબુક જેવા સોશિયલ મીડિયામાં પણ નવી પેઢીને સતત પ્રશિક્ષણ આપતા રહે .એમનો દીકરો અંકુર પણ પિતાના પગલે સારો કલાકાર બન્યો છે .વાંકાનેર છોડીને ગયા પરંતુ વાંકાનેર અને રાજકોટ હજુ પણ વર્ષમાં અવારનવાર આવે. થોડા દિવસ રોકાય .રેસકોર્સમાં ફરવા જાય. 
            નવી પેઢીના બાળકોને ડ્રોઈંગ શીખવવા સવાર સાંજ ક્લાસીસ પણ ચલાવે .આ ક્લાસીસ પણ પ્રકૃતિ દત્ત બગીચાઓમાં ત્યાં પાણીના ઝરણા પાસે કે તળાવ પાસે રાખે. નવા નવા માધ્યમો નો ઉપયોગ કરતા શીખડાવે .એવા અનેક મિત્રોના અંગત પ્રસંગોમાં પણ સૂચક સાહેબની હાજરી અવશ્ય હોય .ઘણા વર્ષ પહેલાં તેમના એક સગાના ઓપરેશન દરમિયાન મારા ઘરે આવવાનું થયું તો મારી દીકરી નાની ભૂમિનું સરસ  ચિત્ર બનાવીને મોકલેલ. પ્રણવ ના PPT presentation ની સ્લાઇડ માટે ચિત્રો બનાવી આપેલ.
              અમારા દીકરા પ્રણવ અને દીકરી ભૂમિના લગ્ન પ્રસંગે તેઓ હાજર રહયા એટલું જ નહીં પરંતુ દંપતીના સુંદર મજાના રંગીન ચિત્રો બનાવીને ભેટમાં આપ્યા .પોતાની ચિત્રના કૃતિઓ સાથે કાવ્યની પંક્તિઓ જોડવી ,લોકોની પંક્તિઓને આવકારવી ,કવિઓ લેખકો અને જાણીતા લોકો સાથે ગપસપ કરવી એમને ગમે. પિતા તથા પુત્ર અનેક પુસ્તકોના તથા વિશેષ અંકો ના ચિત્રો બનાવે, પૂ પદ્મભૂષણ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદવિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ ના ખાસ પ્રિય અને તેમના અનેક પુસ્તકો ના ચિત્ર તેમને બનાવેલ.કર્ણાવતીમાં પણ એમના ઘરે જઈને સત્સંગ કરવાનો લહાવો મળેલ .સુંદર પુસ્તકો પણ તેમની પાસે આવે તો વાંચવા બીજાને આપે. 

            આમ નલીનભાઈ સૂચક ચિત્રકલાના આજીવન શિક્ષક હોવા છતાં અનેક વિષયોના રસીલા  રહ્યા. કોઈ વ્યક્તિ ની ઉંમર વધે છે પરંતુ પોતાના શોખમાં આજીવન યુવાન રહે એવા લોકોમાં નલીનભાઈ સૂચકની ગણતરી કરવી પડે. આવા નલીનભાઈ ને તેમના આજે જન્મદિન નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના, અભિનંદન, વંદન ,

 

