Friday, July 28, 2023

સમાજ પરિવર્તન માં મહિલાઓની ભૂમિકા : રાજકોટ સંપર્ક વિભાગ દ્વારા ગોષ્ઠિ તારીખ ૨૨.૭.૨૩

સમાજ પરિવર્તન માં મહિલાઓની ભૂમિકા : રાજકોટ

સંપર્ક વિભાગ દ્વારા ગોષ્ઠિ તારીખ ૨૨..૨૩

_______

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પુરુષોમા કામ કરતું સંગઠન છે.

આજ પ્રકારે મહિલાઓમાં કામ કરનાર રાષ્ટ્ર સેવિકા સમિતિ છે.પરંતુ રાષ્ટ્રીય સંઘના કાર્યના અનેક આસાન અને ગતિવિધીઓમાં  એક આયામછે જે સમાજ જીવનના વિવિધ ક્ષેત્રમાં કામ કરનાર વિશિષ્ટ લોકોને સંઘના કાર્યની માહિતી આપવી ,સંઘના આવા કામોમાં એમનો સહકાર લેવોઅને તેઓ જે કામ કરતા હોય તેમાં મદદરૂપ થવું અને સંઘની સાચી માહિતી પહોંચાડવી  વિભાગનું નામ સંપર્ક વિભાગ છે . સંપર્ક વિભાગમાંઆવી અનેક વ્યક્તિઓને મળવાનું હોય છે જેમાં સમાજનો એક મોટો ભાગ 50% થી વધારે  મહિલાઓ કેમ બાકી રહી શકે ? મહિલાઓમાંઆવી વિશેષ કામગીરી કરતી વ્યક્તિઓ સાથે સંઘ પુરુષોનું સંગઠન હોવા છતાં પોતાના વિચારોની આપ લે , પ્રકારની સંવાદ અને સંઘનીવિવિધ ગતિઓ જીઓમાં તેમનું જોડાણ કરે છે એટલા માટે આજે રાજકોટ શહેરના સંપર્ક વિભાગ દ્વારા આપ વિશિષ્ટ મહિલાઓ સમાજપરિવર્તનમાં કઈ રીતે ઉપયોગી થાવ છો તે માહિતીનો આદાન-પ્રદાન કરવા અને  વિષયમાં સંઘનો વિચાર આપની સાથે શેર કરવા માટે એકત્રથયા છીએ.

       એમ કહેવાય છે કે પ્રત્યેક સફળ પુરૂષ પાછળ અને સફળ પુરુષોના કાર્ય પાછળ પડે મહિલા હોય છે .શિવાજી મહારાજને હિન્દવી સ્વ રાજ્યમાટે તૈયાર કરનાર માતા જીજાબાઇ હતા .સંઘની સમાંતર મહિલાઓના સંગઠનનું કામ શરૂ કરનાર લક્ષ્મીબાઈ કેલકર  મૌસીજી હતાએક વિચાર ,એક  પદ્ધતિ અને રેલવેના પાટાની જેમ સમાંતર કાર્ય મહિલાઓ માટે  એટલે સેવિકા સમિતિ નુ કામ.એમને કહયુ 

આપણા સમાજની 50% ભાગ મહિલા છે તેમનો સમાજ પરિવર્તનના કાર્યમાં યશસ્વી ભાગીદારી છે તેમની ભાગીદારી વગર સમાજ જીવનનાબધા  કામો સો ટકા સંભવ નથી.

આપ શ્રી બધા  માતા ભગિની પાસે માતૃશક્તિ છે .આપ શક્તિ સ્વરૂપે છો ,આદરણીય છો , પૂજનીય છો એટલા માટે  કહેવાયું છે યત્રનાર્યસ્તુ પૂજ્યતે , રમન્તે તત્ર દેવતા હા .પરંતુ મહિલાઓને ફક્ત પૂજાના સ્થાન ઉપર બેસાડવાથી ચાલશે નહીં .સમાજ પરિવર્તનના કામમાં પુરુષોનીસાથે ખભેખભા મિલાવીનેઘણીવાર અગ્રસર થઈને પણ કામ કરવાની અપેક્ષા છે

