Saturday, September 5, 2020

Dhirubhai Vadgama Shradhanjali

સ્વ.ધીરૂભાઇ વડગામા (મોરબી)

તે મહાન જ્ઞાનના અને પ્રાયોગિક અનુભવના માણસ હતા.તેનું નિરીક્ષણ કોઈપણવૈજ્ઞાાનિકની નજીક હતું. તેમણે તેમના જીવનના દરેક ક્ષણોનો ઉપયોગ જ્ઞાન અને સલાહ દ્વારા લોકોની સેવા કરવા માટે કર્યો. તેમણે સાબિત કર્યું હતું કે વ્યક્તિ કોઈપણ ઉંમરે કંઈપણ શીખી શકે છે અને નવી પેઢી પણ માર્ગદર્શન આપી શકે છે.
અઠવાડિયામાં સમય પહેલા તેમણે ડો સતિષ પટેલ સાથે કોરોના વિશે વિગતવાર ચર્ચા કરી હતી અને મેડિકલ મેગેઝિન વાંચવાનું શરૂ કર્યું હતું .તેમના અતિશય વાચાળ સ્વભાવને લીધે ઘણા લોકો તેમની બૌદ્ધિકતાને માપવા માટે સમર્થ ન હતા. તેમણે બધા કુટુંબ અને મોરબી જનોને અપડેટ આજકાલ સુધી રાખ્યું છે. ધમણ 1 વેન્ટિલેટર મા પણ તેમની મદદ હતી. આવા મહાનુભાવોને ભગવાન દ્વારા વહેલા બોલાવી લેવામાં આવે છે, તે કુદરતની રીત છે. ચાલો તેના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરીએ અને તેમની પ્રેરણાથી પાસેથી કંઈક શીખીએ.

Late Dhirubhai Vadgama ( Morbi)

He was man of great knowledge and experimental experience . His observation were near to any scientist . He used each and every moment of his life to serve people by knowledge and advise. He had proved person can learn anything at any age and guide new generation too.
In week before time he has detailed discussion about Corona with Dr Satish Patel and started reading medical magazine for that Due to his excessive talkative nature many people were not able to measure his intellectual . He kept all family and Morbian update to present day . Even Dhaman1 ventilators had also his help . Such people are taken away earlier by God, that is tragedy of natures behaviour . Let's pray for peace to his soul and learn something from him.

Monjibhai Mistry Shradhanjali

ૐ શાંતિ

મોરબીના મોનજીભાઇ પીલોજપરા એટલે જન્મજાત કારીગર, સમય સાથે ચાલનાર, કુટુંબના તો વડીલ ખરા પરંતુ જ્ઞાતિ, સમાજ, નિરાધાર અને અનેક કારીગરોના આધાર. હું તો નાનો ૫-૬ વર્ષની ઉંમરથી તેમના ભાણેજ મનુ સાથે તેમને મામા કહેતો અને આજે પણ ધરથી માંડીને મિત્રો અને સંઘ સ્વંસસેવકો તથા હોસ્પીટલ સ્ટાફ ના પણ મામા.
યુવાન વયથી દોડાદોડી કરતા અને કેન્દ્ર સરકારના અનાજ ગોડાઉન કોનટ્રાકટ મા સેવા આપતા . ઘણું ખરું ભારત ફરેલા. બૂલેટ તેમનું એ સમયનું વાહન . ભારત ના પૂર્વોતર આસામ સુધી કામ અર્થે જતા. વ્યવસાયના બધા લોકો તેમના સ્નેહી અને મિત્રો બનતા અને છેવટ સુધી નિભાવતા. તેમને વિશાળ અનુભવ અનેક ને મદદ કરતો.
પોતાના સગાસંબંધી ઓને મદદ કરવા પોતાનું બધુ લૂંટાવી દેનાર જીવ. કેટલી પેઢી સુધી ધ્યાન રાખતા કે વાત ન પૂછો.
જ્ઞાતિ ના વડીલ કાયમી ટ્રસ્ટી અને બધાજ પ્રશ્નોના વ્યવહારુ ઉકેલ લાવતા. બધાને તેમના પ્રત્યે ખૂબ જ આદર. મોરબી બોર્ડિંગ ના નવા નિર્માણ માટે બધે જ મદદ અર્થે આવે અને ટૂંક સમયમાં ઊભું થઇ શકયુ .
હું તેમના થી ખૂબજ પ્રેમ પામ્યો . મેડીકલની કોઇ વાત હોય પોતે રુબરુ હોસ્પીટલ્ આવે અને ફોન કરી ને અનુકુળતા પૂછીને આવે. વ્યવસાય મા પરિવાર તથા બધા સગાવહાલાને પગભર કરેલ.
વિશાળ કુટુંબને એક છત્રછાયા મા રાખેલ વિરાટ વ્યક્તિત્વ .
અનેક બિમારીઓને ધકેલીને રુઆબભર જીવનારા.
પોતાના બધા પરિવાર જનો ને સંસ્કારી કરીને જીવન જીવી જાણ્યું . પોતાના સહધર્મિણીના અસાધ્ય પ્રશોનોને ખૂબજ સાવધ રહીને સેવા કરતા રહેલા. તેમની સ્વર્ગવાસ થી ફક્ત આજે તેમના પરીવાર ના જ નહી પરંતુ અનેક લોકો છત્ર વિહોણા બન્યા છે . છેલ્લી ટૂંકી બિમારી મા ભગવાનના શરણમાં પહોંચી ગયા કારણ આવા આત્મા ની તેમને પણ જરુર હોય છે.
કોરોના નિ વિશેષ પરિસ્થિતિ ને કારણે અનેક લોકો તેમને અંતિમ વિદાય આપવા નહી જઇ શક્યા પરંતુ તેમના કાર્યો વધુ સારી રીતે થાય તેમાં બધા સહયોગ કરે એજ સાચી શ્રધાંજલી .