Saturday, July 29, 2023

સ્વર્ગસ્થ લલિતભાઈ મહેતા ને શ્રધ્ધાંજલી




 સ્વર્ગસ્થ લલિતભાઈ મહેતા એટલે વાંકાનેર ના પનોતા પુત્ર. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ખૂબ જૂના અને વરિષ્ઠ સ્વયંસેવક,જેમણે શિક્ષણ અને સ્વાસ્થ્યના વિષયો સાથે વાંકાનેર અને આજુબાજુના પંથકની પ્રજા માટે અનેક સેવાના પ્રકલ્પો ઊભા કર્યા .મોડાસા થી વાંકાનેર આવી વાંકાનેરમાં તાજેતરમાં શરૂ થયેલી કોમર્સ અને આર્ટસ કોલેજમાં સ્વર્ગસ્થ વણીકરજી સાથે રહીને કોલેજનું સુકાન સંભાળ્યું .ત્યારથી માંડીને અત્યાર સુધીની વાંકાનેરમાં શિશુ મંદિર, હાઈસ્કૂલ ,મહિલાઓ માટેની અલગ હાઇસ્કુલ ,વિવિધ વિષયોની કોલેજ, મહિલા કોલેજ જેવી અનેક શૈક્ષણિક સંસ્થાઓ ઉભી કરવામાં તનતોડ મહેનત કરી.
         શિક્ષણ જગતમાં સંસ્થાઓ ઉભી કરવી, યોગ્ય પ્રાધ્યાપક અને આચાર્ય શોધવા, નિમણૂક કરવી તેમનું પ્રશિક્ષણ કરવું, વિદ્યાર્થીઓમાં અનુશાસન નિર્માણ કરવું ,પારિવારિક વાતાવરણ ઊભું કરવું અને સ્થાનિક અને વાંકાનેરના વતની દાતાઓને આ બધી સંસ્થાઓ સાથે જોડવા એ એમનો જીવન યજ્ઞ રહ્યો. વિદ્યાર્થીઓને હર હંમેશ મદદ કરવા માટે તૈયાર રહેતા. તેમણે વાવેલા શિક્ષણ સંસ્થાઓના બીજ આજે વટ વૃક્ષ બન્યા છે .શરૂઆતના છોડ ઉછેરમાં પડતી મુશ્કેલી અમે નજરે જોઈ છે અને એવા અનેક કામોમાં સાહેબની સાથે સહભાગી થયા છીએ.
      રાજકીય ક્ષેત્રમાં વર્ષોથી વાંકાનેરમાં ચાલતી એક જ પ્રવાહની રાજકીય ગતિવિધિમાં ભારતીય વિચાર  વાળા રાજકીય પ્રવૃતિના બીજ વાવવાનો યશભાગ તેમના ભાગે જાય છે .આ વિચારસરણીના છોડ આજે મહાકાય વૃક્ષ બન્યા, જેનો ફળ, ફૂલ ,પત્ર અને પુષ્પ સ્થાનિક પ્રજાજ નહીં પરંતુ અનેક કાર્યકર્તાઓ પણ લયીને આજે  સમાજના વિવિધ ક્ષેત્રોમાં આગળ આવ્યા છે .અને અનેક જવાબદારીઓ નિભાવી રહ્યા છે અને નિભાવવા જઈ રહ્યા છે.
     સમાજ જીવનમાં આવતી પરીક્ષાઓમાં પોતાના વ્યક્તિગત સુખ દુઃખ ભૂલીને સમાજ કાર્ય માટે, રાષ્ટ્રની યોગ્ય દિશા માટે સહન કરવાનો સમય આવે ત્યારે હિંમતથી આગળ ઊભા રહેવું તેમની પાસેથી શીખવું પડે.લલિતભાઈ પોતે કાળ રાત્રી જેવી ઇમરજન્સી કટોકટી વેળાએ અનેક લોકોની સાથે ઇન્દિરા ગાંધીની સરકારે મિશા અંતર્ગત જેલમાં નાખ્યા ત્યારે આ મિશા યાત્રામાં પણ ગયા. મિશા વાસીઓમાં હિંમત આપવાનું  કાર્ય કર્યું. તેમના પત્ની ઇન્દુબેને આવા કપરા સમયમાં પરિવારને હિંમતપૂર્વક જાળવીને બીજાને પણ હિંમત આપી. રાષ્ટ્રહિત ખાતર વ્યક્તિગત દુઃખોને ભૂલી જવાની માનસિકતા આ પરિવારે અન્યને પણ આપી.