      સ્વામી વિવેકાનંદને એક પત્રકારે પ્રશ્ન કરેલ કે મહિલાઓની સ્થિતિ અને એની અપેક્ષા અને સમસ્યા માટે આપનું શું કહેવું છે ,ત્યારે એનોજવાબ હતો ભારતની મહિલાઓની પશ્ચિમના જગત સાથે કોઈ તુલના  કરવી જોઈએ .સમાજમાં મર્યાદા વિકૃતિ અવશ્ય હોઈ શકે ,પરંતુ મહિલાપોતે  સક્ષમ છે અને પોતાનો રસ્તો અને અનુકૂળતા જાતે કરી શકે છે .અશ્વમેઘ યજ્ઞમાં પણ રામને સીતા  મળતા એમની પ્રતિકૃતિ રાખવી પડીહતીતમિલ કવિ સુબ્રહ્મણીયમ ભારતીય એમના કાવ્યોમાં કહ્યું કે “માં ભારતીની ગુલામી ની જંજીરો આપણે તોડવી જોઈએ એવું  કહેતા , હે માંતુ અમારી મુશ્કેલીઓ દૂર કરવા અમારી પર દયા લાવીને તારી શક્તિ દેખાડ અને  જંજીરો તોડીને સંસાર બદલી નાખ “ છે મહિલાઓનીશક્તિ.

      રાષ્ટ્ર સેવિકા સમિતિ શરૂ કરનાર મૌસીજી કહેતા સમાજ પરિવર્તનના કાર્યમાં સ્ત્રી સારથી છે ,ગતિ અને દિશા સારથીના હાથમાં હોય છે.રાષ્ટ્ર માટે સમાજ પરિવર્તનની દિશાની  આધાર શક્તિ છે .મહિલાઓ પાસે  શ્રેષ્ઠ માતૃત્વ જેનું ઉદાહરણ જીજા માતા ,શ્રેષ્ઠ નેતૃત્વ જેનુંઉદાહરણ રાણી અહલ્યાબાઇ  અને શ્રેષ્ઠ કતૃત્વ એનું ઉદાહરણ વીરાંગના લક્ષ્મીબાઈ છે .હિન્દી કવિ     ને કહ્યું હતું કે તમારામાં ગુણો સારા છે , પરંતુ શૃંગારને બદલે સમાજને માટે અને ભગવાન માટે કામ કરો , કવિનુ માનસ બદલી નાખ્યુ.મહિલાની વિશેષતા  છે પોતાનું સ્વયંનુપરિવાર-બાળકો અને વડીલોની ધ્યાન રાખતા રાખતા સમાજ માટે કામ કરે છે .બીજાનો વિચાર પહેલા કરે છે .મંદિરમાં ક્યારેય પ્રસાદ વહેંચવામાં આવેતો પુરુષો તરત  મોઢામાં નાખશે પરંતુ બહેનો  બાંધીને બીજા માટે ઘરે લઈ જશે.

        થોડા ઉદાહરણો જોઈએ .ફક્ત પોતાના  નહીં પરંતુ પરિવારના સદસ્યો પાસે પણ સમાજ પરિવર્તનની અપેક્ષા કેવી રીતે નિર્મિત કરીશકાય ! સુબ્રતો બાર્ગચી નામના “ગો એન્ડ કિસ  વર્ડ “પુસ્તક લખનાર લેખક ની માતા બાંગ્લાદેશની નિરાશ્રિત મહિલા હતી જેના લગ્ન જંગલખાતામાં કામ કરનાર એક સામાન્ય કર્મચારી સાથે થયા હતાપોતાના જંગલમાં રહેવાના કવાટર બદલવાના છેલ્લા દિવસે ફળિયામાં છોડવાવવાપોતાની આંખો ની રોશની જતી રહેવા છતાં પોતાના પુત્રની દુનિયામાં આગળ વધવાનું સમાજ સેવા કરવા માટે કહેવુ  બધુ આજેમહિલાઓની પાસેની અપેક્ષા પરિવારના પોતાના પુત્ર પુત્રીઓની પાસે સમાજ પરિવર્તન કેમ થઇ શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