       સંઘના સ્વયંસેવક અને કાર્યકર્તા હોવાના નાતે તેમણે સંઘ અને વિવિધ ક્ષેત્રમાં અનેક જવાબદારીઓ નિભાવી.મારી સંઘની શાખામાં જવાનું થયું ત્યારે જીનપરા સાયમ શાખામાં હું બાલ ગણ શિક્ષક હતો. ત્યારે તેમના ભાગે  વિસ્તાર કાર્યવાની જવાબદારીહતી . અમને અમારી શાખામાં એમના પ્રવાસનો લાભ મળતો એમને પ્રણામ કરવા જવાના મને અનેક વાર લાભ મળેલ. એ બાલ સ્વયંસેવક માંથી આજે હું જ્યારે ક્ષેત્ર સંઘચાલકના દાયિત્વ સાથે કામ કરૂ છું ત્યારે મને જ્યારે મળે  ત્યારે એક જૂના શિશુ કે બાલ સ્વયંસેવક નહીં પરંતુ એક માનનીય સંઘચાલકની સાથેની  વાત કરવાનો એમનો સ્વભાવ એ એક તેમની આગવી પ્રેરણા સ્પદ પદ્ધતિ બધાને માર્ગદર્શક છે. સંઘની શાખાનો નાનો પણ કાર્યક્રમ હોય તો એમાં ઉપસ્થિત રહેવુ, વાંકાનેરમાં વાર્ષિક  સમૂહ ભોજનમાં એમની ઉપસ્થિતિ હંમેશા હોય. જેમ સંઘની શાખામાં દૈનંદિન શાખાનો આગ્રહ તેમ તેમણે જીવનમાં પોતાની સાથે સંકળાયેલ બધી જ સંસ્થાઓમાં, શરીર કામ આપે કે ના આપે હાજર રહેવાની એક પદ્ધતિ નિર્માણ કરેલી .રાજકોટના વીવીપી એન્જિનિયરિંગ કોલેજના સિલ્વર જ્યુબિલી ફંક્શન માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ  માનનીય દત્તાત્રેય હોસબોલેને મળવા માટે એમનો સમય લેવા માટે પોતે શરીર કામ ન આપે તો પણ ગાંધીધામ સુધી વ્યક્તિગત પહોંચ્યા અને પોતાનો વિષયની વાત કરેલી એનો હું સાક્ષી છું.
       આજના સમયમાં રાજકીય ક્ષેત્રમાં કામ કરતા અનેક લોકોએ સ્વર્ગસ્થ લલિતભાઈ પાસેથી અનેક વાતો શીખવાની છે. પોતાના વિચાર વિરુદ્ધના પક્ષમાં કામ કરતા લોકો સાથે પણ મિત્ર જેવો ઘરોબો  રાખવો ,એટલું જ નહીં પરંતુ સમાજ જીવનના કામોમાં બધાને સાથે લઈને ચાલવું એ એમના જીવનનો મંત્ર રહ્યો .રાજ્ય સભાના સક્રિય સાંસદ રહીને બાજપાઈજીના સમયમાં કામ કર્યું. ત્યારે અનેક લાભો પોતાના મતવિસ્તારના અને સમાજ માટેના તેમને લાવી આપ્યા. સરકાર ગમે તે પક્ષની હોય પરંતુ નિયમ , કાનુન ,કાયદા અને પ્રજાહિત માટેની વિગતોને શોધવી, તેને લોકો સુધી પહોંચાડવા માટેનો ખંતપૂર્વક પ્રયત્ન કરવો અને એમાં સફળ થવું એ એમનો જીવન આદર્શ રહયો  .
       વાંકાનેર ની આસપાસ શિક્ષણ સ્વાસ્થ્ય અને જીવ દયા ની અનેક સંસ્થાઓને નિર્માણ કરવામાં વાંકાનેરના વતની એવા અનેક દાતાઓ ને શોધવાનું કામ લલીતભાઈએ કર્યું. સમાજ જીવનમાં ભામાશા અને કર્ણ અનેક હોય છે પરંતુ એમની લાગણીને જગાડવી ,પોતાના વતન સાથે જોડવા પ્રોત્સાહન આપવું અને તેમને આપેલા દાન બરાબર સમાજમાં ઊગી નીકળે એ માટેનો એમનો આદર્શ પ્રયત્ન રહ્યો .શિક્ષણ અને સ્વાસ્થ્ય એમના મનગમતા વિષય હતા. મુંબઈમાં એક ચાલીમાં રહેતા જૈન પરિવારને મળવાનું થયું ત્યારે એમની સ્થિતિ જોતા એમ ન કહી શકાય કે એમણે વાંકાનેર માટે દાન કર્યું હશે .પરંતુ તેમની અંગત વાતોમાંથી જાણવા મળ્યું કે લલીતભાઈ ની વાતોથી પ્રેરણા પામીને પોતાનાથી શકય એટલી નાની પણ મદદ વાંકાનેર માટે કરી હતી.
      પોતે એક સારા લેખક પણ ખરા .અવારનવાર રાષ્ટ્ર ,પ્રજા, દેશભક્તિ અને આર્થિક વિષયોને લઈને લેખો પણ લખતા ,સંઘ વિચારના સાધના જેવા સાપ્તાહિકોમાં તેની અનેક વાર આવી વિગતો છપાતી. નાની નાની વાતોમાં પણ રસ લઈને બધાને માર્ગદર્શન આપતા. મને યાદ આવે છે 1978 નું વર્ષ આંતરરાષ્ટ્રીય બાલ વર્ષ હતું એ દરમિયાન વાંકાનેરની તાલુકા શાળા નંબર એકમાં બાળકોના વિષયને લગતું એક નાનું એવું પ્રદર્શન તૈયાર કરવાની જવાબદારી અમને મળેલ ત્યારે મારી સાથે લલીતભાઈના દીકરી બેના અને એક આયુર્વેદિક ડોક્ટર પનારા ની પુત્રી પણ સાથે જોડાઈ હતી .નાનું પણ આકર્ષક પ્રદર્શન બનાવવામાં એમનું માર્ગદર્શન મળ્યું હતું. વિવિધ ક્ષેત્રોમાં લોકોને જોડવા અને એની સાર સંભાળ રાખવી એમનો ક્રમ હતો.મારા કોલેજના અભ્યાસ દરમ્યાન વિદ્યાર્થી  પરિષદના અધિવેશનમાં જવા માટે વાંકાનેરના  ટીમ મોકલી ત્યારે બધી સાર સંભાળ એમને રાખી હતી .આમ ફક્ત રાજકીય ક્ષેત્રને જ નહિ પરંતુ સમાજ જીવનમાં કામ કરતા બધા જ સંઘ અને વિવિધ ક્ષેત્ર અને સામાજિક સંસ્થાઓને એમણે એક હુંફ પુરી પાડી હતી.
         જીવ દયા નો એમનો અભિગમ અનેક જૈન અને  જૈનેતર  સંસ્થાઓને. સામાજિક .પશુ,પક્ષી અને સેવાના કામોમાં જોડયા હતા. જૈન ધર્મના સિદ્ધાંતો અને સંઘના એક સંનિષ્ઠ સ્વયંસેવકના નાતે હિન્દુત્વના સિદ્ધાંતોનો સાથે સહયોગ કરીને અનેક લોકોને એમણે રાષ્ટ્ર કાર્યમાં જોડ્યા હતા.
        મારા વ્યક્તિગત જીવનના સંભારણાઓને યાદ કરું તો મારા લગ્ન 22 મે 1987 ની સાલમાં મુંબઈના પારલામાં વિશ્વકર્મા બાગમાં થયેલા .એ સમયે ફક્ત 20 વ્યક્તિઓ જાનમાં અમે ગયા હતા .પરંતુ માન. લલીતભાઈ પણ પોતાનો અન્ય કામ જોડીને  મુંબઈ મારા લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. મોરબીમાં સદભાવના હોસ્પિટલમાં આવ્યા બાદ મારી પોતાની વ્યક્તિગત હોસ્પિટલ જ્યારે ચાલુ કરી ત્યારે ચાર એપ્રિલ 1993 ના રોજ અમારી ભાડેશિયા હોસ્પિટલના ઉદ્ઘાટનમાં મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા .એ દિવસ મહાવીર જયંતિ નો દિવસ હોવા છતાં પણ તેમણે સમયની અનુકૂળતા ગોઠવી હતી.
        પોતાનો શરીર ,ઉંમર થાય અને અન્ય કાર્યકર્તાઓ જ્યારે તૈયાર થઈ જાય ત્યારે અનેક વિષયોમાંથી પોતાની જવાબદારીમાંથી ધીરે ધીરે મુક્તિ મેળવી સહકાર્યકર્તાઓ મુખ્ય કામમાં લાવવા એક સંઘની પદ્ધતિ રહી છે .તેમણે આ માટેનો એક પ્રયત્નની દિશામાં પગલાંઓ ભર્યા હતા. તેમના અન્ય સંસ્થાઓ સાથેના સંસ્મરણો તો અન્ય લોકો કહેશે જ.
      મને લાગે છે કે લલીતભાઈ મહેતાની યાદ એટલે એમણે શરૂ કરેલા તૈયાર કરેલા અને સતત ચાલતા કામોને પોષણ આપે એવી કોઈ યાદો નિર્માણ થાય. અત્યારની ચાલતી અને સંસ્થાઓ જેમાં એમનો સિંહ ભાગ રહ્યો છે એવી કોઈ સંસ્થા સાથે એમનું નામ જોડી શકાય અથવા તેમના પસંદગીના વિષયોનું કોઈ એક નવું કાર્ય તેમની યાદ સાથે શરૂ કરી શકાય. વર્ષના નિશ્ચિત દિવસે એમના વિચારોને વાગોડવા કોઈ એક વ્યાખ્યાન માળા પણ બનાવી શકાય .હું આશા રાખું છું કે એમના પરિવારના સભ્યોને એમણે આપેલા આ રાષ્ટ્ર ભક્તિના અને સમાજ સેવાના સંસ્કારો યુક્ત છેજ, એમના સભ્યો પણ આવી આ સંસ્થાઓમાં સક્રિયતા દાખવે .લલિતભાઈ દેહ સ્વરૂપે નથી, પરંતુ વિચાર ચિંતન અને પ્રેરણાના સ્તોત્ર તરીકે હર હંમેશ આપણી વચ્ચે ઉપસ્થિત રહેશેજ . અસ્તુ.