        સમાજ પરિવર્તનના અનેક કામોમાં એક કામ બધા  દેશવાસીઓ ભારતમાતાના પુત્ર પુત્રીઓ માટે છે કે સમગ્ર દેશ ભારત કાર્ય માટેનું ક્ષેત્રબને .એટલા માટે કર્ણાવતીના ડેન્ટીસ્ટ પૂર્વતર ભારતમાં જઈને દાંતના અલગ અલગ કેમ્પ કરે છે એટલું  નહીં પરંતુ મહિલાઓના સ્વાસ્થ્ય રક્ષામાટે સેનીટરી પેડ સાવ સસ્તામાં કેમ બની શકે  માટે જીટીયુ સાથે મળીને એક 3000 રૂપિયામાં મશીનનું નિર્માણ કર્યું છે .કાશ્મીરની મુસ્લિમમહિલાઓ -એમની વચ્ચે જઈને પણ કામ કર્યું છે.

વિસનગરના ડોક્ટર સ્મિતાબેન જોશી સમાજમાં નાના બાળકો છે જુવેનાઇલ ડાયાબિટીસ પીડાય છે તેમને પડતી મુશ્કેલીઓ , બ્લડ સુગર ચેકકરવાના સાધનો અપાવવાઇન્સ્યુલિનના ઇન્જેક્શન માટેની આર્થિક મદદ , વારંવાર થતા કોમ્પ્લિકેશનની ટ્રીટમેન્ટ અને સરકાર સાથે વારંવારરજૂઆત કરીને તેમની સહાય માટે અલગ અલગ વ્યવસ્થા કરવા માટે બંને બહેન ધૂણી ધખાવીને  બેઠી છે

      આપણા બધા માટે આવા પરિવર્તનની અપેક્ષાઓનું માટેનું પરિણામ લાવવા આપણા સમિતિ સ્થાપક મૌસીજી ઘેર ઘેર ફરવા સાયકલચલાવતા શીખ્યા હતા .શાસ્ત્રો પણ મહત્વના છે તેથી રામાયણની કથાઓ પણ કરતા હતાવિવેકાનંદ કેન્દ્રમાં કામ કરતા નિવેદિતાજી ભીંડે નાનીઉંમરે પૂર્ણકાલીન કાર્યકર્તા બન્યા ,વનવાસી વિસ્તારમાં અનેક વર્ષો સુધી એકનાથજીના પગલે પગલે ચાલ્યા .તો વિનોબા ભાવે પણ પોતાના સેવાઅને સમાજ પરિવર્તન માટે શીખવો યશ પોતાની માતાને આપે છે , જે માતા ઘરમાં ફણસના ઝાડ પર આવતા ફણસને  એકલા પોતાના બાળકોમાં વહેચતા પણ પાડોશીઓ માટે પણ રાખતા.

       સંઘના દ્વિતીય સરસંઘચાલક  પરમ પૂજ્ય ગુરુજી ના માતાજી પેરાલીસીસની બીમારીમાં હતા છતાં પણ તેમણે ગુરુજીને પોતાનો સમગ્ર પ્રવાસચાલુ રાખવા માટેની મંજૂરી આપી હતી . વિદર્ભ પ્રાંતના સંઘચાલક શ્રીરામજી જોશી પોતાના ત્રણે ત્રણ દીકરાને પ્રચારક તરીકે મોકલ્યા ત્યારે કહેતાહતા સંઘ  કાર્ય કરવાની પ્રેરણા તો એની માં આપતીલેખક ધ્રુવ ભટ્ટ પોતાની સમદ્રાનતીકે  નવલકથામાં એક પરિવારને એકત્ર રાખવાનું કામકરતી મહિલા અને ઘરમાં રહેતા પાગલ કાકાના તોફાન સહન કરવાની શક્તિ માટેનું ઉદાહરણ આપ્યું છે.

       રાધનપુર પાસે દુષ્કાળમાં ખોદ કામ કરતા મજૂરોને મફત વહેચાંતો ગોળ એક નાની દીકરી લેતી નથી કારણ કે એની વિધવા માની સલાહહોય છે મફતનું કંઈ  લેવાય . વેદ ધર્મ શિખડાવનાર કોણ ?એક મહિલા પોતાના પતિ મૃત્યુ પામે તો જમીન ગોચરમાં આપી દેવી , બળદવેચી પૈસા પાણીના અવાડા માટે આપી દેવા અને પોતે મજૂરી કરીને જીવન ચલાવવુપોતાના પતિ મૃત્યુ થયું પછી તેણે કમાયેલી મહેનતના પૈસાઆપણે  ખવાય આવું શીખડાવનાર કોણ હોઈ શકે એક માં ! 