જયા માસી અને સવજી માસા

જયા માસી અને સવજી માસા ને અમે મોટા માસી અને મોટા માસા તરીકે ઓળખતા .જયા માસી એટલે મારી બા ચંપાબેન ના ભાઈ બહેનોમાં સૌથી મોટા બેન .અમે સમજણા થયા ત્યારથી વડીલોમાં આદર્શ ગણી શકાય એવા અનેક વ્યક્તિઓમાં અમારા દાદીમાં એટલે કે રંભાબેન અને મોસાળ પક્ષમાં આ માસા યાદ આવે .તેઓનું એક શબ્દ ચિત્ર વર્ષાભાભીએ દોર્યું છે .તેમાં અનેક રંગો પૂરી શકાય એવા છે .માસા એટલે બાળકોના ખાસ મિત્ર .જ્યાં જાય ત્યારે તેમના સફેદ ઝભ્ભાના મોટા ખિસ્સામાં સિંગ ચણા ચોકલેટ હોય જ .બાળકોને બોલાવે અને એમાંથી ભાગ આપે .એટલે અમે નાના હતા ત્યારે માસા આવે એટલે ભાગ આવે એવી એક સુંદર ચિત્ર અમારા મનમાં રહેલુ .વડીલો માટે સોપારી અને સૂડી પણ એમના ગજવામાં મળી આવે .વાંકાનેરમાં જૂની વીજળીની કંપનીનો એક કારભાર તેમણે ખૂબ વર્ષો સુધી સંભાળ્યો. જેને અમે સાલે ભાઈની કંપની કહેતા. જેના દ્વારા જીઇબી શરૂ થયા પહેલા વાંકાનેરમાં રસ્તાની શેરી ની લાઈટો થતી અને તેના જનરેટરને ચલાવવું સંભાળવું એવું અગત્યનો કામ તેઓ સંભાળે .એમના વાંકાનેર ના નિવાસ દરમિયાન જ મારી બા અને બાપુજી ની સગાઈ થઈ હતી એટલે અમારા પરિવારને  તેમનો એક મહત્તમ ફાળો હતો .વાંકાનેર થી રાજકોટ ગયા પછી પણ વાંકાનેર નો એમનો નાતો કાયમ રહેતો.વાંકાનેર આવવું અને જડેશ્વર મંદિરે શંકર ભગવાનના દર્શન કરવા જવું. શ્રાવણ મહિનાના બધા સોમવારે આવવાનો પ્રયત્ન કરતા .જડેશ્વર મહાદેવના ત્યાંથી પ્રસાદ લેવો અને વળતી વખતે વાંકાનેર ના મિત્ર લુહાર ના કારખાને મળવું ઘણીવાર એમના પૂરી શાક ખાવા એ એમનો ક્રમ રહ્યો. તેઓની પાસે એક નાની કાર હતી તેને મેં માણકી ગાડી કહેતા .તેમાં બેસવું એક લાહવો હતો. એ સમયમાં એ ગાડી લઈને આવે અને મારી શેરીમાં એ ગાડી ઉભી રહે એટલે અમારી છાતી ગજગજ ફુલી જતી કે અમારી ઘરે કોઈ એક કારવાલા મહેમાન આવ્યા છે. નાના સાથે નાની વાતો મોટા સાથે મોટી વાતો કરે.મને યાદ છે એ પ્રમાણે તેમણે કદાચ આફ્રિકામાં પણ થોડો સમય કામ કરવા માટે ગયા હતા. બહુ જ વ્યવહારૂ, સ્વભાવના શાંત, નિર્મળ છતાં સ્પષ્ટ વક્તા . ભાભીએ વર્ણન કર્યા મુજબ તેમણે વિકસાવેલી વેવાઈની દ્રાક્ષની વાડીનો લાભ અમે પણ લીધેલો .મારી અને પૂર્ણિમાની સગાઈ થઈ ત્યારે પ્રથમ વખત તેમના ઘરે પગે લાગવા ગયા ત્યારે હસતા હસતા પૂછ્યું હતું સાથે ભણતી છોકરી છે કે ?મે કહેલ નહીં ,એ તો પારિવારિક ગોઠવણથી જ અમારી સગાઈ થઈ છે .એમના પરિવારના બધા જ પુત્ર પુત્રીઓના સંસ્કાર ,સ્વભાવ અને શિક્ષણ માટે માસાને યશ આપવો પડે. પરંતુ  તેમના કુટુંબના ઉછેર પાછળ ધીમા ,મીઠા અને અંગ્રેજીમાં કહેવાય કે સોફ્ટ સ્પોકન માસી નોંખુબ મોટો ભાગ છે.તેઓ એટલા સ્વભાવે મીઠા કે ડાયાબિટીસને પણ ત્યાં રહેવાની ઈચ્છા થઈ ગઈ હતી. આજે માસા માસીના ઘરે થયેલ અને  ભાગવત સપ્તાહ કે જેમાં સાત દિવસ રહેવાનું નાનપણમાં મને લાભ મળ્યો હતો યાદ આવે.તેમનું મિલપરા નું ઘર , સિંદુરિયાની ખાઈ પાછળ ડિલક્ષ ટોકીઝ પાસે નું ઘર અને પછી પુત્રો એ બનાવેલા પોત પોતાના મકાન માં પણ મારે જવાનું મળવાનું અનેક વખત થાય ત્યારે આ બધી યાદો સ્મરણ માં આવે. આજે માસા માસીની આ યાદ વર્ષા ભાભી એ યાદ કરાવી આપી અને મને થયુ કે હું પણ થોડુ કહી દઉં .આ એમનો સ્વભાવ એમના પરિવારમાં ઉતર્યો છે એમ કહું તો અતિશયોક્તિ નથી .જય શ્રી કૃષ્ણ 