        સામાજિક પરિવર્તન નું સૌથી મોટું માધ્યમ છે સેવા .આપણા શાસ્ત્રોમાં અનેક પ્રકારની સાધના છે એવી સાધના કરનાર તમે બધાતપસ્વીઓ છો .આવા તપસ્વીઓ એકત્ર થઈને સમાજનો વિચાર કરે ત્યારે જુના સમયમાં એકત્ર થતા ઋષિઓનું વર્ણન એટલે કે નૈમિષારણ્ય ખડુંથાય .વન , ઉપવનમાંથી તપોવન બને છે જ્યારે નિસ્વાર્થ સેવા મળે છે.

      સેવા ભક્તિ અને મુક્તિનો માર્ગ છે .પરોપકાર શ્રેષ્ઠ ગુણ છે . પુણ્ય  શ્રેષ્ઠ ધર્મ કમાવાનો સેવા રસ્તો છે .સેવા બધાને જોડનાર  સેતુ છે .  તો ખરું  .પરંતુ સેવા ખાતર સેવા નહીં .સેવા પાછળ પણ સમાજ પરિવર્તનનો હેતુ  રહે તો શું કામનું

      આપણા કાર્ય દ્વારા સમાજના વિવિધ ભાગોની સેવા થશે પરંતુ મૂલ્યનું રક્ષણ થાય ,સંસ્કૃતિનો સંવર્ધનથાય ,વ્યક્તિઓમાં દેશભક્તિનિર્માણ થાય , રાષ્ટ્રભકતિનો  ભાવ આવે ,સકારાત્મક પ્રબોધન થાય અને આજે સેવા લેનાર સેવિત જન આગળ જતા સેવા કરનાર બનેપ્રકારની પરિવર્તનની અપેક્ષા સંઘ વિચારમાં રહેલી છે.

        આપણે બધા અહીંયા એકત્ર થયેલા આપણા સદભાગ્ય છે કે પરા પૂર્વથી આપણા પરિવારમાંથી આવા સંસ્કાર મળ્યા છે .આપણામાંરહેલી સદગુણ સંપત્તિ અને કાર્ય કરવાની નિષ્ઠા , બીજાનું દુઃખ દૂર કરવા માટે કહેવાય  માટે તપવું પડે છે .એક ભિખારી કચરાની પેટીમાંથીપ્લાસ્ટિક અલગ કરતો હતોશા માટે ?પશુઓ ખાઈ તો તેમને થતું નુકસાન રોકવાપર્યાવરણનો વિચાર એક ભિખારી પણ કરી શકે

        આવા કામો માટે ચર્ચા ,બૌદ્ધિક ,સેમિનાર તો થાય મહત્વના છે ,પરંતુ આચરણ અને વ્યવહાર તથા કૃતિનું મહત્વ છે .સંઘના વકીલ સાહેબકહેતા “શબ્દો કરતા કૃતિ ની તાકાત વધુ છે “સંવેદનાનો ભાવ જાગે તો પરિવર્તન માટે અવશ્ય મહેનત થાય .દુષ્કાળમાં શ્રમ કાર્ય કરતા માટેસુખડી વહેંચતા કાર્યકર્તા પાસે ભિખારી આવે છે સુખડી લેવાને માટે નહીં પણ આવા સેવાના કામમા મદદ કરવા માટે .કર્ણાવતી ની કચરોવીણતી સેવા વસ્તીમાં ગયા પછી ખબર પડે કે ચામડીના દર્દો બાળકોમાં કેમ છે ,કારણ કે નહાવા માટેના પાણીની સગવડ નથી , પાણી ભેગુંકરવાની વ્યવસ્થા નથી ,અને સ્નાનના સમયે પરિવારના લોકો હાજર નથી.

        કોઈપણ કાર્ય કરવા માટે એનજીઓની કલ્પના  ભારતની વ્યવસ્થા નથી , પશ્ચિમની દેન છે .વ્યવસ્થા ખાતર એનજીઓ બને પરંતુઆપણે ત્યાં તો ઘણા બધા લોકો  હરખી ફરતી સંસ્થાઓ છે.