 

Friday, July 28, 2023

વૃક્ષો આપણા મિત્રો


 વૃક્ષો આપણા મિત્રો

_____________

કવિએ કહ્યું છે કે

" સરોવર તરુવર સંતજન ઔર ચોથા વરસે મેહ

પરમાર્થ ને કારણે ચારુ ધરીયા દેહ"

આવા વૃક્ષો આપણા મિત્ર છે ,કારણ કે અંગ્રેજીમાં કહ્યું છે કે  Frined in need is friend  indeed . વૃક્ષો મિત્રોની જેમ દુઃખમાં મદદ કરવામાં આગળ અને સુખમાં વળતર લેવામાં પાછળ રહે છે.

*સૌથી અગત્યનુ મિત્ર તરીકેનું વૃક્ષોનું કામ જીવનદાતા તરીકેનું છે .આપણા ઉચ્છવાસ દ્વારા ઉત્પન્ન થતા અંગારવાયું એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ને વાતાવરણમાંથી દૂર કરી આપણને પ્રાણ વાયુ એટલે કે ઓક્સિજન આપે છે. પર્યાવરણની સુરક્ષા કરતો આવો મિત્ર બીજે ક્યાં મળે?

* બાષ્પોત્સર્જન દ્વારા વાતાવરણમાં શિતળતા લાવે છે. એટલું જ નહીં વરસાદ અને મેઘરાજાને પણ ખેંચી લાવે છે .ધરતી માતાને તરબોળ કરે છે .એટલે જ આફ્રિકાના જંગલોમાં અને આસામ વગેરે ચેરાપુંજીના વિસ્તારોમાં વધારે વરસાદ પડે છે.

*આપણા જીવનને ટકાવવા માટે ખોરાક ,ફળ, ફૂલ, બીજ તથા મૂળ અનેક પ્રકારની વસ્તુઓ વૃક્ષો જ આપે છે. શાકાહારી માટે તો આ જીવનદાતા મિત્ર છે. સાથે સાથે જુદી જુદી દવા ઔષધીઓ માટે પણ વૃક્ષો આપણને ખૂબ જ ઉપયોગી છે.

*વૃક્ષો દ્વારા મળતું લાકડું રહેઠાણ ફર્નિચર બળતણ જેવી અનેક વસ્તુઓ બનાવવા માટે ઉપયોગી છે .ગુંદર અને કાગળ પણ વૃક્ષમાંથી જ બને છે ને!

*વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે . જમીનને રેગિસ્તાન બનતા અટકાવે છે .અને જળ ચક્ર માં મદદ કરે છે. પાણીને જમીનમાં ઉતારી જમીનનો જળસ્તર  ઊંચું લાવવામાં મદદ કરે છે.

       ટીવી જોતા અને વિડીયો ગેમ સામે બેસી રહેતા બાળકોને વૃક્ષો કહે છે" ચાલો મારી સાથે રમવા આવો "તેની ડાળ પરના હીંચકા ,આમલી પીપળીની રમતો અને છાયો બાળકો માટે તો સ્વર્ગ સમાન છે. યુવાનોના દિલોની વાતો પણ વૃક્ષો સાંભળે છે ,તો ઘરડાના વિસામાની વાતો પણ વૃક્ષો સાંભળે છે.

માણસનું રહેઠાણ બનાવવામાં પશુ પંખીને રહેઠાણ પૂરું પાડવામાં વૃક્ષો ખૂબ જ ઉપયોગી છે .વૃક્ષો ન હોય તો કોયલનો ટહુકાર ક્યાંથી સંભળાય! આપણે પણ બધા વન ભોજન કે અણગો કરવા માટે ક્યાં જઈએ છે ? વૃક્ષો પાસે જ જઈએ છીએ.અરે આપણી અંતિમ ક્રિયા માટે પણ લાકડા વૃક્ષો જ આપે છે.

        આવા વૃક્ષો આપણા મિત્રો છે તેથી આપણા ધર્મમાં વૃક્ષોનું પૂજન થાય છે. પિતૃ માટે પીપળો, શંકર માટે બિલિપત્ર અને બહેનો તો વટ પૂજા વડ ની પૂજા કરે છે .કૃષ્ણએ ગીતામાં કહ્યું છે હું વૃક્ષોમાં પીપળો છું .કદમની ડાળો બોલે છે "શ્રીકૃષ્ણ શરણમ મમ "અને વિજ્ઞાનને  ધર્મ સાથે જોડે છે વૃક્ષો.

         આવા વૃક્ષ મિત્રોને બચાવવાની આપણી પવિત્ર ફરજ છે. વધુ વૃક્ષો વાવીએ, વૃક્ષોને કપાતાં અટકાવીએ .બહુગુણાજીએ ચિપકો આંદોલન દ્વારા વૃક્ષોને બચાવવા માટેનો ખૂબ કામ કર્યું .રાજસ્થાનના જોધપુર પાસે ખીજડી ગામમાં ખીજડાના વૃક્ષને બતાવવા માટે અમૃતાદેવી અને તેની બહેનપણીઓએ વૃક્ષને કપાતાં અટકાવવા તેને વીટળાઈ અને પોતાનો જીવ આપી દીધો .ત્યાંના રાજાએ તેમને માન આપી વૃક્ષ કાપવાનું બંધ કરાવ્યું . બિશનોઈ જ્ઞાતિ આજે પણ વૃક્ષોમાં દેવ ગણીને પૂજા કરે છે. આપણા જન્મદિવસે આપણે એક નવું વૃક્ષ વાવી  ન શકીએ? પૂજ્ય પાંડુરંગ દાદા ની "છોડમાં રણછોડની વાતને યાદ રાખીએ" વૃક્ષોના વન બનાવી  નૈમિષારણ્ય બનાવીએ. આમ નહિ કરીએ તો  ઓક્સિજનના પડીકા વેચાતા લેવા પડશે.

 વૃક્ષો વગરનું જીવન અધૂરું છે .વૃક્ષોને મિત્રો જીવન સંગાથી છે, જીવનદાન આપનાર દેવતાથી કમ નથી .આવા વૃક્ષોને ફક્ત વંદન નહીં, ઉછેર કરીને વન, ઉપવન અને તપોવન બનાવીએ ,એ જ સાચી કુદરત સાથેની સહજીવનની તપસ્યા છે.