      કામ કરવા માટે કરુણા નામનું ઝરણું સતત રહેવું જોઈએ .કરુણા થાય એક્સપોઝર આવે તો  થાય .સેવાકુર મા મેડિકલના વિદ્યાર્થીઓનુંજાબુઆનો અનુભવ કે અદાણી કોલેજના વિદ્યાર્થીઓનો કચ્છના સીમાવર્તી વિસ્તારનો અનુભવ આજ છે.

       ઘણા પુરુષો સમાજ પરિવર્તનના કામોમાં આગળ આવે છે .પરંતુ પરિવારના મહિલાઓનો સહયોગ થાય તો કામની ગતિ અને દિશા વધે છે.હિંમતનગર પાસે રક્તપિતની સેવા કરતા સુરેશભાઈ સોની સાથે ઇન્દિરાબેન જોડાયા કામની ગતિ વધી ,પરિવર્તનનું પરિણામ આજે દેખાય છે.શેવિત જન પાસે પણ અપેક્ષા છે કે પોતે સેવા કરનાર બનેએક ડૂબતા યુવાનને જ્યારે બચાવવામાં આવે ત્યારે એણે આભાર માન્યોત્યારેબચાવનાર કહ્યું તમારી જિંદગી બચાવવા જેવી મહત્વની હતી  સાબિત કરજો.

        મિશનરીઓ ધર્માતરણ દ્વારા પોતાની સંખ્યાઓ વધારવા માટે સેવાનો આંચળો લઈને ફરે છે .પરંતુ એમની પાસેથી પણ ઘણું શીખવા જેવોછે .ભારતમાં મિશનરી દ્વારા ધર્માંતર કરવા પહેલાં 50 -50 વર્ષ સુધી પ્રયત્નો કર્યા ત્યારે એમને પરિણામ મળ્યું છે .નાગપુરમાં સંઘના ૬૦ વર્ષપૂર્ણ  ઉત્સવ પ્રસંગે વાંસ લેવા માટે જંગલમાં જતા કાર્યકર્તાઓને જંગલમાં વસતા વનવાસી વચ્ચે કામ કરતો સ્વીડનનો નો ગોરો યુવાન મળ્યોહતો .તાવ માટે દવા આપવા ઘરે ઘરે જનાર મિશનરીઓ કે સરકારી સંસાધનનો ઉપયોગ કરીને સહાય બનાવીને વ્યક્તિઓનું ધર્માતરણ કરતાઅનુભવો રાષ્ટ્રજાગરણ ૨૦૦૧ મા મહિલાઓને થયા છે .પાટણની મહિલાઓએ વનવાસી બાળકને પથરીનું ઓપરેશન કરાવી આપ્યુ તો કેવીઅસર આવે . મધર ટેરેસા સેન્ટર મોરબી ની વાત સાંભળવા જેવી છે.

          આપણી આસપાસ પણ નજર કરીએ છીએ ત્યારે આવી અનેક વાતો આપણે નજર સામે આવે છે .રાજકોટનું પૂજીત રૂપાણી ટ્રસ્ટઅંજલીબેનનો યજ્ઞ-કચરો વીણતા બાળકોને માટે શરૂ થયેલું 1995 નું કાર્ય આજે અભ્યાસ માટે જ્ઞીનપ્રબોધીનીતો કલા માટે સપ્તસ્વર,સ્વાવલંબ માટે કોમ્પ્યુટર વર્ગતો કચરો વહેતા બેના માટે રાજદીપિકા આવા અનેક કાર્ય દ્વારા પરિવર્તનને કારણે એમને કોઈને નોકરી મળી છે,ઉચ્ચ વર્ગના અધિકારી બન્યા છે ,મેડિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ્યા છે .  છે પરિવર્તનની દિશાની અપેક્ષા . હું દેશ અને સમાજ માટે શું કરીશકું તે હંમેશા સૌનો પ્રશ્ન બની રહે તે જોવું રહ્યું 

         કોઈ કામ નાનું નથી હોતુંરાજસુયયજ્ઞમા  ભગવાન કૃષ્ણએ એઠા પતરાળા ઉપાડ્યા હતા .અંગ્રેજ વાઇસરોયને મળવાના સમય વચ્ચેસમય કાઢીને મહાત્મા ગાંધીજી રક્તપિતના દર્દીની સેવા કરવા જતા ,તો ગોવિંદ કાત્રેે  પૂ ગુરુજીની ઈચ્છાથી પોતે રક્તપિતમાંથી નિર્મળ થઈનેરક્તપિતની સેવા કરવા માટેનું કાર્ય શરૂ કર્યુ

        આપ સૌ સ્ત્રી શક્તિ મેનેજમેન્ટ નો બેસ્ટ પાવર ધરાવો છો . ડોક્ટર મુરલી મનોહર જોશી એક કોન્ફરન્સમાં કહ્યું હતુંકોઈપણ કાર્ય માટેપંચશક્તિની જરૂર પડે છે : યુવા શક્તિસ્ત્રી શક્તિ ,સજનન શક્તિ ,ધાર્મિક શક્તિ અને સંગઠન શક્તિ .અહીંયા તો  પાંચેય શક્તિઓએકત્ર થઈ છે ઇન્દોરમાં પણ એક ડોક્ટરના પત્ની પંચકન્યા નામનો એક મહિલાઓને પગભર કરવાનો કાર્ય કરી રહ્યા છે.

       બહેનો ધારે તો શું  કરી શકે .સરસ્વતી લક્ષ્મી અને મહાકાલી ની શક્તિ એમની પાસે છે .કચ્છના જેઠી બાઇ નામ ઉપરથી દીવ બસ સ્ટેન્ડનું નામ “પાન જેઠી” પડ્યો જેઠીબાઈ ની ઓઢણી  કાનજી  નામના વિધુરના  પુત્ર એના અવસાન બાદ કોઈ પરિવારમાં  રહેતા ખ્રિસ્તી બની જાય. ફિરંગીના નિયમોની સામે  જેઠીબાઈએ ફિરંગીની રાણીને એક ઓઢણીમાં રંગીન કલાત્મક લખાણ લખીને સુધારો કરવા કહ્યું અને એનુંપરિણામ આવ્યું. .ચેતના ગાલા સિંહ મહિલાઓને આર્થિક સધ્ધર કરવા માટે પોતાની ખૂબ મોટી નોકરી છોડી પથ્થર તોડતા મધુર બહેનોની માટેસહકારી બેંક બનાવી લોન અપાવીટ્રેનિંગ માંગવાના પગભર  કર્યા.

        ઘણી વખત આવા કાર્યો કરતા કરતા સમાજ પરિવર્તન તો થાય છે .પરંતુ અમે પણ કંઈક છીએ એવો અહંકાર પણ દૂર થાય છે ખૂબજરૂરી છે .સેવા દ્વારા જેમનામાં પરિવર્તન આવે છે તેમનામાં આત્મસન્માન ઊભું થાય ,આત્મવિશ્વાસ આવે અને સ્વાવલંબી બને   સાચી દિશાછે .સેવા  અંતિમ લક્ષ્ય નથી  સાધન અને રસ્તો છે , હંમેશા યાદ રાખીએ.

આવનારી નવી પેઢી ની અંદર આવા કામ કરવાની અપેક્ષા બહુ  છે . યુવાનો સાથે કામ કરતા અને માલુમ પડે છે વન વીક ફોર નેશન કેસમર્થ ભારત જેવા અનેક કાર્યોમાં આજના યુવાન મહિલાઓ પણ લાગી છે .ત્યારે આપ સૌ  કાર્યની અંદર આગળ વધો , તમે સંઘ દ્વારા થતાઆવા કામોમાં સહભાગી થાય , તમારા કામોમાં સંઘના કાર્યકર્તાઓ સહભાગી થાય ,આમ એકબીજાને ઉપયોગી થતા સમાજ પરિવર્તનનીદિશામાં આગળ વધી અને ભારત વિશ્વ ગુરુ બનાવવાના  કાર્યમાં આપણે સાથે મળીને ચાલીએ .સંઘની અંદર હંમેશા કહેવામાં આવે છે If you have team, we have theme and if you have theme ,we have team. 

 

No comments:

Post a Comment